SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત છે, પણ આત્મામાં કંઈ ચિત્ત રાખતા નથી. જ્ઞાનીએ જેની ના કહી છે, તે જ જીવ કરે છે. કૃપાળુદેવે લખ્યું છે કદાપિ કઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પિષણ પામીએ ? ” (૧૨૮). એ મૂંઝવણ પ્રભુશ્રીજીએ ટાળી. એવું સ્થાન બનાવ્યું. આત્મસાધન ક્યાં કરવું? સંત ક્યાં હોય? એ મૂંઝવણ ટાળી. સત્સંગ કરે, આત્મહિત કરે, એ માટે આ સ્થાન છે. સત્સંગ થાય એવી જગ્યા બડ થેડી છે. તીર્થો તો ઘણાં છે. આ સ્થાન તપવન જેવું છે. પહેલું શ્રવણ કરવાનું. પ્રભુશ્રીજી કહેતા કે “સ ના વિઘા ” સાંભળે તે વિચાર જાગે કે શું કરવાનું છે? કોને કહે છે? આજે પ્રભુશ્રીજીને નિર્વાણદિન છે. અહીં સાંજે છત્રીસ માળા ફેરવાશે. પછી દેરીએ ભક્તિ થશે. ત્યાં ઊંઘવું નહીં. જીવને ખબર નથી, જયાં સુધી મનુષ્યભવ છે ત્યાં સુધી સત્સંગ એ શ્રેષ્ઠ સાધન છે. એથી સહેજે લાભ થાય છે. પહેલામાં પહેલું અને કેટલામાં છેલું એ સાધન છે. ૩૪ શ્રીમદ્ રા, આ. અગાસ, વૈશાખ સુદ ૯, ૨૦૦૮ જ્ઞાનીનું કહેલું કરવાનું છે. જીવની અણસમજણને લઈને વિશ્ન આવે. પણ આપણે એચ એ કરવા તરફ રાખવી. કૃપાળુદેવને શરણે શાંતિ છે. માર્ગ સીધો છે તે ફિકર નથી. સપુરુષના જેગે પ્રમાદ કરવા જેવું નથી. ફરીથી મનુષ્યભવ મળવો દુર્લભ છે. સંસારમાં રહીને અસંગ રહ્યા એ તે કૃપાળુદેવે જ કર્યું છે. મુમુક્ષુ–સમયે સમયે આત્મામાં પરિણમવું એ શું હશે? પૂજ્યશ્રી–આ જીવને સમયની ખબર નથી. કેવલજ્ઞાનીને જણાય. આપણું કામ પુરુષાર્થ કરવાનું છે. ગણતરી જ્ઞાની પુરુષોએ કરી છે. તે જાણી આપણે મેહથી ડરતા રહેવું, તેથી પાછા હઠી આત્મઠિત કરવું જ છે એમ રાખવું અને બને તેટલું કરી છૂટવું. વૈરાગ્ય ઉપશમ વધે એવું વાચન રાખવું. વેરાગ્યઉપશમ વધે તે વચનોને વધારે વિચાર આવે, સમજાય. પૂર્વની કમાણી હેય તે સહેજે વૈરાગ્ય થાય. તે ન હોય તે સત્સંગથી પણ વૈરાગ્ય થાય છે. એ પણ ન હોય તે કંઈક દુઃખને લીધે પણ વૈરાગ્ય થાય છે. અનુકૂળતામાં વૈરાગ્ય ન રહે. બધી છેતરામણી છે. “ફૂ થઈને દેડ છૂટી જાય. મરતાં વાર લાગે નહીં. એક લાંબું રવનું છે. જન્મમરણની વચ્ચેનું સ્વપ્ના જેવું છે. સંસાર શોકરૂપ છે, દુઃખરૂપ છે. એ જીવને દઢ થાય તે દૃષ્ટિ અંદર રહે, નહીં તો છેતરાય. ઉપરથી હાલ સારું લાગે પણ પરિણામે દુઃખ. “પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં.” એ જે સ્થિરપણે વિચારે તે દૃષ્ટિ અંતર ભણી વળે. ભાવના ઉત્તમ રાખવી. આપણાથી ન બને તે પણ ભાવના તે ઉત્તમ રાખવી. દયેય નકકી કરવાનું છે. મનુષ્યભવમાં શું કરવાનું છે તે દયેય નક્કી કરવાનું છે. સારો ધ્યેય હોય તે પછી કેમ પ્રાપ્ત થાય એને માર્ગ શોધવાનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy