________________
આધામૃત
૧૫૨
ચિકિત્સા આવે, બીજાના દોષો ઢાંકે, પ્રભાવના કરે, એવા ગુણેા પ્રગટે છે. આત્મા શું હશે ? કેવા હશે ? એવી શંકા ન થાય.
*
વિભાવથી છૂટે તે સ્વભાવમાં આવે. વિભાવથી છૂટવું, સ્વભાવમાં રહેવુ' એ જિનની આજ્ઞા છે એમ કૃપાળુદેવે લખ્યુ છે. હુ કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું.” આત્મા શખ્તોથી ન સમજી શકાય; સ્વાનુભવ વગર ન સમજાય. જગત મારા વિષે ભાસ્યમાન હાવાથી અભિન્ન છે; પણ જગત જગતસ્વરૂપે છે, હું સ્વરવરૂપે છું, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે; તે ખન્ને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નાભિન્ન છે.” જ્ઞાનમાં ભાસે છે તે તે ચૈતન્યસ્વરૂપ છે. જ્ઞાનપરિણતિ આત્મા જ છે. એ જ્ઞાનની પરિણતિ છે તે આત્માથી જુદી નથી. જ્ઞાનની પરિણતિ તે ચેતન છે. જ્ઞાનમાં જે જગત દેખાય છે તે જ્ઞાનથી ભિન્ન નથી, કારણ કે તે જ્ઞાનાકારે થાય છે. વસ્તુ સમજવી બહુ મુશ્કેલ છે. જગત જે જ્ઞાનાકાર નથી પણુ જગતરૂપ છે તે ભિન્ન છે. વિભાવ પરિણતિ છૂટે ત્યારે એ વિચારો આવે. એ વસ્તુ ભિન્ન છે તે સમજવા માટે આ છે. આમાં મૂલ વસ્તુ બતાવી છે. “ શુદ્ધ નિવિકલ્પ ચૈતન્ય.” (હા. ન. ૩૭)
૨૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૦)), ૨૦૦૮ જીવને સૂમ મિથ્યાત્વ હાય પણ તેની ખબર ન પડે. ઉપરથી જીવને હું સદૈવને માનુ છું એમ હાય પણ અંદર હાય મિથ્યાત્વ. એ સૂક્ષ્મ મિથ્યાત્વ છે. એકલા નિશ્ચયનયને માને તે એકાંત મિથ્યાત્વ છે. “સવ જીવ છે સિદ્ધ સમ” પણુ સમજે તેા. સ`સારી હાય અને માને કે હું સિદ્ધ છું, તે મિથ્યાદષ્ટિ છે. દ્રવ્યથી આત્મા સિદ્ધ સમાન છે પણ પર્યાય અપેક્ષાએ સિદ્ધ નથી. જેમકે, રાજા અને ગરીબ માણસની અપેક્ષાએ સમાન છે, પણ રાજાપર્યાંય અને ગરીમપર્યાયની અપેક્ષાએ સમાન નથી. સિદ્ધપર્યાય ન પ્રગટયો હાય અને પેાતાને સિદ્ધપર્યાય સમાન માને તે મિથ્યાદષ્ટિ છે. દ્રવ્ય કે પર્યાયને એ જણુતા પણ ન હાય અને કહે કે હું સિદ્ધ સમાન છું', એ પણ મિથ્યાત્વી જ છે. જેવું નથી તેવું માને તે મિથ્યાર્દષ્ટિ છે. જીવનુ સ્વરૂપ કેવળજ્ઞાનસ્વરૂપ છે. આત્મામાં કેવળજ્ઞાન પ્રગટ છે પણ આવરણથી ઢંકાયેલું છે એમ માને તે ભ્રમ છે; કારણ કે કેવળજ્ઞાન પ્રગટ હાય તે કઈ ઢાંકી શકતું નથી. શક્તિપણે કેવળજ્ઞાન છે પ પ્રગટ નથી. કર્મોને લઈને જ્ઞાન સર્કાચ પામી મતિરૂપ થઈ ગયું છે. કના નિમિત્તે કેવળજ્ઞાનને અભાવ જ છે. ચાર ધાતિક ક્ષય થયે જ પ્રગટે છે. ચૈતન્યપણું એ પારિણામિક ભાવ છે તેથી તેને અભાવ થતા નથી. કેવળજ્ઞાનની આત્મામાં શકિત છે તેને વ્યક્ત ન થવા દે તે કેવળજ્ઞાનાવરણુ છે. પાણીને સ્વભાવ જેમ શીતળ છે તેમ આત્માના સ્વભાવ કેવળજ્ઞાન છે પણ પ્રગટપણે નથી. કેવળજ્ઞાનના અભાવ માને તે પણ મિથ્યાદૃષ્ટિ છે, જે રાગાદિ છે તે બીજાએ કર્યા નથી, પાતે જ કર્યાં છે. જીવ અને કમ અને મળીને કરે છે એમ નથી. ભાવકમ કઈ પુદ્ગલને થતાં નથી. ચેતનથી જ થાય છે. રાગાદિની ઉત્પત્તિ કાઈ ખીજો કરે છે એમ માને તે મિથ્યાષ્ટિ છે. ભાવકમ નિજકલ્પના, માટે ચેતનરૂપ,’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org