________________
સંગ્રહ ૪
ન આવે. આત્મા ઉદ્ધાર મોટી વસ્તુ છે. આત્માના ઉદ્ધાર માટે જે કંઈ કરશે તે સાથે આવશે. મનુષ્યભવ ફરી ફરી ન મળે. દુર્લભ કહેવાય છે. એમાં સત્સંગ પ્રાપ્ત થ દુર્લભ છે. એમાં પણ સત્સંગની ગરજ જાગવી એ કેઈક વખત જાગે છે. સત્સંગમાં મારું હિત છે, એવી પ્રતીતિ હોય તે ગમે તેટલી મુશ્કેલી વેઠી સત્સંગની ભાવના કરે. ભક્તિ એ ધર્મ પામવાનું સાધન છે.
“વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેંદ્રિયપણું આટલા ગુણે જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.” (૪૦). એથી હિત થાય છે. વિચાર કરે તે સમજાય કે સત્સંગમાં જેટલા કષાય મંદ થાય છે તેટલા બીજે નહીં. સહજે વૃત્તિ શાંત થાય. વિશાળબુદ્ધિવાળા જાણે કે જન્મમરણ દુઃખરૂપ છે. એ રેગ અનંતકાળથી લાગે છે. હું ક્યાંથી આવ્યું? ક્યાં જવું? તેની, ટૂંકી બુદ્ધિ છે તેથી ખબર નથી. ગાડું ચલાવે છે, પણ શું કરવું છે? તેનું ધ્યેય નથી. સત્સંગમાં સાંભળવાનું, વિચારવાનું, નિર્ણય કરવાનું મળે છે. પુણ્યના ભેગે સત્સંગ મળે છે.
“હે ભગવાન, હું બહુ ભૂલી ગયેએમ લાગે તે વિચાર આવે કે શું ભૂલ્યા? ભૂલ સમજાય ત્યારે ભૂલથી અટકે. મનુષ્યભવ છૂટવા માટે છે. લાગ આવ્યું છે. છૂટ્યો તે છૂટ, નહીં તે પછી લખારાશીમાં ભટકવું પડશે. ખાસ કરવાનું છે તે પડી રહ્યું છે. જાગ્યા ત્યારથી સવાર. ચિતે તે થાય. જ્યારે ત્યારે ચેતશે ત્યારે થશે. કેઈ કરી આપશે નહીં. પિતે કરવું પડશે. આ કાળમાં ઢીલ કરવા જેવું નથી. પોતાને જ કરવાનું છે. ઢીલ કરે તેટલે છેતરાય છે. કર્યું એટલું કામ. જ્ઞાનીની આજ્ઞા જેટલી ઉઠાવાય તેટલું કરી ચૂકવું.
શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પિતે દુઃખી ?
પિતે શું ? કયાંથી છે આપ ? એને માગે શીધ્ર જવા૫.” (૧૦૭) મને દુઃખ થાય તે કરું કે સુખ થાય તે? દેહને માટે બધું કરે છે. દેડ તે ક્ષણભંગુર છે. દેહના વિચારો આવે પણ આત્માના વિચારે નથી આવતા. દેહ દેખાય છે તેથી ભલે છે. “દેહ છે તે હું” એ ભૂલ છે, તે કાઢવાની છે. આત્મા આત્માને કહે છે. આત્મા સાંભળે, દેહ સાંભળે નહીં. ભીંતની સાથે વાત થાય? દેહ ભીંત જેવું છે. દેહમાં આત્મા છે, એની સાથે વાત થાય છે.
હું, હું કરે છે ત્યાં મોહ છે. મોહનિદ્રામાં પડ્યો છે, મેહ ઓછો થાય ત્યારે વિચાર આવે. “કર વિચાર તે પામ.” જ્યારે જાગશે ત્યારે કામ થશે. “જબ જાએંગે આતમાં, તબ લાગેંગે રંગ.” “કાલે કરીશું, પણ આયુષ્યની કોને ખબર છે? જ્યાં ત્યાંથી ઝટ આત્મહિત કરવાનું છે. દેડના સુખને સુખ અને દેહના દુઃખને દુખ માને છે. કંઈક રંગ લાગે તે આગળ વધે. આત્મા આત્માને કહે છે. ભીંત નહીં સાંભળે. આત્માને કહેવાનું છે. મનુષ્યભવ છૂટવા માટે છે, તેમાં બાંધ બાંધ કરે છે, તે પછી કાગડા કૂતરાના ભાવમાં શું કરશે? તેમાં ન છુટાય. દેડનું કામ તે કઈ કરી આપે, પણ આત્માનું કામ બીજે ન કરી આપે. એ તે પિતે કરશે ત્યારે થશે. ઢીલ કરવા જેવું નથી. પૈસાટકામાં ચિત્ત રાખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org