________________
૧૩૬
બોધામૃત
હવે તે છૂટવું જ છે. કંઈ ગ્રહણ કરવું નથી. મૂકવું, મૂકવું અને મૂકવું જ છે. દેહભાવ જીવને અનાદિકાળથી દઢ થઈ ગયું છે એટલે બીજાના દેહ પ્રત્યે પણ દષ્ટિ જાય છે. માટે હું દેહ નથી, દેવાદિ મારાં નથી એ દઢ અભ્યાસ કરવાની જરૂર છે. હંમેશાં હું દેહ નથી” એ ઉપગ રાખો. “હું તે જ્ઞાનીએ જાણ્ય એ આત્મા છું.” જીવ ધારે તે કરી શકે છે. પુરુષાર્થ કરે તે બધું થાય. આપણે વિચાર (વિમાસણ) કરીએ કે આ મન મારું હાલું કેમ વશ થાય? પણ જે પુરુષાર્થ કરીએ તે એ જ મન બરાબર વશ થાય છે અને એને આપણે જેમ વાળવું હોય તેમ વળે છે. માટે સતત પુરુષાર્થની જરૂર છે. પ્રમાદ કર્તવ્ય નથી.
૧૧ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૧૫, ૨૦૦૮ ધર્મ વસ્તુ ભાગ્યશાળીને જ ગમે છે. પૂર્વના સંસ્કાર હોય તેને ગમે. દુઃખમાં વધારે લાભ થાય છે. દુઃખ આવે ત્યારે ધર્મ સાંભરે, સ્મરણમાં ચિત્ત રહે. જીવને સત્સંગની ઘણી જરૂર છે. સત્સંગ વધારે મળે એવું કરવાની જરૂર છે. સત્સંગ ન હોય ત્યારે મન બીજી વસ્તુમાં જઈ પડે છે. બીજા સંસ્કાર પડી જાય તે વ્રતભંગ થાય. માટે પહેલા આ લાડ મેઢામાં નહીં નાખતાં કકડા કરીને ખાવા તે નુકસાન નહીં કરે. ભાવના ઠેઠની રાખવી. મનને ફેરવવાનું છે. પીંપળ પાન જેવું મન છે. મનથી કર્મ બંધાય છે. આત્મા ને દેહ જુદા દેખાય, જ્ઞાનીનું કહેલું સમજાય એટલા માટે વ્રત પાળવું છે. બ્રહ્મચર્યવ્રત હોય તેણે થોડા દિવસ પણ અહીં રહેવું, વાચન-ભક્તિમાં ચિત્ત રાખવું. કંઈક સમજણ આવે ત્યારે વ્રતથી વધારે લાભ થાય છે.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” કંઈ સાથે નહીં આવે. ધર્મના ભાવ કરેલા સાથે આવશે. જેમ જેમ ધર્મની ગરજ જાગશે, તેમ તેમ ધર્મ વધારે સમજાશે. જીવને સત્સંગની ખામી છે. આત્માનું કામ કરવું હોય તેને બીજાં કામની નવરાશ ક્યાં છે? આત્મા માટે જીવવું છે એવું કરવાની જરૂર છે. કેઈ તે ગર્ભમાં આવતાં જ મરી જાય છે, કેઈ બે—પાંચ વર્ષનો થઈને મરી જાય છે. અને કઈ પચાસ વર્ષ થઈને પણ મટે છે. એમ આયુષ્યનું ઠેકાણું નથી. જેટલું જીવવું છે તેટલું સારું જીવવું છે. તે માટે મને સત્સંગ થાય તો સારું, એવી ગરજ રાખવી. અત્યારે દેહ છૂટે તે જવ શું લઈ જાય? કંઈક ભક્તિ કરી હોય, વાચન-વિચાર કર્યા હોય તે સાથે આવે. પૈસા ટકા કંઈ સાથે ન આવે.
મનુષ્યભવમાં ખાઈએ, લહેર કરીએ એવું ન કરવું. ધર્મથી આત્માનું હિત થાય છે. જગતમાં ઇચ્છા છે તેટલું દુખ છે. દેવ પણ દુઃખી છે. દુખ એટલે મનમાં આકુળતા થાય છે. એ થવાનું કારણ ઈચ્છા છે. જીવ ઈચ્છા વગર રહેતા નથી, એક મટે તે બીજી. જેટલી ઈચ્છા થાય તેટલી પૂરી થાય એવું તે કંઈ ન હોય, પુણ્યવાન પણ સુખી નથી. વધારે ઇચ્છા થાય તે દુખી જ છે. જેટલી ઓછી ઇચ્છા તેટલે સુખી. મિથ્યાત્વ, અજ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org