SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ આયામૃત સંબધી વાત આવે છે, ચરણનુગમાં ચારિત્રની વાત આવે છે, અને ધર્મકથાનુગમાં મહાપુરુષનાં ચરિત્ર વાર્તારૂપે આવે છે. બધાયમાં પૂજવા યોગ્ય તે “સહુ જાત્મસ્વરૂપ” છે. પાંચ પરમેષ્ઠી છે તે સહજત્મસ્વરૂપ છે. સાગરમાંથી ટપું રહે તેટલાં આ કાળમાં શાસ્ત્રો રહ્યાં છે. ગહન વાતે કે ભૂલી ગયા છે. સ્થૂલ સ્કૂલ વચને રહ્યાં છે. આ કાળમાં મેક્ષ નથી એમ ન ચિંતવવું. જેને ભવને ભય લાગે તે ભગવાનના એક વચનને પણ ઉત્થાપે નહીં. ભવ ભીરુ છ ખંડનમંડન કરતા નથી. ખંડનમંડન કરવાથી ભગવાનનાં વચને વિરાધાય. ૨૮ શ્રી રાજમંદિર, આહાર, ફાગણ સુદ ૪, ૨૦૦૮ ગૃહસ્થ અવસ્થામાં તે ઘણું વય હોય તે સમભાવે રહી શકાય. ગૃહસ્થ અવસ્થામાં રહેલા પુરુષને ઓળખવા બહુ મુશ્કેલ છે. વૈરાગ્ય હોય તે ઓળખાય. આત્મા એળખવાને છે. જેને આત્મા ઓળખાયા હોય તેને પછી ગમે તેવું પ્રબળ કર્મ ઉદય આવ્યું હોય તે પણ સમભાવમાં રહી શકે. મુમુક્ષુ જ્ઞાનીનું અંતર ઓળખે છે. સત્પુરુષ ગૃહસ્થ અવસ્થામાં હોય ત્યારે મુમુક્ષુને માહાસ્ય લાગે કે આટલી બધી ઉપાધિ છતાં આત્માને નિલેપ રાખે છે. પુરુષાર્થ કરવાનો છે. અનંત કાળથી પિતાના સ્વરૂપનું ભાન નથી તેને વિચારપૂર્વક નિર્ણય કરે તે પુરુષાર્થ છે. પુરુષાર્થ કરે તે જીવનું કલ્યાણ થાય. જ્ઞાની પુરુષ નિષ્કારણ કરુણાથી જીવેને બધ આપે છે, છતાં જગતના જીવેને તેની કિંમત નથી. જ્ઞાનીનું એક વચન પણ ગ્રહણ થાય તે પણ બહુ લાભ છે. જેને મહાપુરુષનું, તેના વચનનું માહાસ્ય નથી તેનું કલ્યાણ ન થાય. ભગવાનના પંચ કલ્યાણક છે તેમાં પૂજવાયેગ્ય તે આત્મા છે. બધી વખતે આત્મા પૂજવાને છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પૂજવાયેગ્ય છે. જ્ઞાની પુરુષે કહે છે કે સંસારનું કારણ દેષ છે, જ્ઞાની પાસે એ દેષો મટાડવાના ઉપાય છે. કેધ-માન-માયા-લેથી છૂટે, દેષો જાય તે જીવ સુખી થાય આત્માને કષાયરૂપી મેલ વળગે છે, તે પેઈ નાખવાને છે. કર્મોથી સિદ્ધાવસ્થા રોકાય છે. જ્ઞાનીના વચને સાંભળવાથી પિતાના દોષ દેખાય અને છૂટે છે. સત્સંગે ઘણો લાભ થાય છે. જ્ઞાનીએ જે સુખને માગ કહ્યો છે તેથી જવ ઊલટે વર્તે છે, સ્વચ્છેદે વર્તે છે. જે જ્ઞાનીને ગમે તે કરવાનું છે. અનંતકાળથી જીવે સ્વચ્છેદે કર્યું છે. સ્વછંદને રોકી જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાથી કલ્યાણ થાય છે. વ્રત આદિ ક્રિયા જ્ઞાનીની આજ્ઞાએ કરે તો કલ્યાણ છે. પિતાની મેળે કર્યાથી કાંઈ ન થાય. જ્ઞાનની સાક્ષીએ કરે તે વિશેષ લાભ છે. સ્વચ્છેદ પિષે તે સંસાર છે. જવ પિતાની બુદ્ધિ આગળ રાખી બધું કરે છે; પણ જ્ઞાની જાણે છે તેથી લાભ છે. જીવને ભાવભય નથી લાગે. વિષયકષાયમાં પ્રવર્તે છે. વિષયાદિનો શ્રદ્ધા હોય ત્યાં મેક્ષની શ્રદ્ધા ન થાય. જ્યારે જીવને સંસાર ઝેર જેવું લાગશે, ત્યારે છૂટશે. આત્મજ્ઞાન કરવું હોય તે પહેલાં મનને ચોખું કરવું. ઇચ્છાથી આત્મા મલિન થયેલ છે. મારે કશુંય જોઈતું નથી, આત્મા કર્મથી પકડાયે છે કે કેમ છૂટે? એમ જ્યારે લાગશે ત્યારે કામ થશે. જ્ઞાની પુરુષને આજ્ઞાએ વર્તવાથી મિક્ષ છે. પુરુષ પ્રત્યે પ્રેમ થાય તે ભક્તિ જાગે. ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy