SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૪ ૧૩૩ આત્માની સંભાળ લેવાની છે. આત્માની ઘાત કરનારા કર્મો જાય, ત્યારે આત્મા નિરાવરણ થાય છે. દર્શનમેહથી હું દેહ છું એમ માને છે તેથી આત્માની શ્રદ્ધા ન થાય, દેહની શ્રદ્ધા રહે છે. કર્મને લઈને શરીર મળે છે. શરીર આત્માનું છે નહીં. પિતાનું નહીં તેને પિવાનું માની બેદખિન્ન થાય છે. કર્મને લઈને શરીર બગડે તેને માટે ખેદ કરે છે. શરીર આદિ સર્વ કર્મને આધીન છે. શરીરનું સુખ તે સુખ નથી. સમાધિસુખ સાચું છે. પિલું તે આભાસ માત્ર છે. પાંચ ઈન્દ્રિયના વિષયની ઈચછા તે લેભ કષાય છે. ઇચ્છા એ જ લેભ છે જેથી આત્મા સુખી થાય એવું જીવ કરતો નથી. એ બધું મિથ્યાદર્શનથી અવળું સૂઝે છે. મિથ્યાદર્શન જાય તે સુખી થાય. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત.” અનંત દુઃખ પામે તેનું કારણ શું? તે કે સ્વરૂપ ન સમજે. સાપને ભય લાગે છે, પણ મિથ્યાત્વને ભય લાગતું નથી. સાપ તે એકવાર મરણ કરાવે, પણ મિથ્યાત્વ તે ભભવ જન્મમરણ કરાવે છે. જે સંગ મળે તેવું થાય છે. સાચે સંગ હોય તે મિથ્યાદર્શન જાય. બેટે સંગ હોય તે સાચી વસ્તુ સૂઝે નહીં. મિથ્યાત્વથી અવળું સમજાય છે, આત્માને ભૂલી જાય છે, મેહમાં વખત જાય છે. એવા કુસંગથી છૂટવા માટે જ્ઞાનીપુરુષ કહે છે. કેઈ જીવ સમજે કે મારે સારું વાચવું, વિચારવું ઘટે છે, પણ કુસંગથી વિપરીત માર્ગમાં તણાઈ જાય છે. જગતને પૂંઠ દે, ત્યારે આત્મા ભણી વળે. બહારની વસ્તુઓમાં વૃતિ હોય ત્યાં સુધી ન થાય. હું દેહથી જુદું છું, મારે છૂટવું છે એમ વિચારવા માટે અને જન્મમરણથી છૂટવા માટે સંતપુરુષએ આ સંતનું ધામ બનાવ્યું છે. પુણ્યને ઉદય હોય તે જ પુરુષ મળે. જીવના ધાર્યા પ્રમાણે કંઈ થતું નથી. વસ્તુ જેમ થવાની હોય તેમ થાય છે માટે કલ્પનાઓ ન કરવી. શરીરને શરીર અને આત્માને આત્મા જાણે તે જીવને દુઃખ ન થાય. પારકી વસ્તુ પિતાની ન થાય. નાશવંતને નાશવંત જાણવું. વસ્તુનું સ્વરૂપ જેમ હોય તેમ જાણવું. શરીરને મેહ છોડ. આત્મબ્રાંતિ એ દુઃખનું મૂળ છે. આત્મબ્રાંતિ જાય તે દુઃખ દૂર થાય. સદ્દગુરુને ઉપદેશ સાંભળે, વિચારે, કહેલું ભૂલે નહીં તે દુઃખ જાય. દર્શનમેહ જાય તે સમ્યગ્દર્શન થાય. જગતમાં હું ને મારું માનીને ભૂલે પડ્યો છે, નહીં તે ભગવાન જેવે છે. બધાય જીવ સિદ્ધ જેવા છે. સમજે તે સિદ્ધ થાય. સદ્ગુરુની આજ્ઞા આરાધે તે થાય. સિદ્ધસ્વરૂપ જે આત્મા છે. અશરીરી છે. તેને દેહની સાથે લેવાદેવા નથી. એક આવ્યું છે ને એકલે જવાનું છે. કશાયમાં ચિત્ત ન રાખવું. શરીર સારું છે, ખેડું છે એવા વિકલ્પ ન કરવા, ખસેડી નાખવા. કર્મ આગળ આવે ત્યારે ખસેડવાં. જ્ઞાનીને આશરે આશરે ચાલવું છે. જ્ઞાનીએ કેઈનું ભૂંડું ઈછ્યું નથી. જે થાય તે જોયા કરવું. જે થાય છે તે ભલું થાય છે. ગરજ જાગશે તેમ તેમ યાદ રહેશે. “દેડની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંતગણ ચિંતા આત્માની રાખ.” (૮૪) સારી રીતે વિચારણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy