SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સંગહ ૪ ૧૮૩ દેહ સંગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરી પદાર્થ છે. દેહ રૂપ છે અને આત્મા અરૂપી છે. રૂપ-રસ–ગંધ-સ્પર્શ–શબ્દથી રહિત આત્મા છે. જ્ઞાન દર્શન આદિ આત્માના ગુણે છે. દેહ દશ્ય છે, આત્મા દ્રષ્ટા છે, જેમ છે તેમ પદાર્થને જાણે તે ભાવનિદ્રા દૂર થઈ કહેવાય. મેહનિદ્રામાં હોય ત્યાં સુધી ભાન ન થાય. મુમુક્ષુ–૧ પ્રહર ભકિતક્તવ્ય, ૧ પ્રહર ધર્મકર્તવ્ય. એમાં ફેર ? પૂજ્યશ્રી–મેં પ્રભુશ્રીજીને પૂછેલું. પછી પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે જ્ઞાનીની આજ્ઞા મળી તે વીસદેહરા, ક્ષમાપના વગેરે મેઢે કરેલું ફેરવીએ એ ભક્તિ. ધર્મ તે આત્મસ્વભાવ છે, પિતાના સ્વભાવમાં રહેવું તે ધર્મ છે; તે આગળ ઉપર ખબર પડશે. કષાય મંદ પડે તેથી સ્વભાવમાં રહેવાય. મનુષ્યભવ દુર્લભ છે. પુરુષને ચેગ, દીર્ઘ આયુષ્ય એ પણ દુર્લભ છે. દેહ છૂટી જાય તે કરવું રહી જાય. થડે કાળ પણ ભક્તિમાં ગાળવે. ધર્મનું સ્વરૂપ અનુભવ થશે ત્યારે સમજાશે. આત્મસ્વભાવ એ જ ધર્મ છે. પાંચ ઈન્દ્રિયના વિષય, કષાય, સ્વચ્છેદ ટાળવા. મુમુક્ષુ-“ઊર્ધ્વમૂલ તરુવર અધ શાખા રે, છંદ પુરાણે એવી છે ભાખા રે, અચરિજવાળે અચરિજ કીધું રે, ભક્ત સેવક કારજ સીધું રે.” (૩૦ ૯) એટલે શું ? પૂજ્યશ્રી–આશ્ચર્યકારક વાતે મહાપુરુષ છવને વિચાર કરવા માટે કહે છે. ઉપર મૂળ અને નીચે ડાળે, એવાં વચને વિચાર કરવા માટે કહે છે. શરીરની રચના એવી જ છે. જેનાથી શરીરનું પોષણ થાય છે તે જીભ ઊંચે છે; બીજું નીચે છે. બધાનું મૂળ શું? તે વિચારવા કહ્યું છે. દેહ તે હું એમ થઈ ગયું તે સંસારનું મૂળ છે. એને બધે વિસ્તાર તે સંસાર છે. એ ભ્રાંતિ થઈ ગઈ છે. એ ભૂલ નીકળે તે સ્વસ્વરૂપ પ્રાપ્ત થાય. પોતાનું સ્વરૂપ અદશ્ય છે, તે બધાને આધાર છે. - ૫૫ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૭, ૨૦૦૮ વાંચીને વિચારવાની કાળજી રાખવી. લક્ષ્મી કઈ વખતે આવે ને કઈ વખતે જાય. દુખ છે તે સુખ મનાય છે. બેટી માન્યતા એ જ દુઃખ છે. હું દેહ છું, દેહ પવિત્ર છે એ વિપરીતતા છે. વિષ્ટાને ઘડે હેય તેને દેવે તે પવિત્ર થાય? દેહને સારો ગણે, નાન કરાવે, દેહની સંભાળમાં ખોટી થાય, દેહમાં આનંદ નથી છતાં દેહથી આનંદ માને એ બધી વિપરીતતા છે. જગતને સારું દેખાડવા આખી જિંદગી ગાળે છે, પણ લેકના કહેવાથી કંઈ હિત ન થાય. પિતાને માટે કરવું છે. લેક મૂકે પિક. જેમ જેમ નિર્મળતા વધે તેમ તેમ અવધિ, મન:પર્યવ આદિ જ્ઞાન થાય છે, પણ ક્ષપશમભાવ હોવાથી પડવાને ભય છે. ખાસ જરૂરી છે થતજ્ઞાન છે. જ્ઞાનાવરણીય કર્મની અનેક પ્રકારની વિચિત્રતા છે. પહેલાં દર્શન મેહ મંદ કરવાને છે. પછી સમકિત થાય છે. એ વિના બધું અવળું છે. મેહનીય કર્મના બે ભેદ છે એક દર્શનમેહનીય અને બીજું ચારિત્રમેહનીય. પહેલામાં પહેલાં વિપરીતતા ટાળવી. જીવ અનિત્યને નિત્ય માને છે, દેખાય છે તે એમનું એમ રહેવાનું નથી છતાં સાચું માને છે. ક્ષણે ક્ષણે આયુષ્ય જાય છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy