________________
૧૯૨
આધામૃત
છે. વિષયેાની ઉત્સુકતા નથી. તૃષ્ણા રહી નથી. આ સારુ' છે, આ ખાટુ છે’ એ મનમાંથી નીકળી ગયું છે. મન શાંત થયું છે.
ઊંઘમાં મન મૂઢ છે, વિચાર કરી શકતું નથી. સ્વપ્નમાં મેડ હોય છે, જાગૃતિમાં મૂંઝવણ-ઇષ્ટ અનિષ્ટ રહે છે. નિદ્રા, સ્વપ્ન, જાગૃત એ ત્રણેથી એની જુદી અવસ્થા છે. ભવ કાને કરવા પડે છે? હું કાણુ છું? એ વિચારો. બધું કરીને એ કરવું છે. વિચાર છે તે બધે પ્રવેશ કરે છે. કાઈથી ખળે નહી. પતિની પણ પાર જાય. સદ્વિચાર છે તે પરમાનંદનુ મૂળ છે. વિચાર એ જ આત્મા છે. પ્રમાદ ઇંડીને એને સેવે, વિચાર કરે.
૬૭ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૩, ૨૦૦૮
આત્માનુ લક્ષણ ઉપયોગ છે. એ ખીજા કોઈમાં ન મળે. એ ઉપરાંત ખીજા ઘણા ગુણા આત્માના છે. વસ્તુને યથા એળખવી હાય ત્યારે ચારે બાજુથી એળખવી. એના ગુણાથી આળખવી, લક્ષણુથી આળખવી અને એને અનુભવ કરવા કે આ મારું સ્વરૂપ છે. જે આત્મારૂપ થયા તે લક્ષણ, ગુણુ અને વેદનથી થયા છે. જેને એ બધાના અનુભવ થયે છે. એવા જે સદ્ગુરુ તે આત્મા છે. આત્મા કે સદ્ગુરુ એક જ છે. પૂર્વીના જીવને જે આગ્રહા છે તેથી જ્ઞાનીનેા બેાધ સમજાતા નથી, આત્માનું ભાન ન હૈાય ત્યાંસુધી બીજી લ્પનાએ રહે છે. સાચા ખ્યાલ આવતા નથી. જેને આત્મા જાણવા હાય તેણે ‘હું કઈ જાણતા નથી’ એમ કરી પછી જ્ઞાનીને શરણે જવું.
વિચાર હાય તા ઇન્દ્રિયેનું સ્વરૂપ સમજાય, અને વિષયનું સ્વરૂપ પણ સમજાય. પરિણામ શું આવશે ? તે પણ સમજાય. મેાક્ષના ચાર દ્વારપાળ કહ્યા છેઃ શમ, વિચાર, સતેષ અને સત્સંગ, મેક્ષે જવુ' હેાય તે એ ચાર દ્વારપાળને લઈ ને જવુ પડે. કષાય હાય તે પેસવા ન દે. શમ આવે ત્યાં કષાય જાય. જગત દુઃખરૂપ છે એવા સદ્વિચાર કર્યાં ન હાય તેા દ્વારમાં પેસતાં શકે કે જાએ આત્મવિચાર કરીને આવેા, ત્રીજે દ્વારપાળ સતોષ છે. લેાભ ન જાય ત્યાં સુધી મેાક્ષ ન થાય. ચાથેા દ્વારપાળ સત્સંગ છે. સત્સંગ ન કર્યો હાય તે માક્ષે જવાય નહીં. એ ચારે હાય તે! મેક્ષમાં જવાય.
જ્ઞાનીનાં વચનેમાં અતિ શમ હાય છે. એ વચન સાંભળીને મન એકાગ્ર થાય છે; મારે માટે કહે છે, એમ થાય છે. પછી એમાં સ્થિરતા થાય. કષાય મંદ પડે તેથી બુદ્ધિ નિમલ થાય છે.
આહારમાં એક આચાય મળ્યા હતા. તેમણે મને પૂછ્યું કે તમારુ ધ્યેય શું છે? મેં કહ્યું– મેાક્ષ. તેમણે કહ્યું, મેાક્ષ તે આ કાળમાં છે નહીં. મેં કહ્યું, “તે આપે દીક્ષા શા માટે લીધી ?” તેમણે કહ્યું. “ ખીજા જીવાને દેવગતિએ મોકલવા માટે. આ કાળમાં મેાક્ષ નથી, માટે પુરુષù શા માટે કરવા ?’’
પુરુષાર્થ કરવા નથી, તેથી એમ કહે છે. મેાટા પુરુષાએ જે જે દુઃખ આવ્યાં તે સમતા રાખી સહન કર્યાં છે. સમકિત છેડ્યું નથી. એવી વાતે વિચારવી, સાંભળવી. વાસના જાય તે જન્મમરણ જાય. સદ્ગુરુની આજ્ઞાએ વતે તે આ કાળમાં મેાક્ષ થાય. પણ એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org