________________
સંગ્રહ ૩
૧૨૧
એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” જ્ઞાનીની આજ્ઞામાં વિશેષતા એ છે કે આખું જીવન પલટાઈ જાય. શ્રદ્ધા હોય તે જ્ઞાનીનું વચન ચોંટી જાય. મંત્ર સહજાન્મસ્વરૂપ પરમગુરુ” છે, તે આત્મા છે. ચોંટે તે કામ થઈ જાય. આજ્ઞાથી થાય તે મોક્ષનું કારણ છે. આજ્ઞા વગર કરે તે પુણ્ય બંધાય, પણ મેક્ષનું કારણ ન થાય.
“સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એમાં પાંચ પરમેષ્ઠી આવી જાય છે. હાલતાં, ચાલતાં, કામ કરતાં મંત્ર જાપ કર્યા કરે. એની રટના લગાવવાની જરૂર છે. કામ તો હાથ પગથી કરવાનું છે પણ જીભ તે નવરી છે ને? સ્મરણ ભુલાય નહીં એવી ટેવ પાડવાની જરૂર છે. સમરણની ટેવ પાડી હોય તે મરણ વખતે યાદ આવે અને સમાધિમરણ થઈ જાય એવું છે.
આજ્ઞાથી ધર્મ થાય છે. મને પ્રભુશ્રીજીએ તેઓને દેહ છૂટતાં ચારપાંચ દિવસ અગાઉ કહેલું કે જેની ભાવના હોય તેને આ વિશ દેહરા, યમનિયમ, ક્ષમાપના એ ત્રણ પાઠ, અને સાત વ્યસનને ત્યાગ તથા મંત્રસ્મરણ આપવું. તેથી હું આપું છું. પ્રભુશ્રીએ મને મંત્ર આપે ત્યારે કહ્યું હતું કે કેઈને કહીશ નહીં, કારણ કે જીવ ડાહ્યો થવા જાય છે તેથી પિતાનું ચૂકી જાય છે. પ્રભુશ્રીજી એક દિવસે પાટ ઉપર ચાદર ઓઢીને સૂતા હતા. તે વખતે મને સેવામાં રહો થોડાક જ દિવસ થયા હતા. હું પાસે ઊભે હતે. તેઓએ મને કહ્યું, “પરમગુરુ નિગ્રંથ સર્વદેવ” એમ બેલતાં બેલતાં સેવા કર. તે વખતે મને બરાબર યાદ ન રહ્યું, પણ મનમાં એમ હતું કે જ્ઞાનીએ કહ્યું છે તે સાચું છે. પછીથી પ્રભુશ્રીજીએ છત્રીસ માળામાં અઠ્ઠાવીસ માળા પરમગુરુ નિગ્રંથ સર્વદેવની ફેરવવા કહ્યું.
૩૩ શ્રી રાજમંદિર, આહર, ફાગણ સુદ ૧૦, ૨૦૦૮ પૂજ્યશ્રી—વૈરાગ્યની વાત કરવી. વૈરાગ્યની વાત જીવને હિતકારી છે. આપણે કલ્યાણ કરવામાં શું શું નડે છે, તે વિચારવું. મિથ્યાત્વ હેય ત્યાંસુધી જ્ઞાન પણ અજ્ઞાન છે. પિતાની વૃત્તિઓ કેવી રહે છે તે તપાસવાનું છે. પિતાના દે જાણે, દે કાઢવાનો માર્ગ શે તે દેવે ટળે. પિતાના દે દેખાય તો ખબર પડે કે મારામાં સમસંવેગાદિ ગુણે છે કે નહીં? સપુરુષના યોગે સાધુપણું લઈને પણ વૃત્તિઓ સારી ન થાય તે અભાવ જ છે. આત્મા જ્યારે સંસારને તુચ્છ માને ત્યારે પિતાની ભૂલ દેખાય. જગતની વસ્તુઓ અસાર લાગે અને આત્માનું સુખ સાચું છે એમ લાગે છે તે ભવિ જ છે. પિતાના દેશ જેવાના છે. મોક્ષે જવું હોય તે કાળજી રાખવી પડશે. સત્સંગને વેગ મળ બહુ દુર્લભ છે. સત્સંગના યેગે સુલભપણે આત્મસાધન થાય છે. આજ સુધી અનાદિકાળથી જે જાયું છે, તે ભૂલી જવું. બધું અજ્ઞાન છે. જે જાણવા ગ્ય છે તેના તરફ લક્ષ નથી.
૩૪ શ્રી રાજમંદિર, આહાર, ફાગણ સુદ ૧૧, ૨૦૦૮ સત્સંગ છે તે કામ બાળવાને બળવાન ઉપાય છે.” (૫૧૧) ત્રણે લેકને હરાવી દે એ કામવિકાર છે, છતાં સત્સંગમાં કમે ક્રમે તે બળતું જાય છે.
“નથી પ્રેર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org