SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ બધામૃત મૃત્યુ ન છેડાવે તે કેણ દોડાવે? મરણ સાંભળીને ડરવા જેવું નથી. મરણ બધાય દુઃખથી છેડાવનાર છે. ગર્ભથી માંડીને દેહની સંભાળ લેવાય છે, પણ તે જીવને અપકારી નીવડે છે. દેહથી હું ભિન્ન છું એમ થાય તે જ દેહને મોહ ન થાય અને સમાધિમરણ થાય. નહીં તે લક્ષ ચોરાશી ખડી છે. ફરી મનુષ્યભવ ક્યારે મળે? પંચમહાગ્રત ક્યારે ધારીશ, સમાધિમરણ ક્યારે કરીશ, એમ ભાવના કરી છે, પણ સમાધિમરણને વખત આવે ત્યારે કરે છે. મૃત્યુ તે કલ્પવૃક્ષ જેવું છે. એવું માગે તેવું મળે. મેક્ષ માગે તે મેક્ષ મળે. ફરીથી નથી જન્મવું એવું દઢ કરી લેવું. જાણનાર છે તે મરનાર નથી, જાણ જાણ જ કરે છે. શરીરને આત્મા માનનાર બહિરાત્મા છે. અંતરાત્મા દેહને દુઃખરૂપ માને છે અને બહિરાત્મા સુખરૂપ માને છે. આત્મા જ્યારે દેહમાંથી જાય છે, ત્યારે તેને કઈ રોકનાર નથી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર અને સભ્યતા એ ચાર આરાધના સહિત મરણ કરવું. બહિરાત્માને દેહ છૂટે ત્યારે દુઃખ લાગે છે અને અંતરાત્માને સુખ લાગે છે. આત્માથી દેહ ભિન્ન છે એમ જાણ્યા પછી મેહ ન થાય. ચારે ગતિમાં ભમવાનું મૂળ દેહમાં મેહ એ છે. દેહ રેગનું ધામ છે, દુઃખરૂપ છે, એવું સમજાયું હોય તે દેહ છૂટે ત્યારે દુઃખ ન થાય. “મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ લાય; વીતરાગવાણી વિના, અવર ન કોઈ ઉપાય.” પહેલાં પાપ બાંધ્યું હોય તે જંતરમંતર કે ઔષધથી ન જાય. વીતરાગનાં વચન એવાં છે કે એના ભાવ ફરી જાય તે પાપ નાશ પામે, ઘણો લાભ થાય. માટે રોગ મરણ છે. ફરી મરવું ન પડે એવું કરવાનું છે. જ્ઞાની પુરુષને બધું સવળું છે. તેઓ રોગથી લાભ માને છે. શરીરને ધર્મ રેગ છે. આત્માનો ધર્મ અવિનાશી છે. કાયરને જરાક દુઃખ થાય તેય વધારે લાગે છે. જેટલી સહનશીલતા હોય તેટલા કર્મ ઓછાં બંધાય. એક વાર સમાધિમરણ કરે તે ફિકર નથી. પ્રશ્ન-સમાધિમરણ કેમ થાય? પૂજ્યશ્રી-- જ્યાં સુધી શ્વાસે શ્વાસ હોય ત્યાં સુધી સ્મરણ કરવું. જ્ઞાનીને વિશ્વાસ તે જ સમાધિમરણનું કારણ છે. કંઈક સાંભળ્યું હોય તે લક્ષ રહે. ધીરજ રાખી “સર્વ પ્રકારે જ્ઞાનના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણને ભજવાની શિક્ષા શ્રી તીર્થ કર જેવાએ કહી છે .... કઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા ગ્ય નથી.” (૪૬) એટલું થયું હોય તે સમાધિમરણ થાય. એકનું એક કપડું હોય તેને બહુ પરિચય થાય ત્યારે તેના ઉપર અભાવ આવે છે, પણ આ દેહ તે ઘણા કાળ સુધી ભગવતાં અભાવ આવતું નથી ! (“સમાધિસોપાન”માંથી સહલેખનાનું વાચન) શરીરને કૃષ કરવું તે સલ્લેખના. શરીરનું લાલનપાલન કરે તે દેષનું ઘર થઈ જાય. જેને કાયા પરથી વિશ્વાસ ઊઠી ગયો હોય તેને સલેખના છે. કષાય ઓછા કરે તે અંતરસલેખના છે. કાયામાં વૃત્તિ રહી તે આત્માનું હિત થવાનું નથી. ખૂબ ખાય અને પ્રમાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy