SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ કે બેધામૃત સાંભરે તે ગુરુભક્તિ છે. દેવ અને ધર્મને આધાર ગુરુ છે. ગુરુ હોય તે દેવ અને ધર્મ સમજાય, નહીં તે ન સમજાય. પાંચ આચાર ધારણ કરે તે આચારવાન. આચાર્ય એવા હિય કે શિષ્યની પણ સેવા કરે. એ એમને પ્રકર્તા ગુણ છે. ઉપાધ્યાય આચાર્ય જેવા જ હોય. (“સમાધિ પાનમાંથી દશલક્ષણધર્મનું વાચન) ૨૧ જેસલમેર, મહા વદ ૧૨, ૨૦૦૮ આત્મસ્વરૂપને ઓળખવા દશ લક્ષણ કહ્યાં છે. ઉત્તમ ક્ષમા માર્દવ–આર્જવ શાચ– સત્ય-સંયમ-તપ-ત્યાગ–અકિંચન્ય-બ્રહ્મચર્ય સત્યને આધારે ધર્મ રહ્યો છે. ધર્મ, રાજ, નીતિ અને વ્યવહાર સત્યને આધારે ચાલે છે. સત્ય બધાને થાંભલે છે. દયા પળે છે તે સત્યને લઈને પળે છે. જ્યાં હિંસા થાય, પાપ થાય ત્યાં સત્ય હાય નહીં. સત્યવચન દયાધર્મનું મૂળ કારણ છે. સત્ય વગર વિશ્વાસ ન થાય. સત્ય પરમ ધ્યેય છે. કૃપાળુદેવ કહે છે કે “પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ.” જેને સત્ય આવ્યું તેને મેક્ષ છે. સલ્ય બે પ્રકારે છે એક પવહાર સત્ય ને બીજું પરમાર્થ સત્ય. જેવું હોય તેવું કહેવું તે વ્યવહારસત્ય, અને આત્માને લક્ષ રાખીને બેલે તે પરમાર્થ સત્ય. સત્યને એક અંશ પણ આવ્યો નથી. જ્યારે કસોટી આવે છે ત્યારે ખબર પડે છે. જેને છૂટવું હશે તેને ભય લાગશે કે જૂઠું બોલીશ તે મારા આત્માને ઘાત થશે. સત્ય ને અહિંસા બે મુખ્ય છે. ગમે તે ડાહ્યો હોય પણ સાચ ન હોય તે કંઈ નથી. ગમે તેટલું દાન કરતે હોય પણ અસત્ય હોય તે કંઈ નહીં. સત્ય એ જગતને આધાર કહેવાય છે. વ્રત લીધું હોય અને પળે નહીં તે ધર્મ શું થાય? વચન તો પાળ્યું નહીં. હરિશ્ચન્દ્રને કેટલાં કષ્ટ પડ્યાં! તેમ છતાં સત્ય ન છોડ્યું. રેજ બેલીએ છીએ “વચન નયન યમ નાંહિ” એ બેને સંયમ કવાને છે. બેલતાં વિચાર કરે કે હિતકારી છે કે કેમ ? એમ વિચાર કરીને જેથી સામાને આઘાત ન લાગે તેવું વચન બોલવું. આત્મા ફરે તે બધું ફરે. બધા વ્રત અહિંસા માટે છે. બહુ વિચારવા જેવું છે. મુનિ કોઈના ઘરમાં ઊતર્યા હોય અને ત્યાં ચાર ચેરી કરતે હોય તે પણ મુનિ ન બેલે. મુનિ તે આત્માનું હિત થાય તેવું બોલે. મહાવીર ભગવાનને ગોવાળીએ બળદ સેંપીને ચાલ્યા ગયે અને ભગવાનને કહેતે ગયે કે થોડીક વારમાં આવું છું, તું આ બળદની સંભાળ રાખજે. પણ ભગવાન તે કાર્યોત્સર્ગમાં લીન હતા તેથી કંઈ ધ્યાન આપ્યું નહીં; અને બળદ આમ તેમ ચાલતા થયા. એટલામાં પેલે ગવાળીઓ આવ્યું. બળદને ન જેવાથી તેને બહુ ક્રોધ આવ્યું. પછી ભગવાનના કાનમાં ખીલીઓ ઠોકી દીધી, તે પણ ભગવાન કંઈ બોલ્યા નહિ. હિત થાય તેવું બેલિવું. સાચું બેલીને અભિમાન કરવાનું નથી. દાવ, ભક્તિ કરીને અભિમાન કરે તે બધું નિષ્ફલ થાય. ડાહ્યો થઈશ તે પોપટની પેઠે ફસાઈશ. આખે મોક્ષમાર્ગ સમતા ઉપર છે. જગત દુઃખથી ભરેલું છે. કોઈને દુઃખ આપવું નહીં. જગત દુઃખી જ છે. બીજાને દુઃખ ન થાય એવું બેલિવું. સાચું બોલવાથી પિતાના દે દેખાય, દેખાય નહીં એટલે આત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy