SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ છે ૧પપ આદિથી કષ્ટ લાગે છે, પણ જે મોક્ષમાર્ગે ચઢે છે તેને રેલ્વે મારું લાગે છે. ત૫ એ નિર્જરાનું કારણ છે. સમ્યકત્વને કેઈ કારણથી તપ ન થતું હોય તે પણ તે તપને ભલું જાણે છે. ઇચછા રોકવી એ તપ છે. સ્વાધ્યાય કર. એથી વૃત્તિ રોકાય છે. ગળ્યું ગળ્યું ભાવતું હોય તે ન ખાય તે પણ તપ છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વચનવર્ગોણા છે તે કર્મ આવવાનું કારણ છે. “વચન નયન યમ નહિ.” જેટલી વચન, કાયા અને મનની પ્રવૃત્તિ એછી તેટલો ઓછો આસવ થાય. - આત્મા છે એમ જાણું, આત્માનું અસ્તિત્વ સ્પષ્ટ લાગે, તે સમક્તિ છે. જ્ઞાન છે તે અનંત છે. જ્ઞાનની હદ નથી. નિરાવરણજ્ઞાનની સ્થિતિ સાદિ અનંત છે. ૨૭ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૨, ૨૦૦૮ પાપનું ફળ દુઃખ આવે છે. લેકે માંદા પડે ત્યારે મધ ખાય છે, પણ મધથી કંઈ જિવાય નહીં. આયુષ્ય પૂર્ણ થવા આવ્યું હોય તે કોઈ જિવાડે નહીં. માટે મધને ત્યાગ કરે. શુભભાવથી વૈરાગ્ય વધે છે. શુભભાવમાં સુધા આદિની પણ ખબર ન પડે. વેરાગી હૃદય હોય છે ત્યારે સુધા આદિ ઓછાં લાગે છે પુરુષાર્થહીન ન થવું. એક વખતે પ્રભુશ્રીજી ભક્તિ કરતા હતા તે વખતે સ્તવન બોલાતું હતું, તે બંધ રખાવી પૂછયું કે જ્ઞાની પુરુષ ભક્તિ કરે કે નહીં? પછી પોતે જ કહ્યું કે અશુભમાં વૃત્તિ જતી હોય તે અટકાવવા માટે ઉલ્લાસપૂર્વક કરે છે, કેમકે અશુભભાવ ખરાબ છે. શુભભાવથી થોડામાં પતી જાય છે. આત્મા અખંડ છે, અચળ છે, નિત્ય છે. આત્મા જાણ્યો હોય તે જ્ઞાનની સાથે વૈરાગ્ય રહે છે. પરને પર જાણ્યું તે રાગદ્વેષ ન કરે. તેથી પંચાત રહે નહીં. રાગાદિને સમ્યગ્દષ્ટિ સારા માનતું નથી. રાગાદિ મને થાય છે અને તે દુઃખરૂપ છે એવી શ્રદ્ધા ન હોય તે પછી કણ કાઢે ? જીવાજીવને જાણે તે રાગદ્વેષ ન થાય અને ઉદયને લઈને થાય તે સારા ન ગણે. રાગાદિને દૂર કરવા હોય તો પહેલાં તીવ્ર રાગાદિ છોડવા અને શુભમાં પ્રવર્તવું. પછી મંદ રાગાદિરૂપ શુભભાવ પણ છોડીને શુદ્ધમાં આવવું. એ ક્રમ છે. સંવર-નિર્જરાનું કારણ રાગાદિ ન થવા તે છે. પરદ્રવ્યને જાણવાથી આસવ થતું નથી. દેહાધ્યાસ છેડવાને છે, ધર્મને મર્મ તો દેહાધ્યાસ છે એ છે. છૂટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ, નહીં ભક્તા તું તેહને, એ જ ધર્મને ધર્મ.” “એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ.” બધાયથી છૂટે ત્યારે મેક્ષ થાય. જ્યારે સંસાર દુઃખરૂપ લાગે ત્યારે છૂટે. જે સંસાર દુઃખરૂપ લાગે નહીં, સારું લાગે, તે છૂટવાની ભાવના મળી છે એમ જાણવું . બે પ્રકારના સાધુ છેઃ ૧ સ્થવિરકલ્પી, ૨ જિનકલ્પી. સ્થવિરકલ્પી મુનિ મુનિઓ સાથે રહે છે અને જિનકલ્પી એક્લવિહારી હોય છે. અને સમ્યગ્દષ્ટિ હોય છે. આવરણ ઘટે, ચારિત્રમોહ ઘટે તે ક્ષપશમ ચારિત્ર છે. એ વિના જે ચારિત્ર છે તે ઔદયિક ચારિત્ર છે. ચારિત્રમોહને ક્ષય થવાથી આત્માની શાંતિ થાય છે. એ વિના માત્ર વેષ પહેરે તે ઔદયિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy