SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૩ વચન-કાયાથી કર્મ આવે છે. તેથી વિચારવાન જીવ હેય તે મનને જ્ઞાનીની આજ્ઞામાં જોડે છે. કલ્પના એ કર્મનું કારણ છે. બેટા વિચાર આવે ત્યારે ઝટ ચેતે છે અને પિતાના આત્માને ઠપકો આપી ઝટ સવિચારમાં જોડે છે. અકાર્ય કરતાં ક્ષેભ ન રહ્યો તે તીવ્ર કર્મ બંધાશે. દરેકના સંસ્કાર પડે છે. પાપ કરીને પાછો અભિમાન કરે છે તે રૌદ્રધ્યાન છે. પિતાના દેશોની દરેકને ખબર હોય છે, પણ તેના પ્રત્યે તિરસ્કાર હોય તે દોષો જાય, એટલા માટે સત્સંગ કરવાનું કહ્યું છે. સત્સંગમાં પોતાના દોષો જણાય છે. દરેક વસ્તુ પિતાનો સ્વભાવ બતાવે છે. પારસથી સોનું થાય છે. પણ લેખંડમાં કાટ હોય તે સોનું ન થાય. એવી રીતે પુરુષને એગ થયે અને કલ્યાણ ન થાય તે જાણવું કે જીવમાં કાટ છે. એગ્ય જવ હોય અને પુરુષનો વેગ થાય તે કલ્યાણ થાય જ. જીવને પિતાનું ભાન નથી. નહીં તે પિતાને દુઃખ થાય એવાં કામ ન કરે. પોતાના દોષ જેવાના છે. મારો જ વાંક છે એમ લાગે તે ફરી દેષ ન કરે. દીઠા નહી નિજ દેવું તે, તરીએ કોણ ઉપાય ?” પિતાના દોષ જોયા વિના મોક્ષ ન થાય. પુરુષાર્થથી જય થાય છે; બધું થાય છે. વિચારવાનને કુવિચારો આવે ત્યારે તેને કાઢવા માટે પ્રયત્ન કરે છે, ફરી એવા વિચાર ન જ કરવા, આ રસ્તે નથી જવું, એમ નિશ્ચય કરે છે. દોષ જવાના ઉપાય છે, તે મહાપુરુષ પાસેથી જાણ આરાધવા. જ્ઞાની પુરુષોએ દેવીને જોઈને અભાવ કર્યો છે, ઉપાય શોધી કાયા છે. જ્યાં સુધી જગતના દેષો જેવા જાય છે ત્યાં સુધી પિતાના ઇષ ન ઘટે. અગ્ય જીવ હોય તેને જ્ઞાની પુરુષો બોધ ન આપે, મૌન રહે. સંસાર દુઃખરૂપ છે, તે કેમ છૂટે? એમ ઘણા વિચાર કરવાના છે. વિશેષ જાગૃતિ રાખવી. જ્ઞાની પુરુષોનાં વચનેથી જાણવાનું છે. જ્ઞાનીના વચનથી બધું સવળું થશે. જીવને સત્સંગની ઘણું જરૂર છે. જ્યાં સુધી પુણ્યને ઉદય હોય ત્યાંસુધી સત્સંગ મળે છે. માટે પ્રમાદ કર્તવ્ય નથી. જે જે સંસારમાં પડયા છે, તે જ્ઞાનોના આશ્રય વિના ન છૂટી શકે. જેને પુરુષનું માહાતમ્ય લાગ્યું હોય તેને જ્ઞાનીનું કહેવું સાચું મનાય છે. સદ્દગુરુના વેગે જવના આગ્રહ જાય છે. જીવને સમ્યકત્વ નામને ગુણ છે, તેમાં વિકાર થવાથી મિથ્યાત્વરૂપ થઈ ગયે છે. જેણે મોક્ષે જવાની તૈયારી એવી કરી હોય કે માથું માગે તેય આપે, તે જ ખરે તરવાનું કામી છે. મારે જગત નથી જોઈતું એમ જે થાય તે જ્ઞાની જે બતાવે તે એને બેસી જાય. જયાં સુધી શ્રદ્ધા નથી ત્યાંસુધી ન થાય. અહંકાર, અભિમાન મટવા માટે નમસ્કાર કરવાના છે. જીવને પિતાના દેષનું ભાન નથી. અહંકાર રાખે છે. ભ્રાંતિ રાખે છે. સાચી વસ્તુની પરીક્ષા નથી. આ મારી ભ્રાંતિ છે એમ એને નથી ભાસતું. જ્યાં સુધી દે ન જાય ત્યાંસુધી સંસાર છૂટે એમ નથી. કલાજ, મોટ ઈએ સત્સંગમાં વિદ્ય કરે છે. તેને સાચી વસ્તુ હાથ ન આવે. આગ્રહથી કલ્યાણ નથી. બધું આત્માર્થે કરવું છે. ધર્મ છે તે શાંતિ માટે છે. શૂરવીર થવાની જરૂર છે. જેથી આપણું હિત થાય તે જ કરવું. જ્ઞાનીથી સમ્યફાવ થાય છે, અજ્ઞાનીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy