________________
સંગ્રહ ૪ અભ્યાસ પડે તે આધિ, વ્યાધિ, ઉપાધિ ત્રણે જાય. મોક્ષને માર્ગ સુખરૂપ છે. મુમુક્ષતા આવે ત્યારથી સુખ પ્રાપ્ત થવા લાગે છે. શમરૂપી કવચ પહેરે તે વા જેવું બાણ આવે તેય લાગે નહીં. અંદરથી શીતળીભૂત રહે છે. જગતમાં ગમે તેવા તેફાન હોય પણ એનું અંતર શાંત છે. શમ થવા માટે નિર્મળ બુદ્ધિ જોઈએ. કર્મની મલિનતા દૂર કરી આત્માને જેતે આવે તે નિર્મળ બુદ્ધિ થાય. શમ તેની પાસે છે કે જેને ગમે તેવા પ્રસંગમાં રાગદ્વેષ ન થાય. ગમે તેવી આપત્તિ આવે, લાંબી હોય, તેમાં ધીરજ રાખે તે શાંતિને વરનાર છે. તે જ શાંત રહી શકે છે. થોડું થોડું તે સહન કરનારા ઘણું છે, પણ ઠેઠ સુધી ટકી રહેવું મુશ્કેલ છે ગમે તે ઉદય હોય તે પણ હલકે વિચાર ન કરે તે શાંતિ રહી શકે. ધીરજ રાખવી જોઈએ. અંતરમાં શાંત નિગ્રંથ, બહાર ગૃહસ્થ આચાર દેખાડે બહુ મુશ્કેલ, વ્યવહારમાં રહેવું ને શાંતિ રાખવી બહુ મુશ્કેલ છે. એનામાં જે શાંતિ હોય તે બીજા જેને પણ શાંતિ થાય અને થોડીક વાર આધિ વ્યાધિ ઉપાધિ ભૂલી જાય છે. આર્યપુરુષે શમને સાચવે છે. એ જ કામ લઈ મંડે. એ જ કામનું છે. [“લઘુયોગવાસિષ્ઠ-સાર” વંચાતાં ] ૬૬ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૨, ૨૦૦૮
પ્રજ્ઞાને છીણી જેવી કહી છે. લાકડું ફાડે ત્યારે પહેલાં વળ જોઈને પછી છીણી મારે તે બે ભેદ થઈ જાય. તેમ આત્માનાં લક્ષણ અને જડનાં લક્ષણ તપાસી વચ્ચે પ્રજ્ઞા એટલે વિચારરૂપી છીણું મારે તે ભેદજ્ઞાન થાય. મેહ છે તે શાતા અશાતા બધામાં મૂંઝવે છે. સદ્વિચાર મેહને દૂર કરે છે. અશાતામાં ખેદ ન કરે, શાતામાં હર્ષ ન કરે, એ સદુવિચારને ગુણ છે. “ ના તુ કરતાં મુનિને જ્યારે વિચાર જાગે ત્યારે કેવળજ્ઞાન પામ્યા. જ્યારે ત્યારે વિચાર કરશે ત્યારે ઠેકાણે પડશે. અવિચારદશા છે તે નિદ્રા જેવી છે. અવિચારને લઈને મન ભમે છે. વિચાર નથી જાગ્યા ત્યાં સુધી જીવ અનિત્ય વસ્તુઓમાં મેહ કરે છે. રાતદિવસ ચેતવાનું છે કે અવિચારમાં ન જવાય. અવિચારથી લાંબુ કર્મ બંધાય, તેથી રખવું પડે. આત્મવિચાર મૂકે તે અવિચાર આવે.
દુર્જન છે તે દુઃખની કઠી છે. દુર્જનને સંગ કરે તે જીવ આફતમાં પડી જાય. દે થઈ જાય, એના કરતાં પણ દેવીને (દુર્જનને) સંગ કરે એ વધારે ખરાબ છે. દુર્જનને સંગ તે અસત્સંગ છે જીવન્મુક્તને સંગ તે સત્સંગ છે. સત્સંગથી નિર્ભય થવાય છે.
વિચારથી બધું પમાય છે. જ્ઞાનાવરણીય આદિ જે આવરણ છે તે વિચારથી ટળે છે. વિચાર જાગે તે આખું જગત અસાર લાગે. તેથી વિતરાગતા આવે છે, નિષ્કામ સ્થિતિ થાય. જીવન્મુક્તનું મન છે તે પૂર્ણપદને ઈએછે છે, પૂર્ણપદની છાયા તેમાં દેખાય છે. એ રાગદ્વેષ કરતું નથી. ત્યાં આગળ મનને અવલંબન પૂર્ણપદનું છે. ધ્યાનમાં મન પૂર્ણપદમાં રહે છે. એટલે પૂર્ણ પદ ત્યાં એનું અવલંબન છે. એને રાગાદિ થાય નહીં, ઈચ્છાય નથી થતી. આ જગત હાલતું ચાલતું દેખાતું નથી, પણ એને કાષ્ઠતૃણવત્ આખું જગત લાગે
* દૈપાયન મુનિનું દષ્ટાન્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org