SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ for આધામૃત ચારિત્રમાં જ્ઞાન અને ધ્યાન એ બે વસ્તુ મુખ્ય છે. ધ્યાનમાં એકાગ્ર રહેવુ પડે, ધ્યાન ન રહે તે વખતે સ્વાધ્યાય કરવા. નિરંતર જ્ઞાનધ્યાનમાં વર્તે તે અભીક્ષ્ણ જ્ઞાનાપચાગ છે. શુદ્ધ આત્માની ભાવના કરવાનું કહે છે. પરિભ્રમણનું કારણ વિભાવ છે. રાગદ્વેષથી પરિભ્રમણ થાય છે, તે ટાળવા તીર્થંકરનાં વચને છે. જીવ અહિતકારી વસ્તુમાં વળગ્યા છે. આત્મા તેા આત્મા જ છે. અત્યારે એને ભાન નથી. આવરણ આવી ગયું છે. આત્મા પ્રાપ્ત કરવા અભીક્ષુ જ્ઞાનાપયેાગ સર્વોત્કૃષ્ટ છે. એળખાણુ નથી, તેથી ખીજી વસ્તુને પેાતાની માને છે. પેાતાનુ એળખાણુ થવા માટે હું દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છું' એવે! લક્ષ રહે તેા થાય. બીજું, સંવેગ એટલે વૈરાગ્ય. હું ક્યાંથી આવ્યો છું અને કયાં જવુ છે? એના વિચાર કરવા. ભગવાન જ્યારે દીક્ષા લેવા જાય છે ત્યારે બાર ભાવના ભાવે છે. તે વૈરાગ્યનુ કારણ છે. ફી ન જન્મવાની ભાવના થાય તે ભવવૈરાગ્ય છે. ભવ, શરીર અને ભાગ એ ત્રણ પ્રત્યે વૈરાગ્ય ચિતવવાના છે. આ શરીર છે તે અશુચિ છે, મળમૂત્રની ખાણુ છે, ગધાતા પદાર્થો એમાંથી નીકળે છે. એનું સ્વરૂપ ન સમજાય ત્યાંસુધી જીવને એમાં મેહુ થાય છે. એ મેહુ જ્ઞાનને વિપરીત કરે છે, મેાહ એ જ મિથ્યાત્વ છે. તે એ પ્રકારે છે. ગ્રહિંત અને અગ્રહિત. કુગુરુ, કુદેવ, કુધર્મ ઉપર શ્રદ્ધા થાય તે ગ્રહિંત મિથ્યાત્વ છે; અને દેઢાધ્યાસ છે તે અગ્રહિત મિથ્યાત્વ છે. છૂટે દેહાધ્યાસ તે!, નહીં કર્તા તું ક.” મેાહ છૂટે એ ખરેા ધર્મ છે. મહાવીર ભગવાને શરીર તરફ જોયુ નડ્ડી. એને જતુ કરી આત્માની સંભાળ લીધી. સાડાબાર વર્ષ સુધી પુરુષાર્થ કર્યાં. શરીર છે તે મેડનુ સાધન છે. શરીર ઉપરથી મેાડુ છૂટે તેા કામ થાય. ભેાગ એ સુખનું કારણ નથી. ઇચ્છા થાય છે તે મટાડવા જીવ કરે છે, જેમ કેઈને વાગ્યુ હાય અને મલમ ચાપડી પાટા બાંધ્યે હાય તેને સુખ માને, તેમ આ જીવને ઇચ્છા થાય છે તેથી ખાય, પીએ, કપડાં પહેરે તેને સુખ માને છે, અને અભિમાન કરે છે. શરીર સ`ખશ્રી જે.જે ઇચ્છાએ થાય તેને માટે ઉપાય કરે તે ભેગ છે. ભેગ એ સ ́સાર વધારનાર છે. નથી ધર્યાં દેહ વિષય વધારવા, નથી ધર્યાં દેડ પરિગ્રહ ધારવા,’’ ભેળ માટે પરિગ્રહ એકઠા કરે છે. પાંચ ઇન્દ્રિયાના વિષયે ભાગવવા માટે મનુષ્યભવ નથી મળ્યા. શરીરને મેાડુ છે તે આત્માને ભુલાવે છે. તે વિપરીતતા છે. જ્યાં આત્મા છે ત્યાં છએ દ્રવ્ય છે. તેમાંથી પેતાનુ સ્વરૂપ એળખી લેવું. જ્ઞાનમાં ઉપયેગ રહે-જાણનારા આત્મા છે એમ રહે, તે! બધી વસ્તુ તુચ્છ લાગે; ત્યારે વૃત્તિ જ્ઞાનધ્યાનમાં રહે. સ્વાધ્યાયમાં ચિત્ત રાકે તે એમાં ચિત્ત ચાટે. · ધ્યાનમાં એકાગ્રતા ન રહે ત્યારે મનને ભગવાનનાં વચનેામાં રાકવું. તેથી બીજે ન જાય. જ્ઞાન છે એ અગ્નિ છે. જ્ઞાનાગ્નિથી અંતર્મુહૂતમાં કમ ક્ષય થાય છે. શુકલધ્યાન હાય ત્યારે આત્મા એટલે બળવાન થાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy