SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ આધામૃત એમ વિચાર આવે તે ભેગની ઇચ્છા નીકળી જાય. લેગની ઈચ્છા નીકળી જાય તે પછી ખીજી ઈચ્છા ન રહે. જેને મેક્ષે જવુ છે, તેણે સ ંસાર સંભારવે નહીં. જગતની વાતે જીવે ઘણી સાંભળી છે. કશું માહાત્મ્ય નથી, પણ જીવ તેમાં માહાત્મ્ય માને છે. જ્ઞાનીનાં વચન સાંભળવામાં આવે તે તે જીવમાં ઘર કરે; જ્ઞાનીનાં વચના જીવમાં ઘર કરે તે જ્ઞાન થઈ જાય. વૈરાગ્ય થાય તે સંસારથી પાઠે! હઠે. ખરામમાં ખરામ વસ્તુ શરીર છે. વસ્તુ જેમ છે તેમ જીવને સમજાઈ નથી. ગંદવાડામાંથી સુખ લેવા જાય છે. આખા જગતમાં ગઢવાડા તા શરીરના જ છે. વસ્તુસ્વરૂપ સમજાય તે કલ્પના છૂટી જાય. સાચી વસ્તુ સમજે તે ખી∞ ઈચ્છા ભાંગી જાય. દેના, ભાગના અને સંસારના વિચાર કરે તા તેથી પાછા હઠે. કર વિચાર તે પામ.” આત્મજ્ઞાન પામવા વિચાર કરવાને છે. ત્રણે લાક રાગદ્વેષથી મળતા છે. જગતનુ' સ્વરૂપ જ એવુ` છે. કામ વસ્તુ એવી છે કે જીવને ઉન્મત્ત બનાવી દે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ બધા કામને વશ છે, કોઈ તેને જીતી શકવા નહીં. કામ બહુ બળવાન છે. કામના વિશ્વાસ જરા પણ રાખવા જેવ નથી. જ્ઞાનીને વિશ્વાસ રાખી તેના શરણે રહેવુ. એક વીતરાગ ભગવાન જ કામને જીતી શકયા છે. સત્સંગ-સત્શાસ્ત્રના પરિચય કરીને વૈરાગ્ય ઉપશમ વધારવાના છે. ૩૫ શ્રી રાજમંદિર, આહેાર, ફાગણ સુદ ૧૨, ૨૦૦૮ મરણના વિચાર ભયને અર્થે કરવાના નથી, પણ તૈયારી કરવા માટે કરવાના છે. સમ્યગ્દર્શન થયા પહેલાં પણ જીવને વૈરાગ્ય આવે છે. એ જો સત્સંગ મળે તેા સવળા થાય, આત્મા સિવાય ખીજે રસ ન આવે, આસક્તિ ન થાય ત્યાં વૈરાગ્ય છે. સંસારના મેહુ આછે કરવા માટે બૈરાગ્યની જરૂર છે. છ પદના વિચાર કરવા. આત્મા નિત્ય છે. તે મરવાને નથી. સંચેાગે છૂટે પણ આત્મા તે નિત્ય છે. પર્યાયના નાશથી વસ્તુને નાશ ન થાય. આત્મા ત્રણે કાળ રહે એવા પદાર્થ છે. સંચાગના સદુપયોગ કરવા. ગભરાવું નહી. વિવેકની જરૂર છે. જેમ જેમ સત્પુરુષોનાં વચનામાં વૃત્તિ રહેશે તેમ તેમ આનંદ આવશે; અને જ્ઞાનીને શું કહેવું છે, તેના લક્ષ અધારશે. છ પદના વિચાર ખાસ કરવાના છે. આત્મા કદી મરે નહીં' એમ આત્માની પ્રતીતિ થાય, તે ભય ન લાગે. અનિત્ય પદાર્થોના મેઢુને લઈ ને નિત્ય પદાર્થીના વિચાર આવતા નથી. અનિત્ય પદાથ માં જ્યાંસુધી વૃત્તિ રહે ત્યાંસુધી નિત્ય પદાર્થાનું નિત્યપણુ' ન લાગે. અનિત્ય અને નિત્ય પદાર્થને ભેદ કરવાના છે. તેને માટે ઘણા પુરુષાર્થ કરવાના છે. ૩૬ શ્રી રાજમ ંદિર, આહેાર, ફાગણ સુદ ૧૩, ૨૦૦૮ સત્સંગ કરવા, રાજ નવું કંઈક શીખવું. દેહમાં આત્મા રહેલા છે તે દેહથી ભિન્ન છે, તેને અર્થે ભક્તિ, વાચન, વગેરે કરવાનાં છે. સત્સંગના ચેાગે જીવને સારા ભાવ રહે છે. એ સત્સંગના યાગ જ્યારે ન હૈાય ત્યારે જ્ઞાનીપુરુષનાં વચને છે તે વિચારવાં. ખીજે વૃત્તિ રહે તે કમ અંધાય છે, અને જ્ઞાનીનાં વચનેામાં વૃત્તિ રહે તેા કમ છૂટે છે. કંઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy