________________
બેધામૃત રાતદિવસ મુનિઓ સ્વાધ્યાય અને યાનમાં લીન રહે છે. બધી દ્વાદશાંગી ભાણીને રાતદિવસ ફેરવે છે. અમુક શાસ્ત્ર ફેરવતી વખતે સાંજને અમુક વખત છે, અમુક શાસ્ત્ર ફેરવતી વખતે સવારને અમુક વખત છે, બપેરને અમુક વખત છે, એમ એમને ખબર પડે છે. એમને ઘડિયાળનું કામ ન પડે.
મતમતાંતરમાં ન ખેંચાવું. મધ્યસ્થભાવમાં રહેવું તે સારું છે. સન્શાસ્ત્રનું અવલંબન લઈ વિચારવું તે સારા ભાવ થશે અને સમજાશે. વૈરાગ્યમાં ઘણું વિધ્રો આવે છે. અપાર અંતરાય છે. મતમતાંતરમાંથી છૂટીને સન્શાસ્ત્રોને અભ્યાસ કરશે તે કોઈ દિવસે પાર આવશે. દેડથી આત્મા ભિન્ન છે એમ સાંભળ્યું, તેને વિચાર કરે કે આ દેહ આત્માથી ભિન્ન છે; પછી નિર્ણય થાય કે એમ જ છે–એમ શ્રવણ, મનન અને નિદિધ્યાસન કહેવાય છે. ત્યાગવૈરાગ્ય એ ચિત્તની શુદ્ધિ છે. આત્મા મલિન હોય ત્યાંસુધી બંધ ટો નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ ત્રણને લીધે જીવને મલિનતા થાય છે.
૫. શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૧૨, ૨૦૦૮ પૂિજ્યશ્રી બ્રહ્મચારીજી એક ભાઈને ત્યાં તેમનાં બા માંદાં હતાં, તેથી ગયા હતા. ત્યાં થયેલે બેધસાર-]
સ્મરણ કરવું. “સહજાન્મસ્વરૂપ પરમગુરુ, સહજાન્મસ્વરૂપ પરમગુરુ” એમ બેલ્યા કરવું. પહેલાં જે કામ નથી થયું તે કરવાનો વખત આવ્યા છે. પ્રભુશ્રીજીએ છેલ્લું એ જ કહ્યું છે કે જ્યાં સુધી ભાન હોય ત્યાંસુધી “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું સ્મરણ કરવું. ઘણું ભામાં સમાધિમરણ થયું નથી, તે આ ભવમાં થાય એવું છે. બધાને જ્યારે ત્યારે દેહ તે છોડવાને જ છે, પણ આશ્રમમાં જેને દેહ છૂટશે તેનું સમાધિમરણ થાય એવું છે, એમ પ્રભુશ્રીએ કહ્યું હતું.
આપણે ચિત્રપટનાં દર્શન કરી વિશ દેહરા, યમનિયમ, ક્ષમાપના વારંવાર બલવાં અને “સહજાન્મવરૂપ પરમગુરુ” નું વારંવાર સ્મરણ કરવું. જગતને તે ઘણું જોયું છે. હવે આ જગત ભણી ન જેવું. ભાવના પ્રમાણે બધું થાય છે. આટલે ભવ સંભાળીને સ્મરણમાં ગાળ. “સહજાન્મસ્વરૂપ” એ જ સદ્દગુરુનું ખરું સ્વરૂપ છે. એ જ ઈચ્છવું. બીજું કશું ઈચ્છવું નહીં. મનુષ્યભવમાં ઘણું કામ થાય એવું છે. મતની ઈચ્છા ન કરવી અને જીવવાની ઈચ્છા પણ ન કરવી. જે થવાનું હોય તે થાઓ. આપણે તો સ્મરણ કર્યા કરવું. બીજા ભવમાં એ ન થાય. આ તે મનુષ્યદેહ છે. આમાં બધું થાય. મરવું તે બધાને છે જ. પણ “જીવીશું ત્યાં સુધી ભક્તિ કરીશું એમ રાખવું. જે થવાનું હોય તે થાઓ. આપણે તે જે વેદના આવે તે બધું ખમી ખૂંદવાનું છે, સહન કરવાનું છે.
કેઈને ભાવ આશ્રમ પ્રત્યે થાય એમ કરીએ તે આપણને પણ લાભ થાય. કૃપાળુદેવ ઉપર જેને શ્રદ્ધા હોય તેની સેવા આપણને મળે તે ઘણે લાભ થાય. આપણું પણ સમાધિમરણ થાય. જેટલું થાય તેટલું ભક્તિ સ્મરણ કરવું. પ્રભુશ્રીજીને યાદ કરવા. જ્યાં આપણને મંત્ર મળે હોય, પ્રભુશ્રીને જ્યાં દીઠા હોય, તે બધું સૂતાં સૂતાં યાદ કરીએ. મનુષ્યભવની એક એક ક્ષણ બહુ દુર્લભ છે. કેઈક ક્ષણમાં સમકિત થઈ જાય, કઈ સમયે કેવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org