________________
૧૦૦
બેધામૃત
૧૮ રાણકપુર દેરાસર, મહા વદ ૬, ૨૦૦૮ આ મોટું મંદિર ધન્નાશા શેઠે બંધાવ્યું હતું. ધન્નાશા શેઠને રાત્રે સ્વપ્ન આવ્યું તેમાં પાંચમા દેવલેકનું વિમાન જોયું. સવારમાં ઊઠયા ત્યારે મનમાં વિચાર આવ્યો કે મારે એ વિમાન જેવું મંદિર બંધાવવું. પછી તેમણે બધાય સલાટોને બોલાવીને કહ્યું કે મને સ્વપ્ન આવ્યું હતું તેવું મંદિર બાંધવું છે. સલાટો બેલ્યા કે તમે સ્વપ્નામાં જોયેલા મંદિરને અમે કેવી રીતે બનાવીએ? પછી શેઠના કહેવાથી તેઓએ અનેક પ્રકારના મંદિરના નકશાઓ બનાવ્યા, પણ જેવું તે શેઠને સ્વપ્નામાં દેખાયું હતું એવા મંદિર જેવો એકે ન એના જેવામાં ન આવ્યું. ત્યારે શેઠે શાસનદેવીને પ્રાર્થના કરી કે મને સ્વપ્ન આવ્યું હતું તેવું સલાટને સ્વપ્ન આવે કે જેથી તેઓ મંદિર બનાવે. પછી રાત્રે એક સલાટને પાંચમા દેવલેકના વિમાનનું સ્વપ્ન આવ્યું. તેણે રાત્રે ઊઠીને નશો ચીતર્યો. પછી શેઠે મંદિરનું કામ શરૂ કરાવ્યું. તે મંદિર બંધાવવામાં જે ખર્ચ થાય તે દેવે લાવીને પૂરે. એમ ૮૦ વર્ષે એ મંદિરનું કામ પૂરું થયું. આ મંદિરમાં ૧૪૪૪ સ્થંભ છે. એ પાંચમા દેવલોકના વિમાન જેવું છે.
[એ મંદિરમાં દર્શન કર્યા પછી નાના મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યાં ચેકમાં ભક્તિ કરી. પછી વાંચન ચાલ્યું હતું.]
પૂજ્યશ્રી–સ્વાધ્યાય એ મોટું તપ છે, અંતરંગ તપ છે. પહેલાંના લેકે ચાલીને જાત્રાએ જતા અને ભક્તિ કરતા. દરેક વસ્તુને માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની જરૂર છે. સમજણ સારી જોઈએ, ક્ષેત્ર નિવૃત્તિવાળું જોઈએ, કાળ અનુકૂળ જોઈએ. તીર્થમાં ફરવાથી પરની ઉપાધિમાંથી ચિત્તવૃત્તિ દૂર થાય, લેભ એ થાય, સપુરુષને સંગ મળે તો લાભ થાય.
જે વખતે તીર્થકર વિચરતા હતા ત્યારે આ જીવ ક્યાં ક્યાંય ભટકતે હતો. હવે મનુષ્ય ભવ મળે પણ તીર્થકર ભગવાનને વેગ નથી. તે માટે મંદિર છે તે સમવસરણ અને તેમાં પ્રતિમા છે તે તીર્થકર ભગવાન છે એવી ભાવના કરવી.
શ્રી નાડોલ. ભાવના કરવામાં નિમિત્ત છે. જ્યાં જ્યાં ભગવાનના કલ્યાણક થયાં હોય ત્યાં ધર્મરંગ દઢ થાય છે. લઘુશાંતિ બધાય શીખે પણ અહીં આવવાથી ભાવના થાય. આ “લઘુશાંતિ આચાર્યને દયા આવવાથી, લેકના હિતને માટે બનાવી છે.
એક ભાઈ—આરંભ પરિગ્રહ એટલે શું?
પૂજ્યશ્રી–મકાન બનાવવા ઈત્યાદિ હિંસાની પ્રવૃત્તિ તે આરંભ છે અને મકાનાદિમાં મમતા મૂછી તે પરિગ્રહ છે. આલેચવામાં આવે છે કે –
રાણકપુરથી રવાના થઈ નારલાઈ આવ્યા. ત્યાં એક પહાડ પર ગિરનાર પહાડની રચના છે. અને સામેના પહાડ ઉપર શત્રુંજય પર્વત મુજબ મંદિરની રચના કરેલી છે ત્યાં ભક્તિ કરી હતી. ત્યાંથી રવાના થઈ નાડોલ આવ્યા. ત્યાં નેમિનાથજીના મંદિરમાં એક ઓરડી છે, ત્યાં શ્રી માનદેવસૂરીએ લઘુશાંતિની રચના કરી હતી. ત્યાં તેઓની પ્રતિમા પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org