________________
બધામૃત એ ન હોય તે સલ્ફાસ્ત્રનું વાચન કરવું. ક્યારે મરણ આવશે તે ખબર નથી, માટે આત્માનું હિત થાય તેવું કરવાનું છે. બીજા ભવમાં કંઈ થાય? સાચા પુરુષનું શરણ રાખવું. કામનું છે તે કરવાનું છે.
પૂર્વે જે જે ભાવ ક્ય છે, કર્મ બાંધ્યા છે તે ફૂટયાં છે. ફળરૂપે દેખાય છે. આત્માનું હિત કરવું છે એ લક્ષ હોય તે પછી લેકે ગમે તેમ બોલે. “લેક મૂકે પિક” એ દૃષ્ટિ રાખવી. તેને હર્ષ શેક ન કરે. “જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી.” (૩૭) ચેતવા જેવું છે. સંસારી જીવો ખાડામાં પડયા છે. તેમાંથી નીકળવાનું છે. હું ક્યારે મેક્ષે જાઉં? એ ભાવના કરવાની છે.
પાંડે હતા તે મુનિ થયા. આકરા ઉપસર્ગ આવ્યા. ત્રણ ભાઈએ પરમાત્મામાં વૃત્તિ રાખી તે પરમાત્મા થયા. અને બે જે વિચારમાં પડ્યા, કે ધર્મરાજા કમળ છે, તેમને શું થતું હશે? તે રહી ગયા. પારકું કરવા જાય તો પોતાનું પડ્યું રહે. ત્રણે ભાઈ સમભાવ રાખીને મેક્ષે ગયા અને બે દેવલેક ગયા.
શ્રીમનાં વચને અલૌકિક છે. સમજાય તે અનંત આગમ આવી ઊભાં રહે. જેને આત્મજ્ઞાન ન હોય તેને દેહના દુઃખથી દુખ લાગે છે. પણ પ્રભુશ્રી આત્મજ્ઞાની હતા તેથી વ્યાધિ છતાં આત્મા પરમાનંદસ્વરૂપ છે એમ તેમને લાગતું. જીવે આત્માની સંભાળ નથી લીધી. દેહમાં ને દેહમાં રાચે રહ્યો છે. મરણ આવે તે કંઈ આત્મા મરવાને છે? પિતાની બુદ્ધિ કામ આવે એવી નથી એટલે કઈ જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તે કામ થાય. સત્સંગને રોગ દુર્લભ છે. સત્સંગનું એક વચન ચૂંટી ગયું તે કામ થઈ જાય. દેખાય તે જોવાનું નથી. નથી દેખાતે તે આત્મા જેવા જેવું છે. આ દષ્ટિ કરવાની છે. આત્માને સંબંધ છે તે સંગ છે. તે વીખરાઈ જશે. આત્મા ત્રણે કાળ રહે એવે છે. સંબંધ છે એ તે આવે અને જાય. જીવ જુએ છે, આસક્તિ પામે છે, મારું તારું કરે છે. એથી બંધન છે. જેમ છે તેમ જાણવું. બીજામાં ફસાઈ ન પડવું.
આ કાળમાં વિકથા બહુ વધી પડી છે. એમાંથી બચવું બહુ મુશ્કેલ થઈ પડયું છે. દુર્લભ વસ્તુ આત્મજ્ઞાન છે. કેઈ વખતે જ્ઞાનીના વચનમાં ચિત્ત જાય તે બહુ લાભ છે. એને લાગે કે આ જ કર્તવ્ય છે, તે પછી એને રસ આવે. મનુષ્યભવની ક્ષણે છે તે અમૂલ્ય છે. કેઈક વખતે એને સમકિત થઈ જાય, કેઈ વખતે કેવળજ્ઞાન થઈ જાય, કેઈ વખતે મિક્ષ થઈ જાય. આવી અમૂલ્ય મનુષ્યભવની પળે છે. પાસે છે પણ ઓળખતું નથી. માટે ઓળખાણ કરી લે, એવું કહે છે-“અબુધ અને અશક્ત મનુષ્ય પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદૂભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે.” (૮૪૩) તરતાં ન આવડતું હોય તે પણ આશ્રયથી તરાય. સંસારી વાતથી સંસાર વધે. સત્સંગમાં જે વાતે થાય છે તેમાં લક્ષ રાખો કે જ્ઞાની શું કહે છે? બીજું બધું સત્સંગમાં ભૂલી જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org