SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ બેધામૃત હું મોટો થાઉં છું એમ માને છે! જેમ છે તેમ માનવાનું છે. આત્માને આત્મા, શરીરને શરીર, નિત્યને નિત્ય, પિતાનું નહીં તેને પર અને પિતાનું તેને પિતાનું માને. એટલું થાય તે સમ્યદર્શન છે. મુમુક્ષુ-એ સમ્યકત્વ તાકીદથી કેમ થાય? ઉત્તર–સાવધાન થવું, ગાફલ ન રહેવું. જેવું છે તેવું માનવું તેમ જ જેવું. “મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.” (૮૨૬). નિશ્ચય કરે તે પછી તેના ઉપાય શેળે. કેમ થતું નથી ? એમ છે. કામ કરવું હોય તેની કાળજી રાખે તે વહેલું થાય. વ્યાપારાદિમાં કાળજી રાખે છે પણ ધર્મમાં કાળજી કેમ નથી રાખતા? કેમ તમારા દહાડા ઊઠયા છે?” એમ પ્રભુશ્રીજી વારંવાર ઠપકો આપતા. સંસારી કામની નકામી આગળથી ચિંતા કરે છે. આખો દિવસ એમાં જ ગાળે છે. અગાઉથી ફિકર કરે તે “અનવસર આર્તધ્યાન છે.” (પર૭). જે કામ જે વખતે જરૂર પડે તે વખતે તેની ચિંતા કરે તે અવસર આર્તધ્યાન છે. મુમુક્ષુ—“આરેગ્યતા, મહત્તા, પવિત્રતા અને ફરજ” (૨-૭૩). એટલે શું ? ઉત્તર–આરેગ્યતા માટે ખાવાપીવામાં વિવેક રાખો. ખાવાનું કરતાં પહેલાં વિચાર રાખ. જીભના સ્વાદને લઈને અપથ્ય ન ખાય, વધારે ન ખાય. ખાવા માટે જીવવું નથી. સંસારમાં જે કંઈ મહત્તા કહેવાતી હોય તેને કલંક ન લાગે તેવી રીતે વર્તે. પિતાની ફરજ જે કામ કરવાની હોય તે ચૂકે નહીં. વિવેકબુદ્ધિથી વર્તવાનું છે. પવિત્રતા એટલે દે દેખીને ટાળવા. પવિત્ર પુરુષનું સ્મરણ, એથી પવિત્ર થવાય છે. જેવા થવું હોય તેવાને સંભારવા. પવિત્રતા ઓળખવી. મલિન ભાવે અને મલિન વર્તનથી ડરતા રહેવું. વિવેકી જીવ મૂળ વસ્તુ પર લક્ષ રાખે છે. કૃપાળુદેવે “પુષ્પમાળામાં વચન લખ્યાં છે, તે બહુ ગંભીર છે. દરેક જમાનામાં કઈ કઈ મહાપુરુષ થાય છે. પ૬ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૮, ૨૦૦૮ સંસારના ભાવ છોડી અહીં આશ્રમમાં રહેવું મુશ્કેલ છે. ભાગ્યશાળી હોય તેને અહીં ગમે છે. અહીં ઘણું આવે છે પણ કેઈકને ગમે છે. માજશેખથી ઉદાસ થાય ત્યારે ભક્તિ ગમે. પ્રીતિ અનંતી પર થકી, જે તે ડે હોતે જોડે એહ કે, પરમ પુરુષથી રાગતા, એકતા હો દાખી ગુણગેહ કે.” (દે. ૧) સંસારને મેહ છોડે એ મોટી વાત છે. બે રસ્તા છે. મને રથને ખાડો પૂરવા જાય તે પુરાય નહીં. પુરુષ મળે ત્યારે ફરે છે. કાલે વાત આવી હતી કે પહેલાં રાજવૈભવ ભગવ્યા પણ છેવટે સાધ્વી મળી ત્યારે શાંતિ થઈ. એગ્ય જીવ હોય તેને લાગે કે મારા માટે કહે છે. આ કાળમાં આરાધક જીવ ડાક હોય છે. જી વિરાધક છે. કર્મભાવ દઢ થઈ ગયું છે. વિરાધના કરે છે, આરાધનાની ખબર નથી. કાળ પડતે આવે છે. આયુષ્ય, ધર્મભાવના, પરમાર્થભાવના ઓછી થતી જાય છે. કંઈક પરમાર્થની જિજ્ઞાસાયે નથી. ઘણે સત્સંગ થાય ત્યારે લાગે કે આ પરમાર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy