________________
સંગ્રહ ૩
૧૦૩ કે બધા જીનાં કર્મો જેટલાં કર્મ હોય, તે પણ બાળી નાખે. એવી જ્ઞાનની શક્તિ છે. જ્ઞાનાભ્યાસથી ધર્મ ટકે છે. પરમાર્થસ્વરૂપ એ પિતાનું સ્વરૂપ છે. વિશાળબુદ્ધિ હોય તે મતમતાંતરમાં વૃત્તિ ન જાય. બધાનું કારણ જ્ઞાન છે. મૂર્ખતા હોય તે જગતમાં પણ નિરાદર થાય છે. આપણું ધન જ્ઞાન છે. ખરું દાન જ્ઞાનદાન છે. જ્ઞાનવાળો સર્વત્ર પુજાય છે. જ્ઞાનની વાર્તા ચર્ચાય તે જ્ઞાન વધે. આત્મા તો જ્ઞાનથી શેભે છે. જ્ઞાન તે કે જે મુક્તિ અપાવે. જે જ્ઞાનથી મેક્ષ નથી તેના મેહમાં પડી જવા જેવું નથી. જ્ઞાનની લગની લાગે ત્યારે “તીર્થકર પ્રકૃતિ બંધાય છે. આત્માના હિત માટે ભણે તે હિતકારી છે. આત્માનું હિત કરવા કરવું છે તેને બધું સવળું છે. સવેગના બે અર્થ છે. એક તે સંસારથી ઉદાસીનતા અને બીજું મોક્ષ સિવાય અન્ય કંઈ ઈચ્છવું નહીં. સંસારથી અટકવું અને મોક્ષની ઈચ્છા તે બન્ને સંવેગ જ છે.
સમાધિમરણ કરવું હોય તે એ સોળ કારણભાવના ભાવવાની છે. જીવ પાસે પ્રેમની મૂડી છે તે બીજે વેરી નાખી છે. ધર્મધ્યાન ચાર પ્રકારે છે–વાચના, પૃચ્છના પરાવર્તન અને ધર્મકથા. ધર્મની વ્યાખ્યા ચાર પ્રકારે છે–દશલક્ષણ ધર્મ, અહિંસા ધર્મ, વસ્તુસ્વભાવ ધર્મ અને રત્નત્રયરૂપ ધર્મ. પૂર્વે જેણે ધર્મ કર્યો હોય તેને ચક્રવર્તી, નારાયણ આદિ પદવી મળે છે. ભગવાને પુણિઆ શ્રાવકની સામાયિક વખાણી હતી. આત્માને આત્મામાં રાખવો તે ઉત્તમ છે. - આત્મજ્ઞાન પામવા માટે ત્યાગ વૈરાગ્યની જરૂર છે. સર્વસંગ પરિત્યાગ કરવાની જેને ભાવના ન હોય તેને શ્રાવક નથી કહ્યો. પરવસ્તુમાં તન્મય થયે છે તે મટવા માટે ત્યાગ છે, “આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થને તાદાભ્ય અધ્યાસ નિવડે તેને શ્રી જિન ત્યાગ કહે છે.” (પ૬૯). કષાય, નોકષાય અને મિથ્યાત્વ એ ૧૪ અંતર પરિગ્રહ છે. હું દેહ છું, ક્ષેત્ર, વાસ્તુ આદિ મારાં છે. એ “હું ને મારું ' એ સંસાર છે. દેહ પ્રત્યે જે મેહ તે મિથ્યાત્વ છે. દેહ અને આત્મા સાથે રહે છે, પણ તે બને ભિન્ન છે. આ મનાતું નથી તે મિથ્યાત્વ છે. જેને ભેદ પડ્યો છે તે દેહને પિતાનું સ્વરૂપ માને નહીં. મેઢે ગમે તેમ કહેતા હોય પણ મારું કશુંયે નથી એ તેમને ઉપગ છે. છે . જેિસલમેરમાં ચઢાણવાળા કિલ્લા ઉપર સુંદર કોતરણીવાળાં મંદિરે છે. ત્યાં દર્શન કરી એક મંદિરની નીચે આવેલે મોટો ગ્રંથભંડાર જે હતે. મહા વદ દશમે લુવા આદિ પંચતીથી જઈ આવ્યા. લુકવામાં ભક્તિ–વાચન કર્યા હતાં. ]
૨૦
જેસલમેર, મહા વદ ૧૦, ૨૦૦૮ “આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય-પ્રયોગ;
અપૂર્વ વાણી, પરમભુતસદ્ગુરુ લક્ષણ યોગ્ય.” જે સદૂગુરુ છે તેની ભક્તિ કઈ પુણ્યવાનને જાગે છે. જ્ઞાનીની આજ્ઞાએ ધર્મ થાય છે. “ઘો. આચાર્યના ગુણે ભક્તિ કરતાં હૃદયમાં ધારણ કરવા. જેટલું બહુમાનપણું ગુણે પ્રત્યે હોય તેટલી ગુરુભક્તિ થાય. ગુરુ શબ્દ સાંભળતાં જ ગુરુનાં બધા ગુણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org