SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સગ્રહ ૪ ૧૯૫ આજના દિવસ સારા ગાન્યા પછી કાલે જિવાશે તેા કાલના દિવસ સારા ગાળજો. કાલની વાત કાલે. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' એક ક્ષણુ પણ નકામી ન જાય, એ સાચવવાનું છે. પહેલાં ભાવના કરી તેથી આ મળ્યુ છે. હવે છૂટવાની ભાવના કરે તે છુટાશે. ધર્મના પાયા સમ્યગ્દર્શન છે. સાચી વાત માનવાની છે. સમભાવમાં રાગદ્વેષ હાય નહીં. જગત ભણી જુએ તે રાગદ્વેષ જ થાય. એને જોતાં આવડતુ નથી. આત્મા જોચે નથી. સત્સંગમાં જગતને ભૂલી જવું છે અને એક સમભાવને આદર આપવાના છે. સંસાર શું છે? મેહના વિકલ્પા છે. હવે અંતમુ ખ ષ્ટિ કરવી. એના ખપી થવું. આત્મામાં દૃષ્ટિ કરે તે આત્મા દેખાય. ઊપજે માહુ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલાકતાં, વિલય થતાં નહિ વાર.” (૯૫૪) મારી અંતમુ ખ ષ્ટિ કયારે થશે? એવી ભાવના થાય તેા કાઈક વખતે એવુ થાય. ૪૭ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૯, ૨૦૦૮ સમ્યગ્દર્શનસહિત હાય તે સાચુ જ્ઞાન છે. જ્ઞાનીની આજ્ઞાનું ફળ એ છે. મનુષ્યભવ મળ્યા છે. કૂતરા ખિલાડા આપણા જેવા જીવે છે. તેઓએ સારાં કમ ન કર્યાં તેથી એવા ભવ અને આપણે સારાં કર્મો કર્યાં તેથી મનુષ્યભવ મળ્યા છે. પુણ્યના ઉદયે ધમ કરવાની ભાવના થાય છે. કંઈક સાંભળવાનું, વિચારવાનું, ધમ કરવાનું થાય, કઈક ભક્તિ કરીએ અને ઘેાડું વાંચવાનું રાખીએ. એથી સંસ્કાર પડે ૪૮ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૧૦, ૨૦૦૮ જગમની જુક્તિ તા સર્વે જાણીએ.'' (૬૦૭) સત્પુરુષની દશા તે અમે જાણીએ છીએ. શરીરની સમીપ પણ વિદેહી દશા રહે. સંગ ન હોય. ભગવાન જંગમ તીથ રૂપ છે, એમ ગેપીએ કહેતી હતી. ગેાપી કયાં ભણવા ગઈ હતી ? પ્રેમરૂપી અગ્નિ લાગે તે બધાં કર્મ બળી જાય. પરાભક્તિ એ કેવળજ્ઞાન થવાનું ખીજ છે. પરાભક્તિમાં લીન થઈ જાય એટલેા પ્રેમ સદ્ગુરુમાં લાગે તે કેવળજ્ઞાન પ્રગટાવે એવું ખીજ છે. આગમ કઈ જોવાં ન પડે, પેાતાના હૃદયમાં બધાં આગમ આવીને વસે. સદ્ગુરુથી ઘણા લાભ થાય એવું છે. ત્રણ પાઠે, આત્મસિદ્ધિ, છ પદના પત્ર હીરાના હાર જેવાં છે. માટે રાજ ખેાલવાં, ૪૯ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૧૧, ૨૦૦૮ સારા વિચાર થાય તે કામ કરી લેવું. ધમના કામમાં ઢીલ ન કરવી. ખારમા ગુણસ્થાન સુધી શ્રુતનું અવલંબન છે, એનાથી લાભ થાય છે. (વ્યા. ૪-૪૯) વીતરાગ પુરુષાનાં વચનામાં વૃત્તિ રાખે તેા કષાય મંદ પડે; અને કષાય મંદ પડે તે શાંતિ થાય. શ્રુતનું અવલંબન ન હોય તે જ્ઞાનીપુરુષને પણ કોઈ વખતે ચપળપણું થઈ જાય છે, કારણ કે કાળ એવા જ છે. ઉપશમસ્વરૂપ પુરુષોએ કહેલાં વચને ઉપશમને અર્થે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy