________________
સંગ્રહ ૩
૧૭
સર્વ કલેશથી મુક્ત છે અને મારું સ્વરૂપ પણ તેવું જ છે. જે દુઃખને સુખ માન્યું છે. પિતાનું સુખ, ત્રણે કાળ રહે એવું છે. તે અજ્ઞાનને લઈને ભાનમાં આવતું નથી.
“ જહાં કલપના જલપના, તહાં માનું દુઃખ છાંહિ;
મિ. કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ.” મારું તારું કશુંયે એક આત્મા છે તેની ઓળખાણ કરી લેવાની છે. ઉત્તમ વસ્તુ આત્મા છે. તેની ઓળખાણ થાય તે આનંદ આવે.
ચિંતામણિ હોય પણ જાણે નહીં તે કાંકરે જાણીને ફેંકી દે. એ આ મનુષ્યભવ ચિંતામણિરત્ન જેવો છે. એક પળ પણ ચિંતામણિરત્ન જેવી છે, વ્યર્થ છેવા જેવી નથી. પિતાના સ્વરૂપનું ભાન નથી, અજ્ઞાન છે. સંસારનું મૂળ કારણ દેહ તે હું એ છે. એ મોટી ભૂલ છે. પિતાનું નહીં તેને પિતાનું માને છે. વિપરીતતા છે જે ભૂલવાળે હોય તે બધું ભૂલવાળું જ જુએ છે. દેહને માટે બધું કરે છે. જીવ અત્યારે સંસાર સમુદ્રમાં પડે છે, તેનું શું કારણ? એ મૂળ વિચાર કરવાનું છે. મને કર્મ કેમ બંધાય છે અને કેમ છૂટે? એને પણ વિચાર કરવાનું છે. આત્માને સંસારથી છોડવાના વિચાર આવે તે સુવિચારણું છે. શાસ્ત્રો ભણીને, વાંચીને, બધું કરીને પોતાને મુક્ત કરવાનું છે. શાસ્ત્રો ભણીને આત્મા ન જાયે તે બધું બજારૂપ છે. જેને ભૂલ લાગે તેને પોતાના સ્વરૂપનું ભાન થાય છે, અને ત્યારથી શ્રાવકપણું કે સાધુપણું છે. ભૂલ જાણી અને મનમાં થયું કે આ જ મને નડે છે તે પછી કાઢી નાખે. પણ એ નિશ્ચય થયો નથી. જે જે વસ્તુ એને મળે છે, તેમાં મારાપણું કરે છે. એણે સાચા સુખની ભાવના પણ કરી નથી. ભૂલ બરાબર લાગી નથી, લાગતી નથી. કમ છે તે દુઃખરૂપ છે. જીવ મઢેથી એમ કહે કે હું દુઃખી છું, પણ એને “ખરું દુખ મને શાનું છે? તે સમજાયું નથી. સંસારના સુખને સુખ માને અને તેને જ છે છે.
જેને મોક્ષની ઈચ્છા હોય છે તેને સંસાર પ્રત્યે અભાવ થાય છે. સંસારમાં જીવ ભૂલ પડે છે. હું દુઃખી છું એમ એને નથી લાગ્યું. સાચા માર્ગની શરૂઆતમાં ધર્મ, ધ્યાન અઘરું પડે છે. આત્મા ભણી વળવું મુશ્કેલ થઈ ગયું છે. જીવ વિષયોમાં પડે છે. આત્મા સુખસ્વરૂપ છે એમ જે અભ્યાસ થાય તે પછી મન બીજામાં ન જાય. મતિ પહોંચે એવી વસ્તુ નથી. “સત્ છે તે બ્રાન્તિ નથી. ભ્રાન્તિથી કેવળ વ્યતિરિકત (જ) છે. કલ્પનાથી પર (આ) છે.” (૨૧૧). જ્ઞાનીએ જાણે છે તે આત્મા છે, “સ” છે. એમ રાખવું. બીજી ઈચ્છા ઓછી કરવી, તે સહેજે સમજાશે. જીવને કરિપત વસ્તુનું માહાભ્ય લાગે છે તેથી આત્મા જણાતું નથી.
પ્રશ્ન–સમ્યગ્દર્શન કયારે થાય?
પૂજ્યશ્રી—હું દેહથી ભિન્ન છું” એમ થાય ત્યારે. જેવા સંજોગો મળે તે જીવ થઈ જાય છે. હું વાણિયે, હું બ્રાહ્મણ એમ જેવા સંવેગ મળે તે પિતાને માને છે. કેવળજ્ઞાન કંઈ આવું નથી, પાસે જ છે. ભરત ચક્રવતીને વિચાર કરતાં કેવળજ્ઞાન થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org