SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ બેધામૃત સમ્યગ્દર્શન થાય પછી શ્રદ્ધા જાય નહીં. ભગવાન સાચું કહે છે. તેની આરાધના જે કરતા હોય તેની પાસે જાણીને ઉપાસના કરવી. મિથ્યાત્વમાં પરિણમ્યું હતું ત્યાંથી ફરી આત્મામાં પરિણમ્યું. ત્યાં આત્મા જ ફર્યો છે. અનંતાનુબંધી જાય ત્યાં સ્વરૂપમણુતા થાય છે. સમ્યગ્દર્શન સાથે જ સ્વરૂપ રમણતા શરૂ થાય છે. સમ્યક્ત્વીને મોક્ષની મીઠાશ લાગે છે. ધર્મજનિત પણ ભોગ ઈહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે.” એ સમ્યફવનું લક્ષણ છે. ૨૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ચિત્ર વદ ૧૨, ૨૦૦૮ જેનું ભલું થવાનું હોય તેને સારા ભાવ થાય છે. પ્રશ્ન– “તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્પર્વત; નહિ બીજાને આશરે, એ ગુહ્ય જાણે સંત” એને અર્થ છે? પૂજ્યશ્રીઆપની મુદ્રા અને વાણુને સમ્યગ્દષ્ટિ આદરે છે. બીજાને એ ગમે નહીં. મૂર્તિ એ ભગવાન જ છે એમ લાગે છે. બીજા જીવનું એટલું ગજું નથી, કે મૂર્તિ જોઈને કેવલજ્ઞાનનું સ્વરૂપ સમજાય. સમ્યગ્દર્શન થવાનું એ કારણ છે, ધ્યાનનું કારણ છે. ભગવાન છે તે ચૈતન્યની મૂર્તિ છે. “એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડેલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચેતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ છે.” એવું સ્થિર ભગવાનનું સ્વરૂપ છે. શુક્લધ્યાનથી કેવી દશા થાય છે, તે બતાવવા માટે પ્રતિમા છે. તારી મુખમુદ્રા અને વાણીને સમ્યગ્દષ્ટિ પુરુષે આદરે છે. પ્રશ્ન–બીજા ન આદરે? પૂજ્યશ્રી–બીજાને એ ન ગમે. જેનું ભલું થવાનું હોય તેને જ ગમે. સમ્યક્ત્વનું એ કારણ છે. જે સમ્યકત્વ પ્રાપ્ત કરવા તરફ વળે છે, તેને પણ એ ગમે છે. મૂર્તિ એ ભગવાન જ છે. પ્રશ્ન–“નહીં બીજાને આશરે, એ ગુહ્ય જાણે સંત”, એટલે શું? પૂજ્યશ્રી– બીજા જે મૂર્તિ દેખીને કેવળજ્ઞાનનું સ્વરૂપ ન સમજી શકે. ભગવાનની મૂર્તિ ચૈતન્યસ્વરૂપ છે અને તે અડોલ એટલે અચળ છે. “એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા એવું સ્વરૂપ જાણે તે સંત છે. પ્રશ્ન-ગુપ્તદાન એટલે શું? પૂજ્યશ્રી-કઈ જાણે નહીં એવી રીતે દાન દેવું કે જેથી પિતાને લેભ છૂટે અને અભિમાન ન થાય. દાન લેનારને પણ પરાધીનતા, દીનતા ન થાય એ ગુપ્તદાન છે. લેભ છોડવા માટે દાન કરવાનું છે. દેવેલેકની ઈચ્છા વગર દાન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy