________________
સંગ્રહ ૪
૧૩૫
નહીં, મરે નહીં; સંગને લઈને જન્મ્ય અને મર્યો એમ કહેવાય છે. પણ આત્મા તે જીવતે જ છે. મરવું એક વાર છે પણ ડરે છેઘણી વાર. સાપને દેખે તે ડરે કે મરી જવાશે. મરણથી બચવા કઈ કેઈએ બિરલા બનાવ્યા પણ તેય મરી ગયા. ઈન્દ્ર મોટો કહેવાય છે, તેને પણ મરણ આવે છે. મરણ આવ્યા પછી એક સમય પણ ન જિવાય. અને આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાંસુધી ઝેર ખાય તેય ન મરે. દેહ તો પડવાને છે, આત્મા અમર છે, એમ જાણે તે ભય ન લાગે. આત્મા દેહ નથી, મનુષ્ય નથી, દેવ નથી, નારકી નથી, તિર્યંચ નથી, બ્રાહ્મણ નથી, વાણિઓ નથી કાંઈ નથી. આત્માની આદિ નથી, અંત નથી. હું તો ચૈતન્ય દ્રવ્ય છું. પર્યાય પલટાય છે. મનુષ્યદેહ કપડાં જેવો છે. એ છૂટે પણ આત્માને નુકસાન ન થાય. સુખી થવાને ખરે ઉપાય મેક્ષે જવું એ છે.”
“દેહાદિક સંગનો, આત્યંતિક વિગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ.”
સંસ્કૃતને અભ્યાસ કરે. ઘણુંખરાં શાસ્ત્રો મૂળ સંસ્કૃતમાં છે, તે સમજવામાં ઠીક પડે. પરમકૃપાળુદેવનાં વચનો પણ વિશેષ સમજાય. એક વચનમાં અનંત આગમ રહ્યાં છે, તે સમજવા માટે અભ્યાસ કરવાનું છે. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને વૃદ્ધાવસ્થામાં પણ સંસ્કૃતને અભ્યાસ કરવા જણાવેલું.
૧૦ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૧૪, ૨૦૦૮ મનને વિશ્વાસ રાખવા જેવું નથી. એને નવરું ન મૂકવું. નવરું મૂક્યું તે કંઈ ને કંઈ કરી બેસે. માટે એને હંમેશાં કામ સોંપવું. વાંચવું, વિચારવું, શીખવું અને જીવન નિયમિત કરી લેવું. નિમિત્ત સારાં રાખવાં કે જેથી સારા ભાવ રહે. બધી ઈન્દ્રિમાં રસેન્દ્રિય બળવાન છે. એને પશે ત્યારે બધી ઇન્દ્રિયેને પિષણ મળે છે, જેમ વૃક્ષને મૂળથી પાણી મળે છે તેમ. બધેથી છૂટવું છે. ક્યાંય પણ રાગ કે આસક્તિ કરવી નથી. વચનને પણ સંયમ રાખ. જરૂર પડે તે જ બલવું. નહીં તે સ્મરણ, વાચન, સદૂભાવને, ભક્તિમાં રહેવું. વચન બોલવા, સાંભળવાથી આત્મામાં સંસ્કાર પડે છે, માટે એની બહુ જ સાવચેતી રાખવી કે જેથી ખરાબ સંસ્કાર ન પડે. આખા સંસારમાં મુખ્ય વસ્તુ ભેગ છે. તે જેને નથી જોઈતે, તેને પછી બધું સહજે પરમાર્થમાં મદદરૂપ થાય છે. આખું જગત ભેગમાં પડ્યું છે. એને અર્થે પૈસા એકઠા કરે, પાપ કરે, ન કરવા યોગ્ય કામ પણ કરે. પણ જેને સંસારનું મૂળ કારણ એ આ ભેગા નથી જોઈતે, તેને તે બીજું સહજે છૂટી જાય છે. પણ એ બનવું બહુ વિકટ છે, કારણ અનાદિ કાળના સંસ્કાર સ્પર્શેન્દ્રિયના ઠેઠ એકેન્દ્રિયથી જ એને કેડે લાગેલા છે. એ છૂટવા માટે વિકટ સતત પુરુષાર્થની જરૂર છે. સારાં નિમિત્તામાં રહી ઉપયોગપૂર્વક વર્તે તે કામ થઈ જાય એવું છે. આળસ અને પ્રમાદ આ જીવન અનાદિકાળના શત્રુ છે. માટે એમને વશ ન થવું. તપાસી તપાસીને એમને કાઢી મૂકવા છે, એ દઢ નિશ્ચય કરી લે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org