SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ બોધામૃત નિશ્ચય એ કર્યો કે જગતમાંથી ઉત્તમ વસ્તુ હોય તે પ્રાપ્ત કરવી છે. એને માટે બળ જોઈએ છે. પુરુષાર્થ કરે તે થાય. જીવને ઉત્તમ દશા પ્રાપ્ત કરવી છે એમ એને થાય તે આગળ વધે. બધાનું કારણ સત્સંગ છે. સત્સંગમાં સાંભળવા મળે તેથી રુચિ જાગે તે વહેલું મોડું કરે. દેખાદેખી ધર્મ ન કરે. દાન કરી ધર્મ માને છે, પણ જ્ઞાની કહે છે કે પહેલે સત્સંગ કર. તેમાં સાંભળવું, નકકી કરવું. સત્સંગમાં પોતાને જે કરવાનું છે તે જ સાંભળવાનું મળે છે, આત્માની વાત સાંભળવાની મળે છે. ઘણું શાસ્ત્રો વાંચવા કરતાં સત્સંગથી વધારે લાભ છે. સત્સંગ એ પહેલામાં પહેલે અને સહેલામાં સહેલે છે. પિતાના દેષ સત્સંગમાં જણાય છે. જ્ઞાનીની આજ્ઞા ઉઠાવે તે લાભ થાય. આત્મજ્ઞાનનું કારણ ભક્તિ છે. આ કાળમાં કૃપાળુદેવ અલૌકિક પુરુષ થઈ ગયા છે. આજ સુધી ગમે તેટલું કર્યું હોય તે ભૂલી જઈ હવે મારે જ્ઞાનીની આજ્ઞા આરાધવી છે એમ કરે તો ઘણું કામ થાય એવું છે. સદ્ગુરુની પ્રાપ્તિ થઈ છે તે હવે આજ્ઞા આરાધવાની છે, એ લક્ષ રાખ. બધું સ્વપ્ના જેવું છે. જ્ઞાનીને ઉપદેશ, આજ્ઞા, જીવને આધારરૂપ છે. મન પસંદ કરે એવું ન માનવું. મનનું માનવું એ સ્વછંદ છે. જ્ઞાનીનું કહેવું માનવું છે. મનરૂપી અશ્વ ઉપર જવ બેઠે છે, એ એને ગમે ત્યાં તાણી જાય છે, એને થકાવવાનું છે. મન જ્ઞાનીનાં વચનમાં રેકાય તે દેડદેડ કરવી છોડી દે. મન જ્ઞાનીનાં વચનમાં લીન થાય એનું નામ અનુભવ છે. વસ્તુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ થાકે નામ.” (નાટક સમયસાર) એક વાણિયું હતું. તેને લાગ્યું કે કામ તો ઘણું છે અને ગુમાસ્તા થડા છે, માટે કૈઈ દેવને વશ કરું. પછી તેણે આરાધના કરી. તેની આરાધનાથી દેવ પ્રસન્ન થયા અને કહ્યું કે કામ બતાવ, નહીં તે ખાઈ જઉં. તેણે કહ્યું, હિમાલયથી વાંસ લઈ આવ. તે લઈ આવ્યો. પછી નવરે હોય ત્યારે ચઢવા-ઊતરવાનું કામ બતાવ્યું. એવું આ મન છે. તેને સહજાન્મસ્વરૂપ પરમગુરુ” મંત્રમાં રાખવું તે થાકે, નહીં તે નહીં થાકે. ૬૩ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૬, ૨૦૦૮ ઇચ્છા એ જ જગત છે. ઇચછાનો નાશ થાય તે પરમપદપ્રાપ્તિ થાય. દેહની ચિંતા કરવાથી કંઈ ન થાય. “સુંદર ચિંતા મત કર, તું કર બ્રહ્મવિચાર; શરીર સપ પ્રારબ્ધકું, જ્યુ લેહા કુટે લુહાર.” શરીરનું જેમ થવું હોય તેમ થાઓ. આપણું કામ આત્મવિચાર કરવાનું છે. પ્રારબ્ધને આધીન શરીર છે, પુરુષાર્થને આધીન આત્મવિચાર છે. ન કરે તે એ આત્મવિચાર પડ્યો રહે. જગતની મેહિનીમાં ફસાવું નહીં. જાગૃત જાગૃત રહેવાની જરૂર છે. સ્ત્રીમાં મેહિત થયે તે પછી વિવેક આવા મુશ્કેલ છે. કામી જને દુઃખી છે, સંતે સુખી છે. સંતેયરૂપી ઝાડને ઉખેડનારી તૃણું છે. રણને જીતે તે શુરવીર નહીં, પણ મનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy