________________
સંગ્રહ ૪
મુમુક્ષુ---લોકોને મેક્ષમા દુઃખરૂપ કેમ લાગે છે? પૂજયશ્રી—મુમુક્ષુર્દશા ન આવે ત્યાં સુધી દુઃખ લાગે. મૂકવું પડે છે, તેનુ દુઃખ
લાગે છે.
૨૯
શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ્ર ૪, ૨૦૦૮ આત્માને એળખવા માટે આ મનુષ્યભવ મળ્યા છે. જો આત્માને ન એળખ્યા તે પશુ જેવા જ છે. જ્યારે મિથ્યાત્વ મંદ પડે ત્યારે આત્માની ગરજ જાગે છે. પુરુષાથ કરે તે મિથ્યાત્વ મંદ પડે. સત્ય પુરુષાર્થ જોઈ એ.
૧૫૭
જો ઇચ્છા પરમા` તેા, કરેા સત્ય પુરુષાર્થ.'
એ પુરુષા જાગવાને ઉપાય સત્સ’ગ છે. સત્સંગથી વિચાર અને વિચારથી આત્મજ્ઞાન થાય છે. બધાં દુ:ખને નિર્મૂલ કરવાના ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન કરવા માટે ખીજા બધાં સાધના ગૌણ કરી એક સત્સંગને આરાધવા તથા ગવેષવા, તા સત્સંગનું માહાત્મ્ય લાગે. સત્સંગમાં જે આજ્ઞા મળી હાય તેને ઉપાસે તે સત્સંગ જ છે. “એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વો દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનુ સળંગ સૂત્ર).” (૪૧). એમાં મારેય અંગના સાર કૃપાળુદેવે ક્હી દીધેા છે. આત્માનું હિત થાય એ માટે જ સત્પુરુષાનાં બધાં વચને લખાયાં છે.
દુ:ખ નથી લાગ્યું. દુઃખ લાગે તે તેથી છૂટવા ઇચ્છે. હુ દુઃખી છું એમ એને લાગતુ નથી, શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પાતે દુઃખી ?” એનું ભાન નથી શારીરિક વેદના હેાય ત્યારે દુઃખ લાગે છે પણ અનાદિ કાળથી જન્મમરણ કરતે આવ્યા છે તેનું દુઃખ લાગતું નથી. કૃપાળુદેવે મેાક્ષમાળામાં ચાર ગતિના પાઠમાં (શિક્ષાપાઠ ૧૮) લખ્યું છે કે “એક તરુણ સુકુમારને રમે રામે લાલચેાળ સૂયા ઘેાંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગુણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લે.હી, પુરુમાં લગભગ નવ મહિના અહેારાત્ર મૂર્છાગત સ્થિતિમાં વેદના ભાગવી ભાગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભાસ્થાનની વેદનાથી અન’તગુણી વેદના ઉત્પન્ન થાય છે.” મરણ સમયે એથી વધારે વેદના થાય છે. બધા પ્રદેશો ખેંચાઇને બહાર નીકળે છે. મરણુ વખતે એને ક્રેડ ખેડવા ગમતા નથી, પણ આયુષ્ય પૂરું થવા આવ્યું હાય છે, તેથી દેહુ છૂટટ્યા વગર રહે નહીં. માટે સમાધિમરણની તૈયારી કરી રાખવી. દેવગતિમાં જ્યારે દેવનું આયુષ્ય પૂરું થવા આવે છે, ત્યારે છ મહિના પહેલાંથી દુઃખ લાગે છે. ત્યારે જીવ મહુ જ દુ:ખી થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે મિથ્યાદષ્ટિ દેવા હોય છે તેઓને મરણ પહેલાં છ મહિનાથી સાતમી નરક જેટલું માનસિક દુ:ખ હાય છે.
ઉષ્ણ ઉદક જેવા રે આ સ ́સાર છે, તેમાં એક તત્ત્વ મેલુ રે સમજણ સાર છે.” બધાના સાર સમજણુ છે. દેહ ને આત્મા જુદા સમજાય તે પારકી પંચાતમાં ન પડે, આત્મા અને દેહને એક માને છે તે દેહાધ્યાસ છે. દેહાધ્યાસ છૂટે ત્યારથી ધર્મની શરૂઆત થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org