SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ બોધામૃત ૫૮ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૧૧, ૨૦૦૮ જાગ્યા ત્યારથી સવાર. આપણે જે શીખ્યા નથી તે શીખવાનું છે. સત્સંગ હોય તે દરેકને પિતાનું હિત કરવું છે એમ લાગે. ધર્મ “આત્મવિચાર– કર્તવ્યરૂપ” છે, ધર્મ શું તે સમજાવ્યું અને સમજણની પ્રથમ જરૂર છે, ભજવાનું તે પછી. સમજણથી પળાય છે એમ લાગે ત્યારથી ધર્મ પામ્ય કહેવાય. એ કર્તવ્ય લાગ્યું નથી. પૈસા કમાવા એ કર્તાવ્ય લાગે છે, પણ મારે આત્મવિચાર-કર્તવ્યરૂપ ધર્મ કરે છે એમ નથી લાગતું. પુણ્ય હોય ત્યારે સાચી વસ્તુ હાથમાં આવે છે. સર્વ જીવ પ્રત્યે સમાન દષ્ટિ રાખવી, એ કંઈ જેવી તેવી વાત નથી. બહુ મુશ્કેલ છે. આત્મા એાળખાય ત્યારે સમદષ્ટિ રહે. પ૯ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૧૫, ૨૦૦૮ ઉન્માદ એટલે ધર્મનું અભિમાન તે પણ પ્રમાદ છે. આળસ કષાય એ બધા પ્રમાદ છે. બધે સાચવવાનું છે. ધર્મ ન કરે તેય ખોટું અને ધર્મ કરી અભિમાન કરે તેય ખોટું છે. ધર્મમાં ઢીલ કરવા જેવું નથી. ધર્મમાં આદર રાખવાનો છે. ધર્મમાં અભિમાન કરવા જેવું નથી. જ્યાં જયાં જે જે છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” રોટલી તવા ઉપર બળી ન જવા દેવી અને કાચી પણ ન રાખવી. ધર્મ કરીને, ત૫ કરીને પાછું અભિમાન કરે કે મેં તપ કર્યું, હું તપસ્વી છું તે ખોટું છે અને ધર્મ ન કરે તેય ખોટું છે. કૃપાળુદેવનાં વચને મોઢે કરીએ. આગળ ગુણ કરશે. આત્માના વિચારની ગરજ જાગે તે પછી મેઢે કરેલું કામ આવે. આત્મસિદ્ધિ, છ પદને પત્ર એને આધારે આત્મવિચાર થાય. પૂર્વના સંસ્કારી હોય તેને તે વારંવાર એમાં વૃત્તિ જાય અને વિચારણું જાગે. જવને મદદ મળે તે પિતે ચાલતાં શીખી જાય. બાર ભાવના વાંચી પણ મેહ ન જાય ત્યાં સુધી વિચાર જાગે નહીં. બીજી વસ્તુઓમાં મેહ હોય ત્યાં સુધી આત્મા ન સમજાય. વૈરાગ્યની બહુ જરૂર છે. બીજી ગતિમાં ન બને. આ મનુષ્યભવમાં થાય એવું છે. મહાપુરુષના જીવનમાંથી ઘણું શીખવાનું હોય છે. કૃપાળુદેવને આઠમા વર્ષે જાતિસ્મરણ થયું, તેથી આગળ જે મહાપુરુષે મળેલા, બેધ સાંભળે તેનું સ્મરણ થયું અને તેથી કરીને જીવન પવિત્ર બનાવ્યું. કૃપાળુદેવનું એકનું એક વચન વાંચીએ તે નવું નવું લાગે, નવા વિચારે સ્કુરે. એક એક પત્ર વાંચીએ તે આત્મામાં આનંદ આવે. “સપુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” (૧૯૬૬) જેમ જેમ અર્થ કરે, વિચારે તેમ તેમ અનંત અર્થ, અનંત ભાવ ભરેલા છે એ સમજાય છે. વીશ દેહરા રોજ ભક્તિપૂર્વક ભણે તે કેટલાંય પાપ ખસી જાય. હું મોટે' એમ અભિમાન થાય છે, પણ આમાં અધમાધમ કહ્યું છે. લઘુતા આવે એવું છે. જ્ઞાન અનંત છે. હું કંઈ જાણતું નથી, એવું રાખવું. સાગરમાંથી ટીપા જેટલું પણ જ્ઞાન રહ્યું નથી. આત્મસિદ્ધિમાં બહુ સુંદર ભાવ છે. કંઈક વૈરાગ્ય હય, જન્મમરણને ત્રાસ લાગ્યું હોય, સંસારમાં સુખ નથી, સાચી વસ્તુ આત્મા છે, આત્મા જાણવે છે, આત્મા જાણ્યા વિના કેઈને મેક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy