SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૩ ૧૮૯ કરે તે મન બીજે જતું રહે. મનને જેવું કેળવ્યું હોય તેવું થાય. જ્યારે સમજણ આવે ત્યારે ફરે. 2ષભદેવ ભગવાને પિતાના અઠ્ઠાણું પુત્રોને બોધ કર્યો હતો કે દેવેલેકમાં સાગરેપમનાં સુખ ભેગવ્યાં, છતાં તૃપ્તિ નથી થતી, વિચારથી તૃપ્તિ થાય છે. કાયસલ્લેખના અનુક્રમે થાય છે. કાયસલ્લેખનામાં ભગવાનને શરણે ચિત્ત રાખવું. ધર્મ સધાતું હોય તે દેહને પિષ. જેનાથી ધર્મ થાય તેવા દેડની સલ્લેખના કરવા નથી કહ્યું સ્યાદ્વાદ માર્ગ છે. શરીરને નાખી દેવું નથી, પણ તેનાથી ધર્મનું કામ લેવું છે. મનુષ્યદેહ વિના ધર્મનું કાર્ય ન થાય. ધર્મમાં જેની કાયા મદદ ન આપતી હોય તેણે તેને કૃષ કરવી. ઉપવાસ આદિ કષાયને જય કરવા માટે છે. ઉપવાસ કરીને કષાય કરે, એમ નથી કરવાનું. જે કંઈ કરવું તેને ઉપગ રાખ કે તે શા અર્થે છે! ઉપયોગ ત્યાં ધર્મ છે. શરીર તે ઘણું સૂકવે, પણ કષાય સૂકવે તે ખરું તપ છે. આ લેક, પરલોકની ઇચ્છા વિના તપ કરવું. જન્મમરણ ટાળવાં હોય તે ઇચ્છા ન કરવી. પાંચ ઈન્દ્રિયના વિષયે, કષાય, નોકષાય એ બધાને જીતવાના છે. કષાયને લઈને બધાં દુઃખ ઊભાં થાય છે. સમાધિમરણ વખતે ઘણા ઉપદેશની જરૂર છે. અને તે પિતાથી વિશેષ વૈરાગ્ય અને જ્ઞાનવાળા હેય તેને વેગ મેળવે. નહીં તો બને તેટલો સત્સંગને વેગ મેળવે કર્મ બાંધતાં વાર નથી લાગતી. એક ક્ષણવારમાં સિત્તેર કેડાછેડી સાગરોપમની સ્થિતિ બંધાઈ જાય છે. છતાં એને ભાન નથી. ચેતીને ચાલવાનું છે. પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (૨-૩૫). ભાવથી બંધાય છે અને ભાવથી છૂટે છે. સિત્તેર કેડીકેડીનું બંધાયું હોય તે ઉદયમાં ન આવ્યું હોય અને ભાવ ફરે તે છૂટી જાય. પાછા ફરે તે છૂટી જાય. આત્મામાં અનંત શક્તિ છે. મનુષ્યભવમાં સત્સંગે જીવ કંઈક કુણે થાય તે પોતાના કર્મોને ડર લાગે છે. ૨૪ નાકોડા તીર્થ, મહા વદ ૦)), ૨૦૦૮ સમ્યગ્દર્શન સહિત ત૫ સફળ છે. શરીર ઉપરથી મેહ એ છે થાય તે માટે તપ કરવાનું છે. શરીરનું સ્વરૂપ વિચારે તે એને વૈરાગ્ય થાય એવું છે. પિતાના સ્વરૂપનું જ્ઞાન તે સમ્ય છે. જ્ઞાનથી આત્મા જણાય છે. મારું ખરું સ્વરૂપ આત્મા છે, એવી પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. જ્ઞાન અને વૈરાગ્ય બને સાથે હોય છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન.” તે ન હોય ત્યાં સુધી એને શ્રદ્ધા પણ ન થાય. સમ્યકત્વ એ આત્માને નિર્ણય છે. એ નિર્ણય પુરુષના આશ્રયે થાય તે વ્યવહારસમકિત છે. પછી પિતાને અનુભવ થાય તે નિશ્ચયસમકિત છે. મિથ્યાત્વની મંદતા થાય ત્યારે સાચી શ્રદ્ધા થાય છે. “જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી મેળા પડવા લાગે છે.” (પ૨૨) તે તદ્દન દૂર થાય ત્યારે સમ્યગ્દર્શન છે. જ્ઞાની પુરુષના આશ્રયે જ્ઞાનીએ જે માન્યું છે તેવું માને તે સમ્યગ્દર્શન છે. વધારેમાં વધારે અર્ધપુદ્ગલ-પરાવર્તન સંસાર હોય ત્યારે સમ્યક્ત્વ થાય છે. સમીપમુક્તિગામીને જ સમ્યગ્દર્શન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy