SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૪ ૧૭૭ જ્ઞાન થઈ જાય, આવી આવી મનુષ્યભવની અમૂલ્ય ક્ષણે છે. આપણે તે સ્મરણમાં ચિત્ત રાખવું. દુઃખથી ગભરાવું નહીં. જે થવાનું હશે તે થશે. હું તે કૃપાળુદેવને શરણે છું એમ રાખવું. પહેલાં જે ભક્તિ કરી હતી, ભાવના કરી હતી, તેથી આ વખતે આશ્રમમાં અવાયું. ભક્તિનું ફળ મળ્યું છે. આખરે આ જ કામનું છે. જેટલું ધર્મમાં ચિત્ત રહેશે, તેટલે લાભ થશે. દર્શન કરવાની ભાવના કરવી. ભાવનાથી જ ફળ છે. જે આપણને મંત્ર મળે છે, પ્રભુશ્રીજીએ આજ્ઞા કરી છે, એમાં અહીં સૂતાં સૂતાં પણ વૃત્તિ રહે તે એ સત્સંગ જ છે, આત્માને હિતકારી છે. મંત્રમાં વૃત્તિ રહે તે હિતકારી થાય. આત્મામાં શાંતિ રાખવી. મનમાં કૃપાળુદેવનું શરણું હોય તે કલ્યાણ થાય. સારા ભાવ કર્યા હોય તે સારા સંગ મળી આવે. મનમાં આપણે ભાવના કરવી. જેટલી ભાવના થાય તે બધું કૃપાળુદેવ જાણે છે. ભાવ પ્રમાણે ફળ થાય છે. સહજત્મસ્વરૂપ પરમગુરુ, સહજત્મસ્વરૂપ પરમગુરુ, સહજાન્મસ્વરૂપ પરમગુરુ.” ૫૧ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૧૪, ૨૦૦૮ સમાધિમરણ કરવાનું હોય તે અત્યારથી જ તૈયારી કરવાની છે. અગિયારમે ગુણસ્થાનકે સ્પર્શીને દેહ છૂટે તે સર્વાર્થસિદ્ધિમાં જાય. આટલે પુરુષાર્થ કર્યો હોવા છતાં દેવલેકમાં જાય. આખી જિંદગીમાં જે કર્યું હોય છે, તે મરણ વખતે આવીને ઊભું રહે છે. છેવટે જેવી મતિ તેવી ગતિ. કેવળજ્ઞાન થતાં સુધી ભય છે. પરમાર્થભાવ સમજાવે મુશ્કેલ છે. સમ્યગ્દર્શન થયે પણ નિત્ય એ ભાવ રહે એવું નથી. એ એમને એમ આવતું નથી. આત્મવિચારે, સદ્વિચારે, ઉદાસપણે જે ભાવ થાય છે તે કઈ વિરલાને જ થાય છે. રૂઢિ આધીન ધર્મ કરવાવાળા ઘણા છે પણ પરમાર્થધર્મ તે કઈ સમ્યગ્દષ્ટિને જ દેખાય છે. જે ભાવ વધારે સેવાયો હોય તે મરણ વખતે આવી ઊભું રહે છે. જ્યારે મરણ આવશે ત્યારે પરમાર્થભાવ કરીશું એમ નિરાંત કરીને બેસી જવાનું નથી. અત્યારે જ મરણ પાસે છે એમ વિચારીને અત્યારથી જ કરવા માંડયું. દેહ સંબંધી વિચારે અત્યારે છોડી દઈ વિચાર કરે કે આત્માનું ખરું સ્વરૂપ શું છે? તેને વિચાર કરવાનું છે. રૂઢિભાવ મૂકી પરમાર્થભાવમાં આવવું. જેણે આત્માને ઉદ્ધાર કરવાનો નિશ્ચય કર્યો છે, તેને તે જ્યાં દેહ છૂટે ત્યાં સમાધિમરણ થશે. આ જીવને જ્યારે આત્મભાવના ટકી રહે, ત્યારે સમાધિમરણ થાય. આત્મપરિણામ સુધરે તે આત્મજ્ઞાન થાય. આપણને આત્માની ખબર નથી, પણ જેણે જાણે છે તેમાં વૃત્તિ રાખે તે સમાધિમરણ થાય એવું છે. સમકિત થવાને એ જ માર્ગ છે. જ્યાં દી છે ત્યાં દીવેટ મળે તે દિ થાય. લેકના કહ્યાથી આપણું કલ્યાણ થવાનું નથી. જોકે એ છાપ આપી તે કામ ન આવે. અંતર્મુખવૃત્તિ કરી પોતાનું જીવન પલટાવવાનું છે. અંતર્મુખવૃત્તિ ન થાય ત્યાં સુધી ગમે તેટલી બાહ્ય ક્રિયા કરે, તેથી આત્માનું કલ્યાણ થવાનું નથી. સમ્યગ્દર્શન વગર ગમે તેટલું કરે તે પણ પાર ન આવે. આપણું અંતરૂપરિણતિ ફરે એવું કરવાનું છે. એક આત્માનું જ કલ્યાણ ગમે ત્યાંથી કરવું છે એ એકાંત નિય ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy