SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ બેજબૂત જ્ઞાનીનું કહેલું કાનમાં પડે તે પણ મહાભાગ્ય છે. સાંભળતાં પણ જીવને ભાવ થાય છે. જ્ઞાનીએ કહ્યું તે સાંભળવું. સહ જાત્મસ્વરૂપ” એ ઓળખવું છે. બીજું તો ઘણુંય જોયું, ઓળખ્યું. આટલું માન્ય કરે તે સમાધિમરણ થાય. મરતી વખતે એક સ્મરણમાં ચિત્ત રાખવું છે, એ નક્કી કરી દેવું. શ્રદ્ધા કરી હશે તેટલું થશે. બધાને આધાર શ્રદ્ધા છે. એક કૃપાળુદેવને માનવા. સાચી વસ્તુ માન્ય થઈ તે કલ્યાણ થઈ જાય. જ્યાં સત્ છે ત્યાં દષ્ટિ રાખવાની છે. આટલા વર્ષોને સરવાળે કાઢે કે જીવન શામાં ગાળ્યું? તો કે પ્રમાદ, વ્યાપારધંધામાં. પણ હવે બાકી રહ્યું તે સારું જીવવું છે, તે આખી જિંદગી સફળ થશે. જે કંઈ સાંભળવા મળ્યું તે સંઘરી રાખજે. લક્ષ રાખ. વારંવાર સાંભરે તો વધારે દઢ થાય. આટલે કાળ જે કર્યું તે બધું બીજું, પણ હવે પરવસ્તુ છે તે ખંખેરી આત્માને નિર્મળ કરે. આત્માનું કશું નથી. જ્યાં જ્યાં બંધાયે છે તે બધાથી છૂટવું છે. સહજ આત્મસ્વરૂપ થવું છે. તે માટે સદ્દગુરુદેવ જે તે સ્વરૂપ થયા છે તેમને જ માનવા છે. આત્મસાધના કરીને માનવભવ સફળ કરે છે. તે માટે મંત્ર—મરણ કરવાનું છે. જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” સદ્દગુરુ દ્વારા પિતાનું સ્વરૂપ સમજવું છે. એ સમજાશે તે છુટાશે. મેક્ષ મેળવવાને પુરુષાર્થ એ જ ખરે પુરુષાર્થ છે. સર્વ કરતાં એ લક્ષ રાખ. - ૫૪ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૬, ૨૦૦૮ મુમુક્ષુ-“રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું. નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાને • પ્રયત્ન કરજે.” એમ કૃપાળુદેવે પુષ્પમાળામાં કહ્યું છે. તે ભાવનિદ્રા એટલે શું? પૂજ્યશ્રી–રાત્રિ એટલે શું ? પ્રભાત થયું એટલે શું? રાત્રિમાં કંઈ કામ થાય નહીં. રાત્રિમાં રસ્તો દેખાય નહીં. એવી પરાધીન દશાને રાત્રિ કહે છે. મનુષ્યભવ મળે તે સવાર જે છે. સવારમાં જે કંઈ કામ કરવું હોય તે થઈ શકે. આ મનુષ્યભવ મળે તે પ્રભાત થયું. મેક્ષમાર્ગ સમજાય એ લાગ આવ્યે. બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય આદિરૂપ રાત્રિ વ્યતીત થઈ. મનુષ્યભવ મળે તે પ્રભાત છે. પુષ્પમાળા મઢ કરવા જેવી છે. આપણે જેને રાત્રિ કહીએ છીએ તે એમને નથી કહેવી. પણ ગંભીર આશયવાળા શબ્દ છે. રાત્રિ ગઈ એટલે જે વખતે કંઈ કામ ન થાય એવા ભવ છૂટી મનુષ્યભવ મળે. તેમાં શું કરવાથી મોક્ષ થાય? એ બધા રસ્તા દેખાય. નિદ્રાથી મુક્ત થયા એટલે બેઈન્દ્રિય તેઈન્દ્રિય આદિ પરાધીનદશા છૂટી ગઈ ભાવનિદ્રા એટલે મેહ છે. મેહમાં ઊંઘે છે. દર્શનમેહ છે તે દેહને આત્મા અને આત્માને દેહ મનાવે છે. એ મોટી ભૂલ છે. ભાવનિદ્રા દૂર થાય ત્યારે દેહ અને આત્મા ભિન્ન લાગે. દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કેના અનુભવ વસ્ય?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy