SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧. છે, “આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી.” (૨૫૫). એમ કૃપાળુદેવ માને છે. એટલી દશા છતાં એ ધરાતા નથી. જ્ઞાન પ્રત્યે વિશેષ ભાવ, ભક્તિ થાય તે પ્રશસ્ત છે. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે રાગ તે પ્રશસ્ત રાગ છે. કોઈ જ કુળધર્મવડે ગુરુની ભક્તિ કરે છે. કેઈ છે મુનિના શીલ, તપ, દયા આદિ દેખીને ભક્તિ કરે છે. પણ મુનિ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રને આરાધે છે એવા ભાવથી ભક્તિ કરે તે સાચી ભક્તિ છે. અરિહંતદેવમાં સમવસરણ આદિ દેખી ભક્તિ કરે, ગુરુમાં શીલ, તપ, દયા આદિ ભાવ દેખી ભક્તિ કરે છે, પણ જ્ઞાનદર્શનચારિત્રને એ જાણતો નથી તેથી એને મિથ્યાદષ્ટિ કહ્યો છે. સામાન્ય ગુણે જે બી શાસ્ત્રોમાં હોય છે તે જ જૈનશાસ્ત્રોમાં પણ છે. એ પ્રમાણે શાસ્ત્રભક્તિ કરે છે, એ પણ મિથ્યાષ્ટિ છે. દેવગુરુધર્મની શ્રદ્ધા, સાચી પ્રતીતિ તે વ્યવહાર સમ્યક્ત્વ છે. દેહ અને આત્મા ભિન્ન છે એવા ભાવ થાય તે નિશ્ચય સમ્યક્ત્વ છે. જીવાદિના સ્વરૂપને ન જાણે અને બાર અંગ ભણે તે પણ મિથ્યાષ્ટિ રહે છે. દેહ તે દેહ, જીવ તે જીવ એમ સમજાતું નથી. દેહથી આત્મા ભિન્ન છે, એમ નથી ભાસતું. પાછળ પડે તે થાય. આ મારે કરવું જ છે એમ થાય તો થાય. બીજું પદ–આત્મા નિત્ય છે એમ બોલે, પણ હું નિત્ય છું એમ ભાસતું નથી. ભવિ અભવિ અને મિથ્યાદષ્ટિ હોય; પણ ભવિ તે સમ્યકત્વ કરીને મેક્ષે જવાનું છે, અભવિ ન જાય. બેય દ્રવ્ય જુદાં જાણે--બેય દ્રવ્ય જુદાં છે, ક્રિયાઓ જુદી છે, લક્ષણ જુદાં છે, એ જાણીને પોતાના ભાવ ફેરવવાના છે. જે સમભાવ રાખે તેને છૂટવાનું કારણ થાય છે અને વિષમભાવ રાખે તેને બંધનું કારણ થાય છે. જે કર્મ ઉદયમાં આવે તેને સમભાવે ભગવે તે નવાં કર્મ ન બંધાય. કેવાં કર્મ બંધાય છે તેની ખબર પડતી નથી. ઉદય આવે ત્યારે ખબર પડે. શદ્ધ ચૈતન્યની ભાવનાનો નાશ કરનાર ખ્યાતિપૂજા છે. ભગવાનને ધર્મ આ લેકપરલેકની ઈચ્છા કરતું નથી, આ લેકમાં ખ્યાતિપૂજા અને પરભવમાં દેવલેક આદિ માટે ભગવાનને ધર્મ નથી. ધર્મમાં લૌકિક ઈચ્છા નથી. “લઘુ ગવાસિષ્ઠ-સારના વાચન પ્રસંગે ૩૨ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૭, ૨૦૦૮ પૂજ્યશ્રી–સંસાર એ ઝાંઝવાનાં પાણી જેવો છે, મૃગતૃષ્ણા જેવો છે. સંસારમાં સુખ છે નહીં, જે દેખાય તે ભ્રાંતિ છે. સંસારનાં દુઃખોમાં કટુતા એટલે કડવાશ લાગે છે, છતાં એને જ ઈચ્છે છે–સંસારની જ ઈચ્છા રહ્યા કરે છે, તે માણસ ગધેડા જેવું છે. સંક૯૫વિકલ્પ જીવને દુખમાં દોરનાર છે. સંકલ્પવિકલ્પથી ઊંઘ પણ ન આવે. અલ્પ પણ સંકલ્પ અથવા નિયણું જીવ કરે તે તે દુઃખમાં લઈ જાય. નરકે પણ લઈ જાય. કંઈ પણ સંક૯૫વિકલ્પ ન કરે તો નિર્વિકલ્પ થાય. મન, ઈન્દ્રિ, રેકે તે આત્મા આત્મારૂપે રહે છે. મનને રેકે તે પિતાનું ખરું સ્વરૂપ સમજાય. સંકલ્પવિકલ્પ રયે સિદ્ધના સુખને અનુભવ થાય ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy