SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ فية સંગ્રહ ૪ મક, શૂરવીર થા. જે નડે છે તેને કૃપાળુદેવ કહે છે કે – “હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા! હે મેડ ! હે મેહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરે છે ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ.” (હા. નં. ૨-૧૯) પ્રશ્ન–મેહદયા એટલે શું ? પૂજ્યશ્રી–મેહ પિષાય અને કહે કે આ છોકરાં છે, તે બિચારાને કમાઈ આપું, નહીં તે તેઓનું શું થશે? એવી દયા તે મહદયા છે. બૈરાંછોકરાંને માટે કરવું પડે છે, તે મેહુદયા છે. મારી સાથે પહેલાં પેટલાદમાં એક છોકરા ભણત હતું. હું અહીં આશ્રમમાં રહ્યો. પછી એક વાર તે મને મળવા આવ્યું. ત્યારે તેણે કહ્યું કે તમે ત્યાગ કર્યો અને મેં ત્યાગ ન કર્યો તે શું ? મારે કંઈ સાથે આવવાનું નથી અને તમારે પણ આવવાનું નથી. એમ મહયા છેતરે છે. વ્રતનિયમ લીધાં હોય તે તે મડદયાથી ઢીલાં પડી જાય. ૨૧ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૧૧, ૨૦૦૮ મોટું પુસ્તક-વચનામૃત વાંચવું, ઘણા વૈરાગ્યનું કારણ છે. આત્મામાં કંઈ ભેદ નથી. વેદાંતી જૈન એ દેહના ધર્મો છે. આત્મા કંઈ વેદાંતી જૈન નથી. “આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજ ચગ્ય છે.” (૩૭૫) જેમ કૃપાળુદેવે કહ્યું તેમ છે. હું કોણ? એને વિચાર નથી આવતા. ચૈતન્ય છે. આત્માને સ્વભાવ અચિંત્ય છે. આત્માને સ્વભાવ તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. “ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન જાણનાર તે ભાન નહીં, કહિયે કેવું જ્ઞાન.” આત્મા ન હોય તે મડદું છે, બાળી નાખે. સમ્યગ્દષ્ટિની શ્રદ્ધા સવળી હોય છે. રાગદ્વેષ નથી કરવા એમ ભાવના રહે છે. vએક વાર સમતિ થયું અને ફરી મિથ્યાત્વમાં આવે તે સાદિમિથ્યાત્વ છે. સુખનું કારણ સમ્યક્ત્વ છે. પૈસાટકા આદિને સુખ માને છે, પણ એ સુખ નથી. સમ્યકત્વ આવે ત્યારે એને સુખ પ્રાપ્ત થાય. સમ્યત્વ વિના મોક્ષ થાય નહીં, સમજાય પણ નહીં. એનું માહાસ્ય હોય તે એવા મહાત્માને શેળે. જ્યાં સમ્યક્ત્વ પ્રગટ છે એવા મહાત્માને શેળે. ભક્તિનું કારણ એ જ છે. ગુણ છે તે ગુણથી અળગો રહેતું નથી. મહાપુરુષ પાસે સમ્યગ દર્શન હેય. બીજે સમ્યકત્વ જેવા જાય તે મળે નહીં. સંસારનું દુઃખ કેટલું ભેગવ્યું છે, એને હિસાબ આવે એ નથી. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્ય દુઃખ અનંત.” અનાદિથી ભોગવતે આવ્યું છે, છેડે આવે નહીં. દેખતભૂલી છે. જેણે જે ગુણેને ઓળખ્યા છે, તે તેની સાથે વાત કરે છે. પ્રશ્ન-“કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે.” એટલે શું ? પૂજ્યશ્રી—કંઇ કરવાનું રહે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy