________________
સંગ્રહ ૪
૧૮૧ તત્વમાં એને પ્રેમ લાગે ત્યાંથી ભક્તિ શરૂ થાય છે. શ્રવણ કરવાની ઇચ્છા જાગે. કઈ તરુણ સ્ત્રી સહિત સુખી છતાં તે છોડી દેવી ગાયન સાંભળવા પ્રેરાય છે, તેમ પાંચ ઇદ્રિના વિષયેથી ઊઠી પ્રભુમાં પ્રેમ લાગે. પછી મનન થાય, નિદિધ્યાસન થાય. ભક્તિ એ આત્મા છે. જાગે તે થાય.
ભક્તબીજ પલટે નહીં, જે (જુગ) જુગ જાય અનંત;
ઊંચનીચ ઘર અવતરે, આખર સંતકો સંત.” ભક્તિ એને ગમે તે સાથે જાય. સમકિત જેવી જ છે. એ રસ્તે છે. સ્વછંદ, પ્રમાદ, મિથ્યાગ્રહ, ઇન્દ્રિયવિષય બધું ટળે એવી ભક્તિ છે. ભક્તિનું ફળ એ આવવું જોઈએ.
પ૩ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૫, ૨૦૦૮ જે અર્થે મનુષ્યભવ મળે છે, તે સમજણ કરવાની છે. સત્સંગ પહેલામાં પહેલે કરવાનું છે. સત્સંગ તે પુણ્ય હેય તે મળે, તે પણ જ્યારે સત્સંગ ન હોય ત્યારે સત્સંગથી જે આજ્ઞા મળી હોય તે આરાધે. જેમ જેમ ભક્તિ થશે, તેમ તેમ આત્મા નિર્મળ થશે. “સદ્ગુરુની ભક્તિથી.... ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે...સ્વછંદ માટે અને સહેજે આત્મબંધ થાય.” (૪૯૩).
સપુરુષના આધારે આત્મસ્વરૂપ જણાય છે. આ કાળમાં એક અપૂર્વ પુરુષ પાક્યો છે. એના ઉત્તમ ગુણે આપણું હૃદયમાં વસે, તેથી એ કહે તેમ મનાય અને તેથી આત્મજ્ઞાન થાય છે. એ ટૂંક રસ્તે છે. જ્ઞાનીની આજ્ઞાએ વૃત્તિ રહે તે ભક્તિ થાય. ભકિતને પાયે સદાચાર છે. એ વિના ભક્તિ ન થાય. જેને સાત વ્યસનને ત્યાગ હેય તેને અગતિ ન થાય.
સહજાસ્મસ્વરૂપ પરમગુરુ મંત્રમાં વૃતિ રાખવી. એ અભ્યાસ પાડી દેવાનો છે. મરતી વખતે પણ જ્યાં સુધી ભાન હોય ત્યાંસુધી સ્મરણ કરવું.
કૃપાળુદેવનું કહેવું મારે માનવું છે એટલી શ્રદ્ધા કરવી. “આત્માથી સૌ હીનાએ માનવું. ગમે તેટલા ચમત્કાર જોઈએ, પણ કૃપાળુદેવને જ માનવા. એથી ચઢિયાતું આ કાળમાં કેઈ નથી. શ્રદ્ધા એ પહેલી છે. ધર્મને પામે છે, પછી મોક્ષમકાન ચણશે, બધું થશે. આત્મા તારે છે, એ ભૂલીશ નહીં. એકલે આવ્યા ને એકલે જવાને, સાથે કશું ન આવે. એક એક વચન દઢ થાય તે વિચારવામાં કામ આવે. મંત્ર મળે છે તે ગાડીમાં કે ગમે ત્યાં ફેરવ. શુચિ અશુચિ ગણવાની નથી. બધી વખત બોલાય એ મંત્ર છે. કઈ સાચી વસ્તુ કહે છે તે મારે પરભવમાં સાથે લઈ જવાની છે. જન્મ થયે તેથી સુખદુઃખ બધાં છે, પણ બધાથી સ્નાન સુતક કરીને ચાલી જવાનું છે. અવિનાશી આત્મા છે. મરે એ નથી. હું તે નહીં જ મરું એમ દઢ કરવાનું છે. આ પકડવાનું કહ્યું છે કે
જ્યાં સુધી ભાન હોય, શ્વાસ હોય ત્યાંસુધી “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” જપવું. ગમે તેટલું દુઃખ હેય પણ એમાં વૃત્તિ રાખવી. ભાન હોય ત્યાંસુધી એમાં જ ચિત્ત રાખવું. પૈસાટકા કઈમાં ચિત્ત રાખવું નહીં. અત્યારે ભાન છે તે આત્માનું કલ્યાણ થાય તેમાં વૃત્તિ રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org