________________
૧૮
કરવાનો છે. પરમાર્થભાવનાની જેને ગરજ છે તેને સમાધિમરણ થાય એવું છે. સમાધિમરણ એ મેટી વાત છે, જેવી તેવી વાત નથી. “ભગવતી આરાધના એ સમાધિમરણ કરવા માટે શાસ્ત્ર છે. એનાં હજારેક પાનાં છે. મરણ પાસે છે એમ ગણું ભાવ સુધારવા.
જુદા જુદા મુમુક્ષુઓ હય, તેઓએ જે વાંચ્યું હોય તે તેઓ આવીને બીજા મુમુક્ષુઓને કહે છે તે એને મદદરૂપ થાય છે. સત્સંગથી પિતાના દોષ દેખાય, દેશે ટળે, સ્વછંદ ટળે. બધા દેષ સત્સંગમાં ટળે.
પર શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૩, ૨૦૦૮ પ્રાણ જતાં પણ પ્રતિજ્ઞાભંગ ન કરું, એવી ટેક રાખવી, પાપનાં કારણે છેડે તે સારે ભવ મળે. નહીં તે કાગડા કૂતરાના ભવ મળે, તેમાં ભક્તિ આદિ કંઈ ન થાય. જેનાં ભાગ્ય હોય તેને સારી વસ્તુ સૂઝે. સરલ જીવ હોય, કુલધર્મને આગ્રહ ન હોય, તેને સારી વસ્તુ ગમે છે. ધર્મમાં પણ “મારો ધર્મ' એમ થઈ જાય છે. પણ જેથી કલ્યાણ થાય તે ધર્મ છે. પુણ્ય હોય તે સત્સંગમાં રહેવાય. ઘણું પુણ્ય ચઢે ત્યારે અહીં અવાય. જેમ બીજા પ્રયજન માટે વાત કરીએ છીએ એવું આ દેહમાં રહેલા આત્માને માટે કરવાનું છે. જેને છૂટવાની ઈરછા જાગી છે તેણે પોતાનાં પરિણામ તપાસવાં. જગતમાં બધે દુઃખ છે. વૃત્તિઓ બહાર ભટકે છે. અહીં સુખ મળશે, ત્યાં સુખ મળશે, એમ શેધે છે. સાચા અવલંબનમાં મન સ્થિર થાય છે. કૃપાળુદેવનાં વચને આ કાળમાં તીર્થકરનાં વચને જેવાં છે. એક વચન વાંચે તે આનંદ આવે. “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયે, છતાં સિદ્ધિ થઈ નહીં.” (૨૪) જીવ અનંત કાળથી ભટક ભટક કરે છે, તેનું શું કારણ?
સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય;
સત્સાધન સમજ નહીં, ત્યાં બંધન શું જાય ?” જે ઘણું ઘણું કરીને થાક્યા છે તેનાં આ વચન છે. ઘણું કર્યું તેય જન્મમરણ છૂટ્યાં નહીં. પિતાને અનુભવ જ કૃપાળુદેવે કહ્યું છે. કરુણા આવવાથી કહ્યું છે. સાચી વસ્તુ કલ્પનામાં આવે એવી નથી. જ્ઞાનીએ જે જોયું છે તેને આધારે વિચાર કરે. પહેલું કરવાનું : “ કંઈ જાણતો નથી. સાચું જ્ઞાનીએ જાણ્યું છે. જ્ઞાનીએ યથાર્થ જાણ્યું છે. કલ્પના હશે ત્યાં સુધી સાચું બેસશે નહીં. કલ્પના કરવાની નથી. જ્ઞાનીએ આત્મા જાણ્યું છે તેવું છે. મારે તે જાણવે છે, એમ રાખવું. આત્મભાવના કઈ? તે કે જ્ઞાનીએ ભાવી તે. જ્ઞાનીના આશ્રયે ભાવના કરવાની છે. કલ્પનાથી જીવ છેતરાય છે. એટલા માટે જ કૃપાળુદેવે પહેલું એ જ કહ્યું—“બીજું કાંઈ શેધ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વિત્યે જા.” (૭૬)
મેક્ષે જવું હોય તેણે જ્ઞાનીને શેકી તેની આજ્ઞામાં વર્તવું. જ્ઞાની જાણે છે એમ રાખવું. સારાખેટાની કલ્પના ન કરવી. મંત્ર મળે છે તે ક૯૫ના ટાળવા માટે છે. મંત્રમાં મન ન રહે તે કપના થાય નહીં તે ન થાય. કંઈક વિચાર થાય એ માટે ઘણું વાચનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org