________________
સંગ્રહ.૪
૧૫૯ કરવાનાં છે. આપ્તપુરુષનાં બધાંય શાસ્ત્રો સત્ય છે. પ્રજનભૂત તની સમજણ કરવાની છે. બીજી ન થાય તે કંઈ નહીં. પણ એમાં ભૂલ થાય તે મોક્ષ ન થાય. મનવચનકાયાની વર્ગણ પૂર્વે બાંધેલી છે, તે ખળભળાટ કરે છે, તેને વેદી લેવી અને કાં તે શુદ્ધભાવથી શમાવી દેવી. એમ કૃપાળુદેવ લખે છે. (હા. નં. ૩-૨૬) જગતની વસ્તુઓની જેને કંઈ પડી નથી તે નિસ્પૃહ છે.
૩૦ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૫, ૨૦૦૮ જે જીએ જેવાં કર્મ બાંધ્યાં છે તેવા ઉદયમાં આવે છે. પુણ્ય બાંધ્યું હોય તે સારું દેખાય અને પાપ બાંધ્યું હોય તે ખેટું દેખાય. “કર્મ વડે આ સંસાર ભમવે પડે છે.” (મોક્ષમાળા-૩) ચારગતિનું નામ સંસાર છે. મનુષ્ય થાય ત્યારપછી જ કર્મ છોડી મેક્ષે જાય. કઈ પ્રત્યે સનેહ કરવા જેવું નથી. જડભરતે પૂર્વભવમાં હરણથી સ્નેહ કર્યો તેથી હરણ થવું પડ્યું. મનુષ્યભવ સમ્યફ થાય ત્યારે સફળ થાય છે. (ગવાસિષ્ઠ ઉત્તરાર્ધ વાચન)
ભગવાનની કૃપા થાય ત્યારે સશાસ્ત્ર હાથમાં આવે છે. મહાપુરુષની સેવાથી સંસારથી તરવાની યુક્તિ પ્રાપ્ત થાય છે. સંસાર એ મેટ રેગ છે. હું કોણ છું? ક્યાંથી થયે છું? એને વિચાર એ સંસારથી તરવા માટે ઈલાજ છે. એ વિચાર શાથી આવે? તો કે પુરુષથી. સપુરુષના સમાગમથી બહુ લાભ થાય છે. જે દેશમાં પુરુષ ન હોય તે દેશમાં રહેવું નહીં. જ્ઞાની કહે એ જ જ્ઞાન. તે જ વિજ્ઞાન છે. વૈરાગી જીવને પુરુષનું કહેલું સમજાય છે. શિષ્યની પ્રજ્ઞા, એ જ્ઞાનનું કારણ છે. બુદ્ધિ હેય તે ગ્રહણ થાય શિષ્યને ગુરુ કંઈ કહે તે શિષ્ય શીખે એ મર્યાદાપાલન છે. દેહમાં આત્મા છે તે બ્રહ્મ છે. બુદ્ધિશાળી હોય તે આત્માનું ઓળખાણ કરી લે છે. શિષ્યને બુદ્ધિ ન હોય તેને ગમે તેટલે ઉપદેશ આપે તે પણ કંઈ કામ નથી. જીવાત્મા છે એ જ બ્રહ્મ છે. શિષ્યની બુદ્ધિ ગુરુના ઉપદેશને પ્રતિબંધ કરે છે. એની સાથે વૈરાગ્ય હોય તે આત્મજ્ઞાન થાય. એને ગરજ હોય અને બુદ્ધિ હોય તે બરાબર સમજાય છે. આત્મા વડે પોતાને આત્મા જણાય છે. પિતાને અનુભવ થાય ત્યારે આત્મા જણાય છે. શાસ્ત્રોથી આત્મા જણાય નહીં, પણ અનુભવથી જણાય. વૈરાગ્ય, બુદ્ધિ અને સત્ત્વગુણ જોઈએ. દયા, શાંતિ આદિ એ સત્ત્વગુણ છે. એ હેય તે આત્મજ્ઞાન થાય. ગુરુના ઉપદેશને વિચાર કરતાં પિતાને પિતાનું ભાન થાય છે. સાત્વિક ગુણ શિષ્યમાં હોય તો પોતાની મેળે જ આત્મા જણાય છે.
મેક્ષે જવા માટે પ્રજનભૂત સાત તત્ત્વ છે. એની પરીક્ષા કરી લેવી. જેમાં એ સત્ય ભાસે તે શાસ્ત્ર માન્ય કરવું. દેવ, ગુરુ, ધર્મ અને સાત તનું જેવું જૈનધર્મમાં નિરૂપણ કર્યું છે, તેવું બીજાં દર્શનમાં નથી. મોક્ષના રસ્તાને સંસારને રસ્તો બનાવે છે, એ માટે અન્યાય છે. તરવાની જગ્યાએ ડૂબવાની જગ્યા કરે છે, એ મોટું પાપ છે. સંસાર દુઃખરૂપ છે, એથી છૂટવું છે. જન્મવું પડે, મરવું પડે, એ સંસારમાં મોટાં દુઃખ છે, ખાવાપીવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org