________________
૧૭૯ જરૂર છે. કૃપાળુદેવને એક ગ્લૅક વાંચતાં હજાર લેક યાદ આવતા. વાંચવું, વિચારવું. જ્ઞાનીએ કહ્યું છે તે સાચું છે. બધું સત્ સમજવા માટે કરવાનું છે. આપણું કામ પુરુષાર્થ કરવાનું છે. ફળની ઉતાવળ ન કરવી. કેમ કશું થતું નથી ? એટલા દિવસ થયા, એમ ન કરવું
પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને પૂછ્યું, મંત્રનું સ્મરણ ખૂબ કર્યું, પણ કશું દેખાતું નથી. કૃપાળુદેવે કહ્યું કે દેખવા કરવાની ઈચ્છા ન રાખવી, શું દેખવું છે? જારી રાખો.
મુમુક્ષુ–વાંચું છું, પણ વિચાર નથી આવતા.
પૂજ્યશ્રી–આવશે. મનને શેકવું. પહેલાં મૂડી હોય તે વેપાર થાય ને? તેમ પહેલાં જ્ઞાનીનાં વચનેને સંગ્રહ કરવાને છે. આત્માર્થે બધું કરવું છે, એ લક્ષ રાખ. આપણે સારા થવું છે. સારી સારી ગુણકારી વસ્તુ ગ્રહણ કરવી. કેઈને દુઃખી કરે નથી. ઉત્તમતા, ઉદારતા કેઈની સાંભળવામાં આવે તે મારે એવા થવું છે, એવી ભાવના કરવી. વિશાળ દષ્ટિ રાખવી. વારંવાર સાંભળ્યું હોય, વિચાર્યું હોય તે એને યાદ આવે અને સારા ભાવ થાય. લાગણી જેમ જેમ વધારે થશે તેમ તેમ પછી કેમ વર્તવું? શું કરવું? શા માટે કરવું છે? એવા વિચારો આવશે. જ્યારે ઈચ્છા જાગશે ત્યારે લાગશે કે આત્માના હિત માટે કરવું છે. એ લક્ષ થશે.
સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા--આધીન જે.” સ્વરૂપને લક્ષ રાખીને ભગવાનની આજ્ઞાએ વર્તવું. શું કરવાથી પાપ, પુણ્ય, નિર્જર, આસવ, બંધ થાય છે? કેમ જીવવું? એ બધાય વિચાર કરવાના છે. આ મનુષ્યભવમાં ઉત્તમમાં ઉત્તમ લાભ થાય એવું કરવાનું છે. કામ કરવા બેસે તે ખબર પડે. જે જાણ્યું છે તેને આધારે પેતાને વિચાર કરવાનું છે. કરતાં કરતાં ખબર પડે, આગળ વધે. પિતાનું જીવન કેમ ગાળવું? એનો વિચાર બધાએ કરવાનો છે. સત્સંગ, સશાસ્ત્રને પરિચય રાખી, એમાંથી મારે કેમ જીવવું ? એમ વિચારવું. મેડને ઉદય છે ત્યાં સુધી મારે શું કરવું ? એ વિચારવું.
નથી ધયે દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” પહેલાં એ તે ખસેડી નાખવા છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં તણાવું નથી. પરિગ્રહમાં તણાવું નથી. એમાં બેટી નથી થવું. એની એ ગડમથલમાં જિંદગી ગાળવી નથી. મનુષ્યભવની દુર્લભ ક્ષણે છે. માટે કઈ ક્ષણ આપણને લાભ દઈ જાય તેમ કરવાનું છે. કંઈ નહીં તે
સ્મરણ કરવું, વાંચવું, વિચારવું. ખોટી ટેવમાં મન ન જાય, એવું કરવાનું છે. ચેતતા રહેવાની જરૂર છે. કઈ વસ્તુ પ્રત્યે આસક્તિ થાય તે પછી એના એ જ વિચાર આવે. બીજા વિચાર મનમાં ઘર કરી જાય એમ ન કરવું. જેને મોક્ષે જવું છે તેણે બીજા વિચારે કરવાના નથી. મેઢે કર્યું હોય તેને ફેરવવું, વિચારવું, તેના અર્થ સમજવા. એ ન સમજાય તે બીજાને પૂછવા. શ્રવણ પછી ધારણ થાય છે, પછી સમજાય. સમજાય પછી વિશેષ વિશેષ સમજવાને પુરુષાર્થ કરે. એ બધા વિચારના ભેદો છે. બધાને સહેલે ઉપાય સત્સંગ છે. સત્સંગમાં દેષ દેખાય, દેષ કાઢવાને પુરુષાર્થ થાય, વિચાર જાગે. પ્રમાદમાં ન રહેવું. ગમે તેટલી હોંશિયારી હોય તે પ્રમાદમાં બેઈ બેસે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org