________________
૧૧૦
બેધામૃત શરીરનું સ્વરૂપ જાણું એનાથી કામ લઈ લેવું. મેહ ન કરવો. શરીરમાં વૃત્તિ રહી તે કુમરણ થાય. ધર્મને માટે દેહનું પિષણ કરવું. એને પુષ્ટ ન કરે. ભગવાને કહ્યું છે તેવું તપ કરવા જેવું છે. તપ એટલે ઈચ્છાને નિરધ. જેમ મન માને, જ્યાં જાય ત્યાં જવા ન દેવું; કેમકે તેથી સંસાર ઊભે થાય છે. વૃત્તિ ઉપર સંયમ કરવાની જરૂર છે. મનથી ત્યાગ કરે અઘરે છે. જે અઘરું હોય તે જ કરવું છે. કામને નાશ કરવો હોય તે તપની જરૂર છે. તપથી ઈન્દ્રિયે વશ થાય. ખૂબ ખાવાથી નિદ્રા બહુ આવે. તપ કરે તે નિદ્રા ઓછી થાય. શરીરને વશ રાખ્યું હોય તે ઠંડીમાં, ગરમીમાં બધે કામ આપે. તપમાં જવા વાધીન છે. ધર્મધ્યાન જેટલું કરવું હોય તેટલું થાય. તપમાં જે દુઃખ આવે છે તે જાય છે. પાપનું ફળ દુઃખ છે તે તપથી ઉદયમાં જલદી આવે છે. પહેલાંથી દુઃખ સહન કરવું જેથી સમાધિમરણ થાય. શક્તિને ગોપવ્યા વગર સ્વચ્છેદરહિત તપ કરવું. આજ્ઞા વગર કરે તે લાંઘણ કહેવાય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી એને હિતકારી હોય તે ન ગમે. આખરે એને તપ સુખકારી છે. આત્માના દશ ધર્મ છે. એને લૂંટી લેનાર વિષયકષાય છે. તપ આગળ એનું બળ ન ચાલે. વિષયકષાયમાં મનુષ્યભવ છૂટી જાય તે એકેન્દ્રિયાદિકમાં ભટકે. જે તપ કરવાથી રેગ થાય, ઇન્દ્રિયને હાનિ પહોંચે, એવું તપ ન કરવું. તપકલ્યાણક ભગવાનનું કહેવાય છે. મોક્ષે જવા માટે કઠણાઈવેઠવી પડે છે. પોતાનું સ્વરૂપ ભૂલીને પરમાં રાજી થાય છે, પણ તપથી ઘણે લાભ છે. સર્વસંગપરિત્યાગ એ તપ છે. પરિષહ જીતવા એ તપ છે. કેઈ વસ્તુ ન ઈચ્છવી એ તપ છે. બાહ્ય અભ્યતર એ બન્ને પ્રકારના પરિગ્રહમાં મમતા નહીં એ તપ છે. સમભાવ રાખવો એ તપ છે. દુઃખ આવે તેમાં કઈ વાંક નથી. પિતાને જ વાંક છે. પાર્શ્વનાથ ભગવાનને કમઠે એક બાજુ ઉપસર્ગ કર્યા ત્યારે બીજી બાજુ ધરણેન્દ્ર અને પદ્માવતીએ આવી પૂજા કરી. એ બન્નેમાં ભગવાને સમભાવ રાખે તેથી કેવળજ્ઞાન થયું. જ્યાં ત્યાંથી છૂટવું છે. પુણ્ય સારું અને પાપ છેટું એમ ન કરવું. બધુય છોડવાનું છેઃ
“નગ્નભાવ મુંડભાવ સહ અરનાનતા, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો.” “શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,
ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જે.” એ અત્યંતર તપ છે. તપમાં આનંદ આવે છે. તપથી એક્ષે જવાય છે. તપથી નિર્જરા થાય છે અને નિર્જરાથી મોક્ષ નજીક આવે છે. આગ લાગી હોય તે કિંમતી વસ્તુ કઢી લે, તેમ પરિષ, વિશ્ન આવે ત્યારે વ્રતશીલની રક્ષા કરે. જે ધર્માત્મા હાય તેની સેવા કરે, રક્ષા કરે, તેને દુઃખ પડતું હોય તે દુઃખ દૂર કરે તે સાધુ-સમાધિ છે. પિતા પર વિશ્ન આવે ત્યાં સમ્યગ્દર્શનાદિમાં ટકી રહે તે પણ સાધુ-સમાધિ છે. પિતે પિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org