________________
બેધામૃત ચારિત્ર છે. પિતાનું સ્વરૂપ ન જાણ્યું ત્યાં સુધી કર્મ જ બાંધે છે. ભાવ વધતાં કર્મ ખસે છે.
પ્રેરક અવસર જિનવર, સખિ દેખણ દે, મોહનીય ક્ષય જાય રે, સખિ દેખણ દે. કામિતપૂરણ સુરત, સખિ દેખ દે;
આનંદઘન પ્રભુ પાય રે, સખિ દેખણ દે.” (આ૦ ૮) બાહ્ય નિમિત્ત પણ સારાં જઈએ અને આત્માનું બળ પણ જોઈએ.
ચોથે ગુણસ્થાનકે આત્મજ્ઞાન હોય છે. આત્માના બધા ગુણ સ્વાધીન રહે તેથી બળ વધે. આવરણ છે તે પરાધીનતા છે. આવરણ જાય તો નિરાવરણ થાય છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. તીર્થકર નામકર્મ બાંધેલું હોય તેથી ભગવાન ઉપદેશ કરે છે, કાનુગ્રહ કરે છે. એ બધું સ્વાભાવિક થાય છે.
૨૮ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૩, ૨૦૦૮ મુમુક્ષુ–જ્ઞાનચેતના, કર્મચેતના અને કર્મફલચેતના એટલે શું?
પૂજ્યશ્રી—જેને આત્મભાવની મુખ્યતા છે, હું આત્મા છું, અસંગ છું એવી આભાને જેને મુખ્યતા છે, તેને જ્ઞાનચેતના છે. જે જે હું કરું છું, મેં કહ્યું, આ મારું છે એવા ભાવવાળા છે, તેની જેને મુખ્યતા છે તેને કર્મચેતના છે. અને જે જી એકેન્દ્રિય આદિ છે, તેઓને કર્મ ભેગવવાનું મુખ્ય પણું છે એટલે કર્મના ફળ ભેગવે છે, તેઓ પણ કર્મ તે બાંધે છે, પણ મન નથી તેથી કર્મ બાંધવાની વિશેષતા નથી, તે જીવને કર્મફલચેતના છે.
તપ, ભક્તિ, વાચન, વિચાર કરવાની જરૂર છે. વીતરાગભાવથી સંવર થાય છે. કષાય ઘટે તેથી સંવર થાય છે. જેટલા રાગદ્વેષ એાછા તેટલે બંધ છે. વીતરાગતા વધે તેમ તેમ બંધ મંદ થાય. જેને છૂટવું હોય તેને કઈ પર રાગ કે દ્વેષ કરવાના નથી. વીતરાગદશામાં જેટલી ખામી છે તેટલે બંધ વધારે પડે છે. વીતરાગતા સહિત જે વિચાર થાય તે નિર્વિકલ્પદશા છે. ધર્મધ્યાનમાં વસ્તુને સમજવા માટે વિચાર કરે એ કંઈ વિકલપદશા નથી. વિચાર ન હોય તે જ્ઞાન પણ ન હોય. જ્યાં રાગદ્વેષ છે ત્યાં વિકલ્પ છે. રાગદ્વેષ રહિત નિર્વિકલ્પ દશા છે. વિક૯પમાં રાગદ્વેષની હાજરી હોય છે. રાગદ્વેષ રહિત જે વસ્તુને વિચાર કરે તે વિકલ્પ નથી. ઉપયોગ વારંવાર ફરે તેનું નામ વિકલ્પ છે. એક વસ્તુમાં ઉપગ કાય, બીજી વસ્તુમાં ઉપગ ન જાય તે ધ્યાન છે. નિમિત્તને લઈને જેને રાગદેવ થાય છે, તેને આત્મચિંતન રહે તે રાગદ્વેષ ઘટે. નીચી દશાવાળા જીને એ ઉપદેશ કર્યો છે. દશા વદયા પછી દેવકનું, નરકનું ચિંતન કરે તે કંઈ રાગદ્વેષ ન થાય.
મુમુક્ષુ-જ્યાં સુધી સ્વરૂપ ન જાણ્યું હોય ત્યાંસુધી શામાં રહેવું? પૂજયશ્રી–જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવું.
વસ્તુને જાણવાથી દોષ નથી, પણ રાગદ્વેષ કરવાથી દોષ છે. જેટલા અંશે વીતરાગતા છે તેટલા અંશે સમ્યગ્દર્શન છે. જેટલી વિતરાગતા તેટલું નિર્વિકલ્પપણું છે. મેક્ષ સુખરૂપ છે અને મોક્ષને માર્ગ પણ સુખરૂપ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org