SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ જે ૧૮૭ ન થાય એમ લાગે ત્યારે એ સિદ્ધાંતબેધ પરિણમે. ૬૦ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧, ૨૦૦૮ બધું સ્વપ્ના જેવું છે. આજે છે તે કાલે નહીં. જ્યાં સુધી જીવવું છે ત્યાં સુધી આત્માનું કામ કરી લેવું. કૃપાળુદેવને શું કહેવું છે, તે સમજી લેવું. પુરુષને વેગ એ લહાવો મળે છે. તેને વારંવાર સંભાર. આ ભવમાં એ વેગ મળે છે, તે જે તે નથી. લક્ષ રાખવાનું છે. જ્ઞાનીને વેગ થયે તે સફળ થાય એવું કરવાનું છે. મંત્ર એ આત્મા છે. જેવું તેવું નથી. બીજ છે. એ આપણે પિષવાનું છે. ભૂલે ત્યારથી ફેર ગણ. ધર્મનાં ફળ બહુ મીઠાં છે. મરણ વખતે મંત્ર ઘણું કામ આવશે. માટે આરાધના કરવી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરતાં દેહ છોડ છે. ખંભાતમાં ત્રિભુવનભાઈનું શરીર બરાબર નહેતું, ત્યારે મનમાં તેઓને થવા લાગ્યું કે આ દેહ છૂટી જશે, માટે મારે શું કરવું? મારે સત્સંગ નથી, એમ થવા લાગ્યું. ત્યારે હું ત્યાં ગયે. તેમણે મને કહ્યું કે હું શું કરું? “પરમ ગુરુ નિગ્રંથ” જવું કે “આતમભાવના ભાવમાં જીવ લહે કેવલજ્ઞાન રે” જપું? છેવટે મારે શું કરવું? તેમને કૃપાળુદેવ પાસેથી મંત્ર નહીં મળે. પછી મેં પ્રભુશ્રીજીનું કહેલું “સહજામસ્વરૂપ પરમગુરુ” જપવાનું કહ્યું. ત્યારે તેમણે કહ્યું કે “આ તે કૃપાળુદેવ મારા માટે જ લખી ગયા છે!” મરતાં સુધી તેઓની વૃત્તિ તેમ જ રહી હતી. ૬૧ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૮, ૨૦૦૨ બીજાં કામ તે જીવ કરે છે, પણ જરૂરનું સાથે આવે એવું ભક્તિનું કામ નથી કરતે. ભક્તિના સંસ્કાર છે તે જેવા તેવા નથી. સાચું બીજ હોય તે પલટે નહીં. મહાપુરુષનું ઓળખાણ થાય તે કઈ દિવસ ઠેકાણું પડે. યથાતથ્ય ઓળખે તે સમ્યક્ત્વ થાય છે. સાચી વસ્તુ પ્રત્યે અનાદિકાળથી જીવ ષ કરતો આવ્યો છે. કર્મ બંધાય છે, તેથી દેહ ધારણુ કરે છે, ભટક ભટક કરે છે. “મારાથી નથી થતું, પણ આ છે તે સારું” આટલે ભાવ થયે તે મેડે વહેલે એ ભણું વલણ થશે. વહેતી ગંગામાં હાથ ધેયા તે કામ થઈ જાય. સદ્દષ્ટિ ધર્મ પ્રત્યે થાય તે હિતકારી છે. સંસ્કાર પડેલા હોય તે વહેલા મેડા ઊગે. ભક્તિના સંસ્કાર જેવા તેવા નથી. સારી વસ્તુ સારી લાગે તે એને લાભ થાય. મહા પુણ્યને ઉદય હોય તે એને સાચા ધર્મ પ્રત્યે રુચિ થાય છે. કેઈને કશું હાથમાં રહેવાનું નથી. બધું મૂકીને જવાનું છે. ૬૨ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૫, ૨૦૦૮ મન જીતવા માટે ઈન્દ્રિયે છતવી. ઈન્દ્રિયે જીતવા માટે સ્વાદેન્દ્રિય પહેલાં જીતવી. લક્ષ રાખીને અલ્પ પણ આજ્ઞા આરાધે તે આગળ વધે. પિતાની મેળે જીવે બાણું કર્યું છે, પણ જ્ઞાનીની આજ્ઞાએ કરે તે કામ આવે. ધ્યેય વગરનું કામ કરવું તે નકામું છે. શું કરવું છે તે જીવને ખબર નથી. દહાડા કાઢે છે. આ જ કરવું છે, જન્મમણ છોડવા માટે કરવું છે એવું એને થતું નથી. જે જે મહાપુરુષે થઈ ગયા છે, તેઓએ પહેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy