SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત સ્વરૂપમાં રમણતા થવાથી મેક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાને હતો?” (૬૮૦) સ્વરૂપ રમણતા થાય પછી કઈ પણ વસ્તની ઇચ્છા રહેતી નથી. પછી પોતે પિતાને કહે છે – “અહો! અહો ! હું મુજને કહું, ન મુજ નમો મુજ રે;” મને ધન્ય છે કે વીતરાગને કહેલે પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે તે તરફ મારુ વલણ થયું ! પિતે ધન્ય છે એમ લાગે છે. - “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.” (૨૫૪) એ વિના ભક્તિ આવતી નથી. એક ભાઈ_“તારી ગતિ તું જાણે છે કેવ; મરણ ભજન તે વાચક યશ કરે છે.” એટલે શું? - પૂજ્યશ્રી–હે ભગવાન, તારું અદ્ભુત રૂપ દેખીને આત્મા અરૂપી બને છે, મોક્ષ પામે છે. એ શાથી બને છે? તે કે “તાડરી ગતિ તું જાણે છે દેવ.” મને ખબર નથી, પણ તું જાણે છે. હું તે તારું સ્મરણ ભજન કરું છું. જ્ઞાનીની આજ્ઞાથી લાભ થાય છે. કેઈના કહેવાથી ધર્મ કરવામાં પાછું ન પડવું - X અસંગ થવાનું છે. “હું અસંગ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું.” એવી જીવે ભાવના કરવાની છે. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ” “મારું તારું” આભાસ છે, ખરું તે છે નહીં. જેને ભેદ પડે છે તેને આ જુદું લાગે છે. “કલ્પિતનું આટલું બધું માહાભ્ય શું?” (૫૭૬) જન્મમરણ કરવાનું કારણ મારું તારું છે. આત્મા તે શુદ્ધચૈતન્યસ્વરૂપ છે. જંગલમાં બેઠા બેઠા મુનિએ આત્માનું ચિંતન કરે છે કે “આત્મા પ્રાપ્ત કરવા જેવું છે, “પુરુષાર્થ વિના સિદ્ધ થાય એમ નથી.” એમ ઉપનિષદમાં વચને છે. એવાં આ કૃપાળુદેવે પણ છુટક છુટક વચને લખ્યાં છે. યાજ્ઞવક્ય નામે બ્રાહ્મણ હતે. તે જનકરાજાના દરબારમાં જાતે. એક વખત રાજાએ તેને પૂછ્યું, ત્યાગનું સ્વરૂપ કેવું છે? બ્રાહ્મણે કહ્યું, કાલે કહીશું. પછી તે ઘેર ગયે. તેને મૈત્રેયી અને કાર્યાયિની નામે બે સ્ત્રીઓ હતી. તેમને ધન વહેંચવા લાગ્યું અને કહ્યું કે તમે અધું અધું વહેચી લે. હું તે ત્યાગ લઉં છું. મૈત્રેયીએ કહ્યું, ધનથી મોક્ષ મળશે? તે વિચારવાની હતી તેથી કહે, મોક્ષ મળતું હોય તે આપ. પછી તેણે પણ ત્યાગ લીધે અને કાર્યાયિનીને ધન આપ્યું. પછી બીજે દિવસે યાજ્ઞવલ્કય જનકરાજાના દરબારમાં ગયે. રાજાએ જાણી લીધું કે આ ત્યાગનું સ્વરૂપ છે. વગર કહે જાણી લીધું. કૃપાળુદેવને પરને અનુગ્રહ થાય એવી વૃત્તિ હતી. કૃપાળુદેવ કહે છે કે “તું પતે પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા.” (હા. . ૨૧૮). તે પછી બીજાના ઉપર અનુગ્રહ થશે! ચૈતન્ય જિનપ્રતિમા થવાને કાળ છે? તે કે એવી કલપનાથી નિર્વિકલ્પ થા. કાળને એક બાજુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy