SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. બોધામૃત છે તેથી હું શરીર છું એમ થઈ ગયું છે. મનુષ્યપર્યાય તે જ હું એમ થઈ ગયું છે. આત્મા અને દેહને એક ક્ષેત્રાવગાહી સંબંધ છે. બેય પદાર્થ જુદા છે અને જુદાં જુદાં કામ કરે છે, છતાં જવ પિતાને ભૂલી જાય છે. આત્મા તે જાણનારો જુદો છે. છતાં મિથ્યાત્વને આડે વિચાર જ નથી આવત, વૃત્તિ આત્મામાં જતી નથી. મિથ્યાત્વ મંદ થાય અને સત્સંગ થાય, ત્યારે મારું શું તે જણાય. - મિથ્યાદર્શન અવની સમજણ છે. જે પદાર્થ પ્રત્યક્ષ જુદા દેખાય છે, સ્ત્રી પુત્ર કાકા વગેરે, તેને પોતાના માને છે. શરીર નાશ પામવાનું છે, છતાં સદા રહેવાનું હોય એમ માને છે. બીજાને મરતા જુએ છે છતાં મારું શરીર અનિત્ય છે એમ સમજાતું નથી. કર્મ બંધાય એવાં કારણોમાં રાગ થતો હોય તે તેને સુખનાં કારણે માને છે. પૈસા કમાવા જાય ત્યાં શરીરને દુઃખ થાય, પરિશ્રમ પડે તોય તેને સુખ માને છે. જીવ અજીવ ભિન્ન ન ભાસે તે અયથાર્થ જ્ઞાન છે અને તેવી શ્રદ્ધા તે અયથાર્થ દર્શન છે. ક્રોધ કરવાનો મારો સ્વભાવ પડી ગયો છે, એમ માને છે. કર્મને લઈને ભાવ થાય તે પિતાને સ્વભાવ નથી, વિભાવ છે. જ્ઞાન દર્શન એ આત્માનો સ્વભાવ છે. સ્વભાવને સ્વભાવ અને વિભાવને વિભાવ માનતા નથી. મિથ્યાદર્શન બધે નડે છે. આથી મને કર્મબંધ થાય છે એમ સમજાતું નથી. દષ્ટિ બાહ્ય છે તેથી પિતાના ભાવ સુધરે છે કે નહીં તે જાણતો નથી. બધા દુઃખનું કારણ મિથ્યાત્વ છે, કષાય છે. પિતાને ક્રોધ થતું હોય તેથી પિતાને દુઃખી નથી માનતે, પણ એમ માને છે કે એણે મને ગાળો ભાંડી છે તેથી દુઃખી છું. આ ભાવ કરું છું તેનું ફળ શું આવશે? એ ભાસતું નથી. કષાયની તીવ્રતા હોય તેથી નરકમાં જાય છે અને મંદ કષાય હોય તે દેવલેકમાં જાય છે. ત્યાં દેલેકમાં પણ વ્યાકુળતા થાય છે તે ભાસતી નથી. જે ભાવથી કર્મ આવે છે તે આસંવ તવની શ્રદ્ધા નથી. તેથી કર્મને લઈને હું દુઃખી થાઉં છું એમ માનતો નથી. એક વખતે જે કર્મ આવ્યાં તે આઠે ભાગમાં વહેંચાય છે અને પ્રકૃતિબંધ કહે છે. કર્મ આપણું આખેથી ન દેખાય. એ સુકુમ છે. કેવલી જાણે છે. બંધતત્ત્વની શ્રદ્ધા નથી એ મિથ્યાત્વ છે. આસ્રવ ન જાણે તે સંવરની ખબર ન પડે. જીવે કર્મ રોકાય એવું કર્યું નથી. સંવરથી સુખ થાય છે એની એને ખબર નથી. તેથી બીજા ઉપાય સુખ થવાના કરે છે. ૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૪, ૨૦૦૮ સપુરુષના બધે જીવને સમજાય કે કર્મ આવે છે. પુરુષનો બાધ એ દર્શન મેહ હણવાને ઉપાય છે. અહિતકારી વસ્તુ અહિતકારી લાગે તે છેડવાના ભાવ થાય. આસવ થશે તે મારે ભેગવવા પડશે એમ લાગે તે આસવ થવા ન દે. સંવર કરે. કર્મ નવાં ન આવે એવું તે સમ્યગ્દર્શન થાય પછી થાય છે. સમ્યગ્દર્શનથી સંવર થાય છે. બંધ વૃત્તિએને ઉપશમાવે તેનું નામ સંવર છે. બંધવૃત્તિઓ બેટી છે એવું જીવને ભાન નથી તેથી રક નથી. દુઃખનું કારણ કર્મ છે. સંવર સુખરૂપ છે, એમ ચિશ્માનવ માનવા દેતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy