SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ બાધાત વીતરાગભાવ છે તેટલે મોક્ષમાર્ગ છે, એ વીતરાગભાવ શાથી આવે? તે કે વ્રત શીલ આદિથી. એ નિમિત્ત માત્ર છે. એ હોય અને વીતરાગતા ન પણ હોય. વીતરાગભાવ રાખો પિતાને આધીન છે. વ્રત, શીલ આદિ શરીરને આધીન છે. વીતરાગભાવ રાખશે તે મોક્ષ થશે. વીતરાગભાવ ઉપાદેય છે, વ્રતનિયમ ઉપાદેય નથી. નિશ્ચયથી હું સિદ્ધ સમાન છું, એમ માને. નિશ્ચયથી તે સાચી વસ્તુ છે, કલ્પિત નથી. જે બંધનનું કારણ હોય તે મેક્ષનું કારણ ન હોય. ૪૧ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૩, ૨૦૦૮ રાગદ્વેષ નુકસાન કરનારા છે. નુકસાન કરનાર છે એમ લાગે તે સમજણ ફરે. તે રાગદ્વેષ ન કરે. પ્રભુશ્રીજી કહેતા કે ઓળખાણું ખાણ છે. એળખાણ થાય તે પલટાઈ જાય. અજાજી ને આંધળે બરાબર છે. રાગથી જીવ આંધળા થાય છે. અજ્ઞાન અંદર બેઠું છે, તેને ભય નથી. હમણાં અહીં સાપ નીકળે ઊઠી જાય. પણ મોહ છે તેને ભય લાગતો નથી. જડ તે જડ અને ચેતન તે ચેતન છે, એ મેહને લઈને સમજાતું નથી. ૪૨ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૪, ૨૮ ૦૮ આ મનુષ્યભવ આપણને મળે છે તે સફળ કરે હોય તે આ કરવું કે –“કેઈ પ્રત્યે રાગ અથવા કઈ પ્રત્યે કિંચિત્ માત્ર છેષ ન રહે. સર્વત્ર સમદશા વતે. એ જ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે.” (૭૮૦) જ્ઞાનીએ કહેલું છે માટે એ કામનું છે. ભગવાનની એ જ આશા છે કે રાગદ્વેષ ન કરવા. મનુષ્યભવમાં જીવ સમજી શકે છે માટે કહે છે. સંસાર ટાળવે હોય તે રાગદ્વેષ ટાળવા પડશે. જ્ઞાની પુરુષોએ કેવળજ્ઞાન પામીને છૂટવાને રતે જે કે આ રસ્તે આવે તે બધું થાય. અપૂર્વ વસ્તુ છે. મહાપુરુષને બહુ ઉપકાર છે. મનુષ્યભવમાં આ એક જ કામ કરવાનું છે કે મારે રાગદ્વેષ નથી કરવા. નથી ધયે દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિચહ ધારવા.” ૪૩ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૫, ૨૦૦૮ બધાં શાસ્ત્રો ભણવા જાય તે પાર ન આવે. માટે જેથી આત્મહિત થાય તે લક્ષમાં રાખવું. પક્ષ પદાર્થ જે છે તે ભગવાનની આજ્ઞાથી માન્ય કરવા જેવા છે. આત્મા સમજો મુશ્કેલ છે, પણ જ્ઞાનીનાં વચને સ્વીકારતાં સ્વીકારતાં એને ભાન થાય કે આ મારું સ્વરૂપ છે. બાહ્ય આડંબરને છોડીને આત્માની સંભાળ લે. શાસ્ત્ર ઘણાં મતિ થોડલી મનમોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મનમોહન મેરે.” (બીજી દષ્ટિ) ૪૪ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૬, ૨૦૦૮ આત્માને આત્મારૂપે જાણે અને પરને પરરૂપે જાણ્યું તે સિદ્ધ ભગવાન છે એમ સમાધિ-શતક”ની પહેલી જ ગાથામાં કહ્યું છે – “જેણે જાણ્યો ખરો આત્મા,–આત્માને, અન્ય અન્યને; અક્ષય પૂર્ણ જ્ઞાની તે, સિદ્ધને ધન્ય ધન્ય છે.” (ગ્રંથયુગલ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy