________________
મેધામૃત
૧૩
શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૨, ૨૦૦૮ પ્રયેાજનભૂત તત્ત્વા એટલે મેક્ષે જવા માટે જે તત્ત્વા જાણવાં જરૂરનાં છે તે. જીવ માત્ર સુખને ઇચ્છે છે. દુઃખ જાય તે સુખ થાય. જીવાદિ તત્ત્વાની શ્રદ્ધારૂપ સમ્યગ્દશન છે, તે સુખનું કારણ છે. મિથ્યાત્વ દુ:ખનું કારણ છે. મિથ્યાત્વ જાય તે સમ્યક્ત્વ થાય. હું કાણુ છું ? શરીર કેણુ છે? એ ભેદ પાડે તે સુખ થાય. આત્માને જન્મમરણાદ્દિનું દુઃખ લાગતું નથી. શરીરના ઉપચાર કરે તેથી દુઃખ દૂર ન થાય. આત્માથી ભિન્ન એવા દેહઘરને પેાતાનુ માને છે તેથી દુઃખ થાય છે. આત્માનુ દુઃખ જન્મમરણ મટે તે જાય. તે માટે આત્માનાં લક્ષણ અને દેહનાં લક્ષણ ભિન્ન વિચારે.
૧૩૮
દેહ માત્ર સચાગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કેાના અનુભવ વસ્ય.
""
શરીર પરમાણુએથી થયું તે જડ છે અને દૃશ્ય છે. તે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આત્માનાં લક્ષણા એથી ઊલટાં છે. દેહ મડદુ છે, એ ન જાણે. આત્મા અંદર હેાય ત્યાંસુધી એને ફેરવે તેમ ફરે. પણ દેહમાંથી જીવ નીકળ્યા તે કંઈ ન થાય. દેહ તે હું એ ભૂલ છે. હુ અજીવ વસ્તુ છે. આત્મા ચેતન વસ્તુ છે. એય પદા જુદા છે. શરીરની શાતા-અશાતાને સુખદુઃખ માને છે એ કલ્પના છે. જ્ઞાનીએ કલ્પના કરવાની ના કહી છે. આત્મા તે માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છે. કથી દુઃખી થાય છે. ક આવવાનાં કારણેા પાંચ છે—(૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય (પ) ચૈાંગ.
ભ્રાંતિને લઈને જીવ દુ:ખી થાય છે. ભ્રાંતિ એ મિથ્યાત્વ છે. ક્રેડને આત્મા માને એ જ દુ:ખનું કારણ છે. દેહને દેહ અને આત્માને આત્મા જાણે તેા કર્મ ન બંધાય. તેથી પછી દુ:ખ ન થાય. ક` કેવી રીતે આવે છે તે જાણવુ જોઈ એ. કમ આવે તેને કે તે કન અંધાય. પાંચ આસવમાં મિથ્યાત્વ માટુ' છે. એ જાય તા ખીજા ચારેય જાય. દેહમાં રહેલા જીવ જુદો છે એમ ભાસ્યા કરે એવુ ́ કરવાની જરૂર છે. કરવા માંડે તે થાય. જાણનારા આત્મા છે. દેખાય તે હું નહીં. આસ્રવ જવાથી કર્મો આવતાં રાકાય તે સ ંવર છે. થોડાં થોડાં કર્યાં છૂટે તે નિરા છે; અને બધાં કમ છૂટે ત્યારે મેક્ષ થાય છે. મેક્ષે જવું હાય તેણે નવે તવા જાણવાં જોઈએ. મેાક્ષનુ સ્વરૂપ ન જાણે તે ઉપાય પણ ન કરે. મેાક્ષ ન થાય તે સંસારમાં જન્મમરણનાં દુઃખ સહન કરે.
પ્રત્યેાજનભૂત એ સાતે તત્ત્વા જાણવા જેવાં છે. આત્મા સથી ભિન્ન છે, અસગ છે. સાત તત્ત્વ જાણે તે ત્યાગવા યોગ્ય ત્યાગે અને ગ્રહણ કરવા ચેગ્ય ગ્રહણ કરે. સાત તત્ત્વની પ્રતીતિ, શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. શ્રદ્ધા થાય તે તે પ્રમાણે વર્તવા લાગે. દેહ તે હું એ ઊધી શ્રદ્ધા છે, તે મિથ્યાત્વ છે; તેથી સંસાર થાય છે. દેહથી જુદો જીવ છે, એમ અજીવથી જીવને ભિન્ન જાણે, તેથી સમ્યગ્દન થાય અને તેથી મેક્ષ થાય છે. બીજા પદાર્થો ન જાણે તે કંઈ નહીં પણ આ પ્રયેાજનભૂત તત્ત્વ જાણવાં જોઈએ. પુણ્ય અને પાપ જુદાં ગણતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org