SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ મેધામૃત સ્પર્શ અને શબ્દ છે. ક્ષમા જ્યારે હોય ત્યારે આત્મા સ્વભાવમાં ડાય છે. ક્ષમા આત્માને ગુણ છે. એ બગડી જાય ત્યારે કાપ થાય છે. એ વિકાર છે. વિકાર ન હોય ત્યારે પાતે જ શુદ્ધ સ્વભાવમાં રહે છે. કર્મોના નિમિત્તે જીવને સ્વભાવ પલટાય છે. કર્મને લઈને વિકાર થાય છે. કષાય એ વિકાર છે. એ જાય ત્યારે સ્વભાવ પ્રગટે છે. “સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મેાક્ષ કહે છે.” (૬૦૯) સ્વભાવમાં રહે તે કમ છૂટ. મેક્ષે જવું હોય તે ક્ષમા જોઈશે. માટે ક્ષમા ધારણ કરો. સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક છે, અને કમ કષાયથી અંધાય છે. માણુસ શાંત બેઠા હોય અને ક્રોધ આવે ત્યારે ફરી જાય. ક્રોધમાં કંઈ ખબર રહેતી નથી. પછી પશ્ચાત્તાપ થાય. ક્રોધ માણસને તદ્ન અગાડી નાખે છે; વિવેક ન રહે, મારું હિત શાથી છે તે ધ્યાનમાં ન રહે. ક્રોધના ઉછાળા આવે ત્યારે મન વશમાં ન રહે. ક્રોધ શમી જવે। મુશ્કેલ છે. એને ઉપાય સત્સંગ છે. સત્સંગે સમજણુ ફ્ે છે. નિમિત્તો આછાં મળે એટલે સુક ઈ જાય છે. જીવે પેાતાના દેષ જોવા. એથી કષાય મંદ થાય છે. દોષવાળા જ જીવ છે, પણ એને જાગૃતિ થાય ત્યારે લાગે કે મારે દોષ નથી કરવા. પાંચમા પદમાં આવે છે—કષાયનુ તીવ્રપણું હાય, તેના અભ્યાસ થઈ ગયેા હાય તે તેને અનભ્યાસ કરે, તેવાં નિમિત્તોથી દૂર રહે. પછી ક્ષીણ થઈ જાય છે. ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય, પૂર્વ જન્મ-સંસ્કાર તે....” જીવ પહેલાંથી જ લઈને આવે છે. સારા કહેવાતે હોય, પણ ક્રોધથી ખરાબ થઈ જાય. ફ્રેંધમાં આવે ત્યારે મારીય નાંખે છે. ક્રોધ આવે ત્યારે ધર્મ ન થાય. ક્રોધ એવા જ છે. નિમિત્તાધીન છે. નિમિત્ત મળે ત્યારે ભાન નથી રહેતું. અગ્નિ જેવા ક્રોધ છે. દ્વૈપાયન ઋષિએ ક્રોધમાં આવી દ્વારિકા બાળી નાખી. ક્રોધને નિર્મૂળ કરી નાખવા, મેક્ષે જનાર જે હોય તેને જ ક્ષમા ગુણ પ્રગટે છે. જેટલી ક્ષમા તેટલું મુનિપણું છે. પૃથ્વી જેમ બધું સહન કરે, તેવી રીતે સહન કરવુ તે ક્ષમા છે. એક પણ કષાય જીતે તેા ખીન્ન કષાયાને જીતવાનું થાય. દશ ધર્મમાં ક્ષમા ધમ આદિ (પ્રથમ) છે, જેને ધ કરવા હાય તે પહેલા ક્રોધ ન કરે. ક્રોધ વખતે સમભાવ રાખવા એ જ ખરો ધમ છે. જીવની ટૂંકી બુદ્ધિ છે તેથી કમના ફળને નથી જાણુતા. જીવ સમજણુ વગર પરિભ્રમણુ કરે છે. સમજણુ વગર દુઃખ થાય છે. સમજણુ ફરી જાય તેા લહેર થઈ જાય. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” સદ્ગુરુ વિના જીવને સુખ થાય નહી. સમભાવ એ મેાટી વસ્તુ છે. મહાવીર ભગવાનને કેવા કેવા ઉપસ થયા છતાં સમભાવમાં રહ્યા. પેાતાનાં કર્મ ઉદયમાં આવ્યાં છે, એમ સમજતા હતા. * (સમાધિસે।પાન” માંથી પ્રવચનભક્તિનું વાચન) ભગવાને જે આગમ કહ્યાં છે તે પ્રવચન કહેવાય છે. સત્પુરુષના વચનને આધારે ધમ Jain Education International * * For Private & Personal Use Only * www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy