________________
બધામૃત
છે. કષાયની ઉપશાંતતા વગેરે સાથે સદ્ગુરુને બોધ હોય ત્યારે સંકઃપવિ૫ રેકાય છે. કૃપાળુદેવ તરફ મન જાય તે બીજે ન જાય, તેથી સંકલ્પવિકલ્પ ન થાય.
“આત્મબ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ;” આત્માને આત્મબ્રાંતિરૂપ રેગ થયો છે. સદ્દગુરુ એના વૈદ્ય છે. સંસારનું સ્વરૂપ કેવું દુઃખરૂપ છે તે જ્ઞાનીએ જણાવ્યું છે. આટી ઉકેલવાની છે, તેની ગરજ રહેતી નથી.
પ્રશ્ન—આંટી ખૂંચતી નથી એનું શું કારણ?
પૂજ્યશ્રી–પરવસ્તુમાં રાગ છે તેથી આત્માની એને કંઈ પડી નથી. પરવસ્તુમાં રમણતા છે તેથી પિતાનું કરવા વખત નથી મળતું. વૈરાગ્ય હોય તે થાય. ગરજ જાગે તે થાય. દિશામૂઢ હોય તેને એમ ન લાગે કે હું ભૂલે પડ્યો છું. “હું તે સાચે માર્ગે જ છું” એમ જ માને. ભ્રમ જાય તે આત્મા પ્રત્યે વૃત્તિ જાય. હું દેડ છું એમ માને તેથી પિતે દેડ થઈ જાય એમ નથી. પોતે અરૂપી છે એને નિર્ણય થયો નથી. અજાણ્યો છે. દેખે તેને માને છે. “હું કંઈ ન જાણું, જ્ઞાનીનું કહેલું મને તે સમજાઓ” એ માન્યતા ખરી છે. “હું જાણું છું” એમ કર્યો સદ્ગુરુનાં વચને ચૂંટે નહીં. ભાવ ભાસ જોઈએ. આંટી ઉકેલવી જોઈએ, તે સમયે કહેવાય. ઘટપટને જાણતું હતું તે પછી આત્માને જાણે છે. જ્ઞાન એનું એ, પણ આંટી ટળી ગઈ. સાચું જ્ઞાનીએ જાણ્યું તે. મિથ્યાત્વને પ્રભાવ એવે છે કે જે અર્થે જાણવું છે તે અર્થે ન જાણે. જીવ ઠગા છે. યથાર્થ જે સમજાય તે એને જેમ છે તેમ ભાસે–આત્મા તે આત્મા, દેહ તે દેહ ભાસે. મિથ્યાત્વના ઉદયથી વિપરીત ભાસે છે.
મિથ્યાત્વ એ અવળી સમજણ છે. મિથ્યાત્વના સંગથી જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન તે એનું એ જ છે. મિથ્યાત્વની સેબતનો રંગ લાગ્યો છે, તેથી અજ્ઞાન છે. “હું દેહ નથી એમ ભ્રાંતિ ટળે તે સમ્યગ્દર્શન. મિથ્યાત્વ એ આત્માની વિપરીત અવસ્થા છે, મિથ્યાત્વ એ વસ્તુનું સ્વરૂપ નથી, અવસ્થા છે, વસ્તુ હોય તે નાશ ન થાય. મિથ્યાત્વ અવસ્થામાં કર્મ બંધાય છે. સમજણ ફરે ત્યારે કર્મ નથી બાંધતે.
પુદ્ગલ તે પુદ્ગલરૂપ છે અને ચેતન તે ચેતનરૂપ છે. વિભાવપરિણતિ એ આત્માની જ છે. સમ્યગ્દર્શન એ ગુણ છે, તે બગડી ગયો છે તેથી મિથ્યાત્વરૂપે થયેલ છે. સમ્યફત્વ એ રત્ન છે. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ રત્નત્રય કહેવાય છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી મંદ થાય ત્યારે પુરુષ પ્રતીતિ આવે છે. પરમ પુરુષને વેગ થાય, ભાવ ફરે તે પ્રતીતિ આવે. કઈ પૂર્વારાધક હોય તેને ભગવાનનાં વચનથી પણ સમ્યકૃત્વ થાય છે. અથવા કઈ આચાર્ય પ્રત્યક્ષ હોય, તે સાચા પુરુષની પ્રતીતિ કરાવે છે. જેમકે પ્રભુશ્રીજીએ આપણને કહ્યું કે આ કૃપાળુદેવ સાચા પુરુષ છે. એને તમે માનશો તે તમારું કલ્યાણ થશે. જીવાજીવનું જ્ઞાન થશે.
એમ “કેઈક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કેઈજીવને સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવે છે.”
જેણે જ્ઞાન વૈરાગ્યરૂપ દેહ ધર્યો છે, ભક્તિરૂપ આભૂષણ જેણે ધાર્યા છે, જેણે યોગ્યતા ધારી છે તે જીવ શિવ થાય છે. જે કામ કરવું હોય તેનાં કારણ મેળવવાં પડે. ઊધે રસ્તે કંઈ ન થાય. એને જે રસ્તે હેય તે રીતે થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org