________________
સગ્રહ ૩
૧૨૭
કરવા. આત્માથે બધું કરવાનુ છે. અનાદિ કાળથી દેહની સભાળ કરી છે, દેહમાં જ વૃત્તિ રાખી છે, આત્માને નાકર બનાવ્યે છે. પણ આટલા દેડ આત્માર્થે ગળાય તે બધા ભવનું સાટું વળી જાય. આ દેહ તે આત્માથે છે, એને માટે જ મળ્યે છે. સમું કરી લેવું. આ ભવમાં ખીન્તુ કશું ય ઇચ્છવું નહીં. મારું માન્યું છે તે પેાતાનું થવાતુ નથી. જ્ઞાનીની આજ્ઞામાં જ ઢેડ ગાળવાના છે. ન ગાળે તે આવી જોગવાઈ મળવી મુશ્કેલ છે. મનુષ્યભવ દુલ ભ છે. આટલેા ભવ છે તે ચ ન જાય.
ઘણી સામગ્રી એકડી કરી, મનુષ્યભવ પામ્યા. એમાં કરવા જેવું સમાધિમરણુ. એ વિના નકામું. મારે જ્ઞાનીથી આજ્ઞામાં જ આટલા ભવ ગાળવા છે' એમ હાય ત્યારે સમાધિમરણુ થાય. કહેવા માત્રથી ન થાય. રાતદિવસ એ અથે જ જીવવું છે. અન'તવાર મનુષ્યભવ પામ્યા, પણ પેાતાને ગરજ નહિં એટલે આત્મવિચાર જાગ્યા નથી.
દીઠા નહીં નિજ દોષ તા, તરિયે કાણુ ઉપાય ?”
પોતાના દોષ ન જુએ તે ન થાય. તેમ થવાના ઉપાય સદ્ગુરુ છે. જ્ઞાનીએ શું કહ્યું છે? એ વિચારતા નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની લય લાગી નથી. મેાક્ષની ઈચ્છા હાય તે બધું છેડવુ પડશે. મૂછ્યા વિના છૂટકા નથી. પ્રારબ્ધ ઉપર વાત છે. જેને આજીવિકા જેટલું હાય તેણે ઝાઝાં ઝાંવાં મારવા જેવાં નથી. શાંતિ થાય એવું કરવાનુ છે.
[ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી બપોરની મેટરમાં અગાસ આશ્રમમાં જવા પધાર્યાં. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org