SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન— ૧૫૦ બેધામૃત ખરે આત્મા--આત્માને, અન્ય અન્યને” (સમાધિશતક-૧) સિદ્ધ ભગવાને પહેલું એ કર્યું છે. પહેલું કરવા જેવું એ જ છે. સુખનું ભાન નથી. પાંચ ઈન્દ્રિમાં સુખ મેળવવા જાય છે તેથી પાછાં કર્મ બંધાય છે. પતંગિયું દીવામાં પડે એમ વિષયકwાપમાં પડે છે. “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે.” પતંગિયું જેમ જ્યારે દીવાથી આઘે હોય ત્યારે દીવા તરફ જવાની ઈચ્છા કરે છે, તેમાં સુખ માને છે પણ તેની પાસે જતાં સુખ ટળે છે. અનાદિ કાળથી કર્મ છે. આત્મા બળવાન થાય તે કર્મને જીતી જાય છે, નહીં તે કર્મ એને જીતી જાય છે. પ્રશ્ન-યાદ કેમ નથી રહેતું ? પૂજ્યશ્રી–જેટલી ગરજ હોય તેટલું યાદ રહે. વંચાતું હોય ત્યારે ઉપગ બહાર હોય તે યાદ રાખવાની શક્તિ હોવા છતાં યાદ ન રહે. “નહીં કપાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય; સરલપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય.” એટલે શું ? પૂજ્યશ્રી–કષાયની ઉપશાંતતા ન હોય, અને અંતરવૈરાગ્ય નહીં એટલે બહારથી વૈરાગ્યને ડોળ કરે પણ અંતરથી વૈરાગ્યભાવ ન હોય. બીજાને દેખાડવા માટે ડોળ કરે. સરળપણું ન હોય, માયા કરે. મધ્યસ્થભાવ એટલે આગ્રહ રહિતપણું ન હોય. તે દુર્ભાગ્ય છે. મધ્યસ્થતા આવવી બહુ અઘરી છે. આગ્રડ હોય તેથી જ્ઞાનીનું કહેવું મનાય નહીં. જ્ઞાની કહે ત્યારે એમ વિચાર કરે કે એમાં મારે ધર્મ તો આ નહીં. હું કંઈ જાણત નથી, એમ થવું બહુ મુશ્કેલ છે. હું સમજું છું, હું જાણું છું એમ કરે છે, પણ “જાણ્યું તે તેનું ખરું, જે મેહે નવિ લેપાય; સુખ દુઃખ આવ્યું જીવને, હર્ષ શોક નવિ થાય.” (–પ્રીતમ) ભવે ખેદ આવે ત્યારે વૈરાગ્ય થાય. “ઘણું કરીને મનુષ્યાત્મા કેઈ ને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી.” (૨૫૪) ૨૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૧૪, ૨૦૦૮ તત્ત્વદૃષ્ટિએ વેતાંબર અને દિગંબરમાં ભેદ નથી. જે ગુણગ્રાહી છે, જેને ગુણથી ખપ છે, તે સારું સારું બધે જુએ છે. કૃપાળુદેવે ધર્મસંબંધી બહુ વિચાર કર્યા છે. એવા પણ મત છે કે જે કહેવરાવે તે જૈન અને હાય નહીં. તે જૈનાભાસ છે. ઘણું પુણ્ય હેય અને થોડું પાપ થતું હોય તે તે ઘણા પુણ્યની અપેક્ષાએ પાપ નથી. વીતરાગતા સેવાય તેટલે ધર્મ થાય છે. પ્રભુશ્રીજી કહેતા કે કઈ છ મહિના ઉપ. વાસનું તપ કરે અને કઈ પિતાને ગાળો ભાંડતો હોય તેને છ મહિના સુધી સમભાવથી સહન કરે એનું છ મહિનાના ઉપવાસ કરતાં વધારે ફળ થાય છે, કેમકે, તપ કરીને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy