________________
સંગ્રહ ૩
૧૧૯ પરમ સુખી છે. સંગથી છૂટીને અસંગ થવાનું છે. અસંગ એકદમ થવાતું નથી, સત્સંગથી થવાય છે. જે પુરુષો મેક્ષે ગયા છે તેઓ સંસારનું તીક્ષણ બંધન છેદીને ગયા છે, સૂક્ષ્મ વિચાર વિના સમજાય એવું નથી.
મરણ આવતાં પહેલાં મહિને ક્ષય કરી લેવાનું છે. કેઈનું મરણ થાય તે વિચારવું કે આને દેહ છૂટી ગયો એવી રીતે મારે દેહ પણ છૂટી જવાનું છે. હું પ્રમાદમાં પડે રહ્યો તો મારી શી વલે થશે? ધર્મના કામમાં ઢીલ કરવા જેવું નથી. માથે મરણ છે એમ લાગે તે ખાવું, પીવું કંઈ ન ગમે. ક્ષણે ક્ષણે આયુષ્ય ક્ષય થાય છે. તેની જીવને ખબર નથી. ચેતવાનું છે. ક્ષણવારમાં દેહ છૂટી જાય છે. મરણના પ્રસંગે જીવને વિચાર આવે છે કે બધું નાશવંત છે, પણ પાછો ભૂલી જાય છે. વિચારવાન છ જ એ વૈરાગ્યને ટકાવી રાખે છે અને પોતાનું જીવન પલટાવી દે છે. સત્સંગમાં કષાયની મંદતા થાય છે, સુવિચારણું જાગે છે. સત્સંગમાં જે સુવિચાર આવે તે નિરંતર ચાલુ રહે એવું કરવાનું છે, ગ્રહણ કરવાનું છે. જીવ જે લક્ષ રાખે તે થાય એવું છે. સમયે સમયે કર્મ બંધાય છે, માટે સમયે સમયે ઉપયોગ રાખવાનું છે. સર્વસંગ જેટલું છે તે બધે અહિતકારી છે. જેને અસંગ થવું છે તેણે સંગને ત્યાગ કરવો. જેટલો સંગ છૂટ તેટલે અસંગ થયે. મારું કશુંયે નથી, એમ કરવાનું છે.
૩૧ શ્રી રાજમંદિર, આહાર, ફાગણ, સુદ ૮, ૨૦૦૮ Vશ્રુતજ્ઞાનથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આત્મામાં અનંત શકિતઓ છે. પાંચ પ્રકારના જ્ઞાનમાં મતિજ્ઞાન છે તે બધાને પાયો છે. જ્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી કુમતિ અને કુશ્રુત છે. મેક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનનું મુખ્યપણું છે. સમ્યગ્દર્શનથી જ મોક્ષ થાય છે. મોક્ષમાર્ગની શરૂઆતમાં સમ્યગ્દર્શન પહેલું જોઈએ. જીવને જ્યારે અશાતા વેદની આવે છે, ત્યારે તેને મટાડવા પાછળ પડે છે. પણ અજ્ઞાન જે અનાદિકાળથી આત્માને પીડે છે, તેનું દુઃખ નથી લાગતું. જીવ બેભાન છે, ઊંઘે છે. સમજણ આવે ત્યારે ખબર પડે કે મેહનીયકર્મ મને દુઃખ દેવાવાળું છે, મારે તેને હણવાનું છે. મેહનીયકર્મ હણવા માટે ઉપાય સદ્ગુરુને બેધ અને વીતરાગતા છે. “હણે બોધ વીતરાગતા.” ઠેઠ બારમા ગુણસ્થાન સુધી સદ્ગુરુનું અવલંબન લેવાનું છે. જીવ છંદથી રઝળે છે. “રોકે છવા સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ.V
જ્ઞાનીનાં વચને જીવને અવલંબનરૂપ છે. પ્રત્યક્ષ સપુરુષથી ઘણે લાભ થાય છે. ડાક કાળમાં જેમ છે તેમ સમજાય છે. સેભાગભાઈને પ્રત્યક્ષ પુરુષને વેગ થયે તે સમ્યક્ત્વ પામ્યા.
પાંચ ઇન્દ્રિયના વિષયે અને મનને લીધે આત્માને ઉપગ બહાર જાય છે. એને વિભાવભાવ કહ્યો છે. એથી કર્મ બંધાય છે. એથી ઉપગ પાછો વાળે તે કર્મ ન બંધાય. સદ્દગુરુની આજ્ઞા ઉઠાવવાની છે, જાણનારને જાણ છે.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org