________________
સંગ્રહ ૪
૧૮૩ પ્રમાદ કરે છે. તેથી આ કાળમાં મેક્ષ નથી એમ કહે છે.
વિચારદશા આવે તે જે પુરુષાર્થ કરે છે તે સફળ થાય. વિચારદશા આવ્યા પછી કુવિચાર ન આવે. આત્મા આમ તેમ ભમે નહીં. વિચાર એ ભૂમિકા છે. સ્થિરતા છે તે વિચારદશા છે. સંતેષથી સુખ થાય. સંતેષ હોય તે પિતાના કર્મરૂપ શત્રુને હણવાને પુરુષાર્થ કરે છે. સંતેષ આવે તે સુખી રહે. “સંતોષી નર સદા સુખી.” સંતેષી સ્થિર મનવાળો થાય છે, તેથી શાંત હોય છે. ત્રણ લેકનું રાજ્ય એને તૃણ જેવું લાગે છે.
સકલ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન;
તે કહિયે જ્ઞાનીદશા, બાકી વાચા–જ્ઞાન.” સંતેષરૂપી અમૃતનું પાન કરનારને જગત અને જગતનાં સુખે ઝેર જેવાં લાગે છે. જે પ્રાપ્ત નથી થયું તેની ઈચ્છા ન કરે, મળેલું છે તે રહેવાનું નથી, એમ જાણે, હર્ષશેક ન કરે તે સંતેષી છે. - ચંદ્રમાના પ્રકાશથી બધાં કમળ સંકેચાય, પણ સૂર્યનાં કિરણે અડે ત્યારે ખીલી ઊઠે, તેમ સંતેષથી એનું મન શીતળ થાય અને જ્ઞાન થાય ત્યારે વધારે શાંતિ થાય. જેના મનમાં આશા રહ્યા કરે છે, તેને જ્ઞાન ન થાય.
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” ત્યાગવૈરાગ્ય ન હોય તેને જ્ઞાન ન થાય. પુરુષાર્થ કરે તે પૂર્ણ આત્મા થાય. આત્મામાં જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય છે, એ ઘણું છે, પૈસા ટકાની જરૂર નથી. આત્મતૃપ્ત હોય તેને આત્માની બધી સંપત્તિ મળે છે. ગુણવાન પુરુષે સમ્મત કરેલી સમતા છે, એને સંતે નમે છે. [“લઘુયોગવાસિષ્ઠ –સાર”ના વાચન પ્રસંગે ૬૮ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૪, ૨૦૦૮
આ ભવમાં અને પરભવમાં મને સત્સંગ મળે. સત્સંગથી વિવેક એટલે ભેદજ્ઞાન થાય. આ આત્મા અને આ દેહ એ ભેદ પડે તે મેક્ષ થાય. ઉજજડ જગ્યા પણ તેને શહેર કરતાં વધારે સારી લાગે છે, વિપદૂ સંપરૂપ લાગે છે. મોહરૂપી ઝાકળને ઉડાડવામાં સત્સંગ પવન જેવું છે. ગમે તેવું દુઃખ, મુશ્કેલી પડે, તે પણ સત્સંગ તજ નહીં. સત્સંગ મળ્યું હોય તેને તીર્થાદિ કંઈ કરવાની જરૂર નથી. જિતેદ્રિય, સંશયરહિત, દેહાધ્યાસરહિત સંત મળે તે પછી તપ-તીર્થનું કંઈ માહામ્ય રહેતું નથી. સંતસમાગમ જેને મળે છે તેને ધ્યેય નિર્મળ થાય છે. આત્મા ઉપાદેય લાગે એ એનું ધ્યેય છે.
શમ, વિચાર, સંતેષ અને સત્સંગ એ ચાર મોક્ષના દ્વારપાળ છે. સંતોષ આવ્યું તે પરમ લાભ થાય છે, સત્સંગ હોય તે ઉત્તમ ગતિ થાય, વિચારથી જ્ઞાન થાય અને શમથી અભંગ સુખ પ્રાપ્ત થાય છે. શમ એ સંસાર તરવા માટે વહાણ જેવો છે. એ આવે તે બાકીના ત્રણે આવે. મનરૂપી હાથીને જીતીને એ ચારમાંથી એક પણ પ્રાપ્ત કરે. એ ચારેમાં સારામાં સારે સત્સંગ છે. એ કરે તે બધાય આવી જાય. સત્સંગ કર હોય તે અસત્સંગ ટાળવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org